PAAS નેતા અલ્પેશ કથિરીયા કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2022-10-30 14:51:36

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટીઓમાં ભરતી મેળો થતો હોય તેવા દ્રશ્યો સામે આવતા રહે છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ચૂંટણી પ્રયારમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીએ આજે માસ્ટર સ્ટ્રોક માર્યો છે, PAAS નેતા અલ્પેશ કથિરીયા કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાઈ ગયા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથિરીયા જોડાતા આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં ફાયદો થશે. અલ્પેશ કથિરીયાની સાથે સાથે ધાર્મિક માલવીયા પણ આપમાં જોડાયા છે.

 

ગુજરાતની ચૂંટણીમાં પાટીદાર સમાજનો દબદબો જોવા મળે છે. એવું માનવામાં આવે છે પાટીદાર સમાજ જેની તરફ હોય છે તે પાર્ટીની સરકાર બનતી હોય છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથિરીયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. હવે તેમણે AAPનો ખેસ ધારણ કર્યો છે, ત્યારે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને પાટીદારોનું સમર્થન મળશે તેવું માનવામાં આવી રહ્યું છે.

સુરત સૌરાષ્ટ્રની તાસીર છે - અલ્પેશ

આપમાં જોડાયા બાદ અલ્પેશ કથિરીયાએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને યાદ કર્યા હતા. પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે જેટલો સંઘર્ષ મોટો, એટલી જીત શાનદાર. એવું કહેવાય છે કે સુરત સૌરાષ્ટ્રની તાસીર છે. જે સૌરાષ્ટ્રમાં થાય છે તે સુરતમાં પણ થાય છે. જે સુરતમાં અનાજ પહોંચાડે છે તે સૌરાષ્ટ્રની ભૂમિમાંથી જોડાવવાનું નક્કી કર્યું હતું. 2 રાજદ્રોહ સહિત 22 કેસો અમને મળ્યા છે. 2015થી આજ સુધી વિશિષ્ટ આંદોલન થયા. 7 વર્ષ સુધી જો કોઈ આંદોલન થયું તો પાટીદાર સમાજનું આંદોલન છે.

સ્ટોરી અપડેટ થઈ રહી છે....




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.