દેશની 40%થી વધુ સંપત્તી પર 1% અમીરોનો કબજો, 50% વસ્તી પાસે માત્ર 3% સંપત્તી: Oxfam રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-01-16 17:14:21

ભારતની કુલ સંપત્તીના 40 ટકાથી વધુ હિસ્સા પર દેશના માત્ર એક જ ટકા અમીર લોકોનો કબજો છે. જ્યારે 50 ટકા વસ્તી પાસે કુલ સંપત્તીના માત્ર ત્રણ જ ટકા છે. આ જાણકારી ખ્યાતનામ સમાજસેવી સંગઠન ઓક્સફેમ ઈન્ટરનેશનલના એક લેટેસ્ટ રિપોર્ટમાં બાબતનો ખુલાસો કરવામાં આવ્યો છે. સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં યોજાઈ રહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની વાર્ષિક બેઠકમાં પહેલા જ દિવસે આ રજુ કરવામાં આવેલા આ રિપોર્ટમાં ઓક્સફેમએ આર્થિક અસમાનતાને ઘટાડવા માટે બજેટમાં ઉપાય કરવાની માગ કરી છે. 


કોરોનાકાળમાં અબજોપતિઓની સંપત્તી 121 ટકા વધી


ઓક્સફેમની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં  કોરોનાકાળ દરમિયાન અબજોપતિઓની સંપત્તીમાં 121 ટકાનો વધારો થયો છે. વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ તો તેમની સંપત્તી દરરોજ  3,608 કરોડ રૂપિયા વધી છે. દેશમાં અબજોપતિઓની સંખ્યા 2020માં 102 હતી જે 2022માં દોઢગણી વધીને 166 જેટલી થઈ છે.  રિપોર્ટ પ્રમાણે દેશના 100 સૌથી મોટી ઉદ્યોગપતિઓની કુલ સંપત્તી વધીને 660 અબજ ડોલર એટલે કે લગભગ 54.12 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.  


ટેક્સ ભરવામાં સૌથી ઓછું યોગદાન


દેશના અબજોપતિઓની સંપત્તી ભલે વધી હોય પણ  તેમ છતાં તેમનું ટેક્સભરવામાં યોગદાન ખુબ જ ઓછું રહ્યું છે. રિપોર્ટ મુજબ 2021-22ના  દરમિયાન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દ્વારા એકત્રિત કરવામાં આવેલા 14.83 લાખ કરોડ રૂપિયામાં દેશના 10 સૌથી મોટા અમીર લોકોનું યોગદાન માત્ર 3 ટકા જ રહ્યું છે. જ્યારે તેમા 64 ટકા લોકો યોગદાન એવા લોકોનું છે જેમની હેસિયત દેશના સૌથી નબળા 50 ટકા લોકોમાં આવે છે. 


દેશમાં ગરીબો ભરે છે વધુ ટેક્સ 


રિપોર્ટમાં એ બાબતનો પણ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે કે દેશમાં ગરીબ લોકો તેમની આવકના પ્રમાણમાં સૌથી વધુ ટેક્સ ચૂંકવે છે. અમીરોની તુલનામાં તેમને જરૂરી ચીજો અને સર્વિસ પર વધુ ખર્ચ કરવો પડે છે અને તેના પર તે મોટા પ્રમાણમાં જીએસટી ચૂકવે છે. રિપોર્ટમાં દેશના અમિરોને ટેક્સમાં યોગદાન વધારવાની હિમાયત કરવામાં આવી છે. 


અબજોપતિઓ પર  2% ટકા જેટલો lump sum tax લગાવો


સર્વાઈવલ ઓફ ધ રિચેસ્ટ નામના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો ભારત દેશના અબજોપતિઓની  કુલ સંપત્તી પર 2 ટકા જેટલો પણ લમસમ  ટેક્સ લગાવે તો પણ કુપોષણના શિકાર લોકોને પુરતુ પોષણ આપી શકાય છે. આ 2 ટકા ટેક્સ દ્વારા 40,423 કરોડ રૂપિયા એકઠા કરી શકાય છે. દેશના 10 ટકા સૌથી અમિર લોકો પર 5 ટકા જેટલો વન ટાઈમ ટેક્સ લગાવવામાં આવે તો 1.37 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરી શકાય છે. આ રકમ નાણાકિય વર્ષ 2022-23 માટે ભારત સરકારના આરોગ્ય મંત્રાલય પરિવાર કલ્યાણ મંત્રાલય અને આયુષ મંત્રાલયના કુલ બજેટમાં દોઢગણાથી પણ વધુ છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.