PAAS નેતા અલ્પેશ કથિરીયા કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2022-10-30 14:51:36

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટીઓમાં ભરતી મેળો થતો હોય તેવા દ્રશ્યો સામે આવતા રહે છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ચૂંટણી પ્રયારમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીએ આજે માસ્ટર સ્ટ્રોક માર્યો છે, PAAS નેતા અલ્પેશ કથિરીયા કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાઈ ગયા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથિરીયા જોડાતા આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં ફાયદો થશે. અલ્પેશ કથિરીયાની સાથે સાથે ધાર્મિક માલવીયા પણ આપમાં જોડાયા છે.

 

ગુજરાતની ચૂંટણીમાં પાટીદાર સમાજનો દબદબો જોવા મળે છે. એવું માનવામાં આવે છે પાટીદાર સમાજ જેની તરફ હોય છે તે પાર્ટીની સરકાર બનતી હોય છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથિરીયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. હવે તેમણે AAPનો ખેસ ધારણ કર્યો છે, ત્યારે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને પાટીદારોનું સમર્થન મળશે તેવું માનવામાં આવી રહ્યું છે.

સુરત સૌરાષ્ટ્રની તાસીર છે - અલ્પેશ

આપમાં જોડાયા બાદ અલ્પેશ કથિરીયાએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને યાદ કર્યા હતા. પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે જેટલો સંઘર્ષ મોટો, એટલી જીત શાનદાર. એવું કહેવાય છે કે સુરત સૌરાષ્ટ્રની તાસીર છે. જે સૌરાષ્ટ્રમાં થાય છે તે સુરતમાં પણ થાય છે. જે સુરતમાં અનાજ પહોંચાડે છે તે સૌરાષ્ટ્રની ભૂમિમાંથી જોડાવવાનું નક્કી કર્યું હતું. 2 રાજદ્રોહ સહિત 22 કેસો અમને મળ્યા છે. 2015થી આજ સુધી વિશિષ્ટ આંદોલન થયા. 7 વર્ષ સુધી જો કોઈ આંદોલન થયું તો પાટીદાર સમાજનું આંદોલન છે.

સ્ટોરી અપડેટ થઈ રહી છે....




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.