મોદી દેશમાં પ્રમુખ આધારિત શાસન વ્યવસ્થા લાવવા માંગે: પી ચિદમ્બરમ


  • Published By :
  • Published Date : 2022-11-06 20:08:42

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે પીએમ મોદી પર આરોપ લગાવ્યો હતો કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતવિસ્તાર આધારિત સંસદીય લોકશાહીના આધારને જ નબળો પાડી રહ્યા છે. તેમણે કહ્યું. કે "RSS દેશમાં પ્રમુખ શાહી આધારિત શાસન લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેમાં બહુમતીવાદ તેના મુળીયા જમાવી દે છે." 


મોદીએ હિમાચલમાં ઉમેદવારને ભૂલીને કમળને મત આપવાની કરી અપીલ


ચિદમ્બરમની આ ટિપ્પણી હિમાચલ પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોલન રેલી પછી આવી છે. જેમાં મોદીએ કહ્યું હતું કે તેઓ કમળના ફૂલને સમર્થન આપે, તેમનો મત મારા માટે આશીર્વાદ બની રહેશે. પીએમ મોદીએ કહ્યું હતું કે, લોકોને પરવા કરવાની જરૂર નથી કે ઉમેદવાર કોણ છે? તમારે ફક્ત કમળ યાદ રાખવાનું છે. હું તમારી પાસે કમળ લઈને આવ્યો છું. જ્યારે તમે વોટ કરવા જાઓ અને કમળ જુઓ ત્યારે તમને ખબર હોવી જોઈએ કે ભાજપ અને મોદી તમારી પાસે આવી ગયા છે. કમલ માટે તમારો દરેક વોટ મોદી માટે આશીર્વાદ બની રહેશે.


સંસદીય ચર્ચાઓ અને મીડિયાથી દુર રહે છે મોદી 


ચિદમ્બરમે કહ્યું કે, વડાપ્રધાન મતદારોને કહી રહ્યા છે કે તેમને મતવિસ્તારના ઉમેદવારનું નામ યાદ રાખવાની જરૂર નથી. કમલને જ વોટ આપો, મોદીને વોટ આપો. ચિદમ્બરમે કહ્યું કે, સંસદીય ચર્ચાઓ અને મીડિયા પ્રેસ કોન્ફરન્સથી દૂર રહીને પીએમ મોદી દેશમાં રાષ્ટ્રપતિ આધારિત સત્તા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.