દેશની 40%થી વધુ સંપત્તી પર 1% અમીરોનો કબજો, 50% વસ્તી પાસે માત્ર 3% સંપત્તી: Oxfam રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-01-16 17:14:21

ભારતની કુલ સંપત્તીના 40 ટકાથી વધુ હિસ્સા પર દેશના માત્ર એક જ ટકા અમીર લોકોનો કબજો છે. જ્યારે 50 ટકા વસ્તી પાસે કુલ સંપત્તીના માત્ર ત્રણ જ ટકા છે. આ જાણકારી ખ્યાતનામ સમાજસેવી સંગઠન ઓક્સફેમ ઈન્ટરનેશનલના એક લેટેસ્ટ રિપોર્ટમાં બાબતનો ખુલાસો કરવામાં આવ્યો છે. સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં યોજાઈ રહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની વાર્ષિક બેઠકમાં પહેલા જ દિવસે આ રજુ કરવામાં આવેલા આ રિપોર્ટમાં ઓક્સફેમએ આર્થિક અસમાનતાને ઘટાડવા માટે બજેટમાં ઉપાય કરવાની માગ કરી છે. 


કોરોનાકાળમાં અબજોપતિઓની સંપત્તી 121 ટકા વધી


ઓક્સફેમની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં  કોરોનાકાળ દરમિયાન અબજોપતિઓની સંપત્તીમાં 121 ટકાનો વધારો થયો છે. વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ તો તેમની સંપત્તી દરરોજ  3,608 કરોડ રૂપિયા વધી છે. દેશમાં અબજોપતિઓની સંખ્યા 2020માં 102 હતી જે 2022માં દોઢગણી વધીને 166 જેટલી થઈ છે.  રિપોર્ટ પ્રમાણે દેશના 100 સૌથી મોટી ઉદ્યોગપતિઓની કુલ સંપત્તી વધીને 660 અબજ ડોલર એટલે કે લગભગ 54.12 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.  


ટેક્સ ભરવામાં સૌથી ઓછું યોગદાન


દેશના અબજોપતિઓની સંપત્તી ભલે વધી હોય પણ  તેમ છતાં તેમનું ટેક્સભરવામાં યોગદાન ખુબ જ ઓછું રહ્યું છે. રિપોર્ટ મુજબ 2021-22ના  દરમિયાન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દ્વારા એકત્રિત કરવામાં આવેલા 14.83 લાખ કરોડ રૂપિયામાં દેશના 10 સૌથી મોટા અમીર લોકોનું યોગદાન માત્ર 3 ટકા જ રહ્યું છે. જ્યારે તેમા 64 ટકા લોકો યોગદાન એવા લોકોનું છે જેમની હેસિયત દેશના સૌથી નબળા 50 ટકા લોકોમાં આવે છે. 


દેશમાં ગરીબો ભરે છે વધુ ટેક્સ 


રિપોર્ટમાં એ બાબતનો પણ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે કે દેશમાં ગરીબ લોકો તેમની આવકના પ્રમાણમાં સૌથી વધુ ટેક્સ ચૂંકવે છે. અમીરોની તુલનામાં તેમને જરૂરી ચીજો અને સર્વિસ પર વધુ ખર્ચ કરવો પડે છે અને તેના પર તે મોટા પ્રમાણમાં જીએસટી ચૂકવે છે. રિપોર્ટમાં દેશના અમિરોને ટેક્સમાં યોગદાન વધારવાની હિમાયત કરવામાં આવી છે. 


અબજોપતિઓ પર  2% ટકા જેટલો lump sum tax લગાવો


સર્વાઈવલ ઓફ ધ રિચેસ્ટ નામના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો ભારત દેશના અબજોપતિઓની  કુલ સંપત્તી પર 2 ટકા જેટલો પણ લમસમ  ટેક્સ લગાવે તો પણ કુપોષણના શિકાર લોકોને પુરતુ પોષણ આપી શકાય છે. આ 2 ટકા ટેક્સ દ્વારા 40,423 કરોડ રૂપિયા એકઠા કરી શકાય છે. દેશના 10 ટકા સૌથી અમિર લોકો પર 5 ટકા જેટલો વન ટાઈમ ટેક્સ લગાવવામાં આવે તો 1.37 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરી શકાય છે. આ રકમ નાણાકિય વર્ષ 2022-23 માટે ભારત સરકારના આરોગ્ય મંત્રાલય પરિવાર કલ્યાણ મંત્રાલય અને આયુષ મંત્રાલયના કુલ બજેટમાં દોઢગણાથી પણ વધુ છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.