મોદી દેશમાં પ્રમુખ આધારિત શાસન વ્યવસ્થા લાવવા માંગે: પી ચિદમ્બરમ


  • Published By :
  • Published Date : 2022-11-06 20:08:42

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે પીએમ મોદી પર આરોપ લગાવ્યો હતો કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતવિસ્તાર આધારિત સંસદીય લોકશાહીના આધારને જ નબળો પાડી રહ્યા છે. તેમણે કહ્યું. કે "RSS દેશમાં પ્રમુખ શાહી આધારિત શાસન લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેમાં બહુમતીવાદ તેના મુળીયા જમાવી દે છે." 


મોદીએ હિમાચલમાં ઉમેદવારને ભૂલીને કમળને મત આપવાની કરી અપીલ


ચિદમ્બરમની આ ટિપ્પણી હિમાચલ પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોલન રેલી પછી આવી છે. જેમાં મોદીએ કહ્યું હતું કે તેઓ કમળના ફૂલને સમર્થન આપે, તેમનો મત મારા માટે આશીર્વાદ બની રહેશે. પીએમ મોદીએ કહ્યું હતું કે, લોકોને પરવા કરવાની જરૂર નથી કે ઉમેદવાર કોણ છે? તમારે ફક્ત કમળ યાદ રાખવાનું છે. હું તમારી પાસે કમળ લઈને આવ્યો છું. જ્યારે તમે વોટ કરવા જાઓ અને કમળ જુઓ ત્યારે તમને ખબર હોવી જોઈએ કે ભાજપ અને મોદી તમારી પાસે આવી ગયા છે. કમલ માટે તમારો દરેક વોટ મોદી માટે આશીર્વાદ બની રહેશે.


સંસદીય ચર્ચાઓ અને મીડિયાથી દુર રહે છે મોદી 


ચિદમ્બરમે કહ્યું કે, વડાપ્રધાન મતદારોને કહી રહ્યા છે કે તેમને મતવિસ્તારના ઉમેદવારનું નામ યાદ રાખવાની જરૂર નથી. કમલને જ વોટ આપો, મોદીને વોટ આપો. ચિદમ્બરમે કહ્યું કે, સંસદીય ચર્ચાઓ અને મીડિયા પ્રેસ કોન્ફરન્સથી દૂર રહીને પીએમ મોદી દેશમાં રાષ્ટ્રપતિ આધારિત સત્તા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.