સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવામાં સંડોવાયેલા 36 આરોપીમાંથી 4 આરોપીની પોલીસે કરી ધરપકડ, ગઈકાલે પોલીસે કરી હતી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-04-15 13:37:42

રાજ્યમાં સરકારી નોકરીની ભરતી માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવારો બેસતા હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે પર્દાફાશ કર્યો હતો. જે મામલે ગઈકાલે ભાવનગર પોલીસે કાર્યવાહી કરી છે. અગાઉ કોઈ પણ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને ગેરરીતિમાં સંડોવાયેલા હોય તેવા 36 લોકો વિરૂધ્ધ FIR નોંધી, કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ મામલે પોલીસે 36માંથી 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. જેમાં શરદકુમાર શાંતિભાઈ પનોત, પ્રકાશ ઉર્ફે કરસન દવે, બળદેવ રાઠોજ અને પ્રદીપ બારૈયાની પોલીસે ધરપકડ કરી લીધી છે.  


સરકારી પરીક્ષાઓમાં થતી હતી ગેરરીતિ!


ડમી ઉમેદવારોને લઈ યુવરાજસિંહ દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. જે બાદ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને ભાવનગર પોલીસે ડમી ઉમેદવાર મામલે 36 લોકો સામે સરકારી પરીક્ષાઓમાં ગેરરીતી આચરવાના ગુનામાં કાર્યવાહી કરી હતી. અગાઉ 4 ડમી ઉમેદવારોના નામે જાહેર થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં 36 લોકો સામે ફરિયાદ નોંધાવાઈ હતી તેમના પર આરોપ છે કે તેમણે આર્થિક લાભ માટે 2012થી 2023 એટલે કે 11 વર્ષના સમયગાળામાં યોજાયેલી બોર્ડ અને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉમેદવારોની જગ્યાએ લેપટોપના માધ્યમથી પોતાનો ફોટો લગાવી, બનાવટી દસ્તાવેજો બનાવી તેમણે ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. આ રીતે તેમણે સરકાર સાથે ઠગાઈ આચરી છે. આ કાંડના મુખ્ય આરોપી તરીકે શરદ કુમાર ભાનુ શંકર પનોત રહેવાસી ભાવનગરનું સામે આવ્યું છે.


આ લોકો સામે પોલીસે કરી હતી કાર્યવાહી


1. શરદકુમાર ભાનુશંકરભાઇ પનોત બસ સ્ટેન્ડ પાસે, દિહોર તા.તળાજા જી. ભાવનગર

2. પ્રકાશકુમાર ઉર્ફે પી.કે. કરશનભાઇ દવે પીપરલા તા. તળાજા જી. ભાવનગર

3. બળદેવ રમેશભાઈ રાઠોડ - ગામ. દિહોર તા. તળાજા. જિ. ભાવનગર 

4. મિલનભાઈ ઘુઘાભાઈ બારૈયા - ગામ.સરતાનપર તા. તળાજા. જિ. ભાવનગર 

5. પ્રદિપકુમાર નંદલાલભાઈ બારૈયા - મુળ-દેવગાણા તા. શિહોર જિ. ભાવનગર  

6. શરદભાઈના કહેવાથી ફિઝીક્સની પરીક્ષા આપનાર જિ. ભાવનગર

7. મિલન ઘુઘાભાઈએ આપેલ ડમી વિદ્યાર્થી - ભાવનગર

8. કવિત એન રાવ - ભાવનગર 

9. ભાવેશભાઈ રમેશભાઈ જેઠવા - ગામ-પીપારલા તા. તળાજા. જિ. ભાવનગર 

10. રાજપરા દિહોર તળાજાનાં કોઈ વિદ્યાર્થીના - ગામ દિહોર, તા. તળાજા. જિ. ભાવનગર 

11. જી એન દામાણી મ્યુનીસિપાલ હાઈસ્કુલ ધારી - ભાવનગર

12.રાજ ગીગાભાઈ ભાલીયા - ભાવનગર 

13. હિતેશ બાબુભાઈ - ગામ.ઈસોરા તા. તળાજા. જિ. ભાવનગર 

14. હિતેશ બાબુભાઈનો ડમી રાહુલ - ગામ - બોટાદ સીટી તા. બોટાદ, જિ. બોટાદ 

15. પાર્થ ઈશ્વરભાઈ જાની - ભાવનગર

16. પાર્થ ઈશ્વરભાઈ જાનીનો ડમી ઉમેદવાર - ભાવનગર 

17. રમણીકભાઈ મથુરામભાઈ જાની- ગામ રબારીકા, તા. સિહોર જિ. ભાવનગર 

18. ભાર્ગવ કનુભાઈ બારૈયા દવે - ગામ - દિહોર તા. તળાજા. જિ. ભાવનગર 

19. મહેશભાઈ લાભશંકરભાઈ લાધવા - ગામ કરમદીયા, તા. મહુવા જિ. ભાવનગર

20. અંકિત લકુમ -  ભાવનગર 

21. વિમલભાઈ બટુકભાઈ જાની - ગામ દિહોર. તા. તળાજા. જિ. ભાવનગર 

22. કૌશિકકુમાર મહાશંકર જાની -  ભાવનગર 

23. જયદિપભાઈ બાબુભાઈ ભેડા - ભાવનગર

24. ભગીરથભાઈ અમૃતભાઈ પંડ્યા - ભાવનગર 

25. ભગીરથભાઈ અમૃતભાઈ પંડ્યાના ડમી ઉમેદવાર - ભાવનગર 

26. નિલેશ ઘનશ્યામભાઈ જાની - ભાવનગર 

27. નિલેશ ઘનશ્યામભાઈ જાનીના ડમી ઉમેદવાર - ભાવનગર

28. જયદિપ ભદ્રેશભાઈ ધાંધલા - ભાવનગર

29. સંજય હરજીભાઈ પંડ્યા - ગામ કરાઈ, તા. ગાંધીનગર, જિ. ગાંધીનગર

30. અક્ષર રમેશબાઈ બારૈયા - ભાવનગર 

31. દિનેશભાઈ બટુકભાઈ પંડ્યા - ભાવનગર 

32. ભદ્રેશભાઈ બટુકભાઈ પંડ્યા - ભાવનગર 

33. અભિષેક પંડ્યા - ગામ. ટીમાણા . તા. તળાજા. જિ. ભાવનગર 

34. કલ્પેશ પંડ્યા - ગામ. રાળગોન, તા. તળાજા. જિ. ભાવનગર 

35. ચંદુભાઈ પંડ્યા - ભાવનગર 

36. હિતેન હરિભાઈ બારૈયા - ભાવનગર


યુવરાજ સિંહે કર્યો હતો પર્દાફાશ


વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ગઈ 5. એપ્રિલ ના રોજ ડમી ઉમેદવાર કાંડ જાહેર કરી 4 ડમી ઉમેદવારો ના નામ જાહેર કર્યા હતા.જેમના નામ આ પ્રમાણે છે. 1. ભાવેશભાઈ રમેશભાઈ જેઠવાની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (પશુધન નિરીક્ષક, વર્ગ-3, 2021-22) 2. કવિતકુમાર નીતિનભાઈ રાવની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (Laboratory Technician 2021-22) 3. અંકિત નરેન્દ્રભાઈ લકુમની જગ્યાએ પરીક્ષા આપનાર વિમલ (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22) 4. જયદીપભાઈ વાલજીભાઇ રમણાની જગ્યાએ પરીક્ષા આપનાર કલ્પેશ પંડ્યા (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22) નો સમાવેશ થતો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.