દેશની 40%થી વધુ સંપત્તી પર 1% અમીરોનો કબજો, 50% વસ્તી પાસે માત્ર 3% સંપત્તી: Oxfam રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-01-16 17:14:21

ભારતની કુલ સંપત્તીના 40 ટકાથી વધુ હિસ્સા પર દેશના માત્ર એક જ ટકા અમીર લોકોનો કબજો છે. જ્યારે 50 ટકા વસ્તી પાસે કુલ સંપત્તીના માત્ર ત્રણ જ ટકા છે. આ જાણકારી ખ્યાતનામ સમાજસેવી સંગઠન ઓક્સફેમ ઈન્ટરનેશનલના એક લેટેસ્ટ રિપોર્ટમાં બાબતનો ખુલાસો કરવામાં આવ્યો છે. સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં યોજાઈ રહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની વાર્ષિક બેઠકમાં પહેલા જ દિવસે આ રજુ કરવામાં આવેલા આ રિપોર્ટમાં ઓક્સફેમએ આર્થિક અસમાનતાને ઘટાડવા માટે બજેટમાં ઉપાય કરવાની માગ કરી છે. 


કોરોનાકાળમાં અબજોપતિઓની સંપત્તી 121 ટકા વધી


ઓક્સફેમની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં  કોરોનાકાળ દરમિયાન અબજોપતિઓની સંપત્તીમાં 121 ટકાનો વધારો થયો છે. વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ તો તેમની સંપત્તી દરરોજ  3,608 કરોડ રૂપિયા વધી છે. દેશમાં અબજોપતિઓની સંખ્યા 2020માં 102 હતી જે 2022માં દોઢગણી વધીને 166 જેટલી થઈ છે.  રિપોર્ટ પ્રમાણે દેશના 100 સૌથી મોટી ઉદ્યોગપતિઓની કુલ સંપત્તી વધીને 660 અબજ ડોલર એટલે કે લગભગ 54.12 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.  


ટેક્સ ભરવામાં સૌથી ઓછું યોગદાન


દેશના અબજોપતિઓની સંપત્તી ભલે વધી હોય પણ  તેમ છતાં તેમનું ટેક્સભરવામાં યોગદાન ખુબ જ ઓછું રહ્યું છે. રિપોર્ટ મુજબ 2021-22ના  દરમિયાન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દ્વારા એકત્રિત કરવામાં આવેલા 14.83 લાખ કરોડ રૂપિયામાં દેશના 10 સૌથી મોટા અમીર લોકોનું યોગદાન માત્ર 3 ટકા જ રહ્યું છે. જ્યારે તેમા 64 ટકા લોકો યોગદાન એવા લોકોનું છે જેમની હેસિયત દેશના સૌથી નબળા 50 ટકા લોકોમાં આવે છે. 


દેશમાં ગરીબો ભરે છે વધુ ટેક્સ 


રિપોર્ટમાં એ બાબતનો પણ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે કે દેશમાં ગરીબ લોકો તેમની આવકના પ્રમાણમાં સૌથી વધુ ટેક્સ ચૂંકવે છે. અમીરોની તુલનામાં તેમને જરૂરી ચીજો અને સર્વિસ પર વધુ ખર્ચ કરવો પડે છે અને તેના પર તે મોટા પ્રમાણમાં જીએસટી ચૂકવે છે. રિપોર્ટમાં દેશના અમિરોને ટેક્સમાં યોગદાન વધારવાની હિમાયત કરવામાં આવી છે. 


અબજોપતિઓ પર  2% ટકા જેટલો lump sum tax લગાવો


સર્વાઈવલ ઓફ ધ રિચેસ્ટ નામના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો ભારત દેશના અબજોપતિઓની  કુલ સંપત્તી પર 2 ટકા જેટલો પણ લમસમ  ટેક્સ લગાવે તો પણ કુપોષણના શિકાર લોકોને પુરતુ પોષણ આપી શકાય છે. આ 2 ટકા ટેક્સ દ્વારા 40,423 કરોડ રૂપિયા એકઠા કરી શકાય છે. દેશના 10 ટકા સૌથી અમિર લોકો પર 5 ટકા જેટલો વન ટાઈમ ટેક્સ લગાવવામાં આવે તો 1.37 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરી શકાય છે. આ રકમ નાણાકિય વર્ષ 2022-23 માટે ભારત સરકારના આરોગ્ય મંત્રાલય પરિવાર કલ્યાણ મંત્રાલય અને આયુષ મંત્રાલયના કુલ બજેટમાં દોઢગણાથી પણ વધુ છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.