મોદી દેશમાં પ્રમુખ આધારિત શાસન વ્યવસ્થા લાવવા માંગે: પી ચિદમ્બરમ


  • Published By :
  • Published Date : 2022-11-06 20:08:42

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે પીએમ મોદી પર આરોપ લગાવ્યો હતો કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતવિસ્તાર આધારિત સંસદીય લોકશાહીના આધારને જ નબળો પાડી રહ્યા છે. તેમણે કહ્યું. કે "RSS દેશમાં પ્રમુખ શાહી આધારિત શાસન લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેમાં બહુમતીવાદ તેના મુળીયા જમાવી દે છે." 


મોદીએ હિમાચલમાં ઉમેદવારને ભૂલીને કમળને મત આપવાની કરી અપીલ


ચિદમ્બરમની આ ટિપ્પણી હિમાચલ પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોલન રેલી પછી આવી છે. જેમાં મોદીએ કહ્યું હતું કે તેઓ કમળના ફૂલને સમર્થન આપે, તેમનો મત મારા માટે આશીર્વાદ બની રહેશે. પીએમ મોદીએ કહ્યું હતું કે, લોકોને પરવા કરવાની જરૂર નથી કે ઉમેદવાર કોણ છે? તમારે ફક્ત કમળ યાદ રાખવાનું છે. હું તમારી પાસે કમળ લઈને આવ્યો છું. જ્યારે તમે વોટ કરવા જાઓ અને કમળ જુઓ ત્યારે તમને ખબર હોવી જોઈએ કે ભાજપ અને મોદી તમારી પાસે આવી ગયા છે. કમલ માટે તમારો દરેક વોટ મોદી માટે આશીર્વાદ બની રહેશે.


સંસદીય ચર્ચાઓ અને મીડિયાથી દુર રહે છે મોદી 


ચિદમ્બરમે કહ્યું કે, વડાપ્રધાન મતદારોને કહી રહ્યા છે કે તેમને મતવિસ્તારના ઉમેદવારનું નામ યાદ રાખવાની જરૂર નથી. કમલને જ વોટ આપો, મોદીને વોટ આપો. ચિદમ્બરમે કહ્યું કે, સંસદીય ચર્ચાઓ અને મીડિયા પ્રેસ કોન્ફરન્સથી દૂર રહીને પીએમ મોદી દેશમાં રાષ્ટ્રપતિ આધારિત સત્તા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે