PAASના કન્વીનર દિનેશ બાંભણિયા મારામારીના કેસમાં નિર્દોષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 19:59:24

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના સભ્ય દિનેશ બાંભણિયાને કોર્ટે એક મારા મારીના કેસમાં મોટી રાહત આપી છે. 2014 -15ના મારામારીના કેસમાં પાસ નેતા દિનેશ બાંભણિયાને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા કર્યા છે. દિનેશ બાંભણિયા વિરુદ્ધ કમળાપુર મંડળીમાં મારામારીનો ગુનો નોંધાયો હતો. 


દિનેશ બાંભણિયા સામે આરોપ શું હતો?


પાટીદાર નેતા દિનેશ બાંભણિયા સામે પોતાના જ ગામ કમળાપુર મંડળીમાં 2015માં મારામારી કરી હોવાના આરોપ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મારામારીનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો જો કે કોર્ટે આજે દિનેશ બાંભણિયાને નિર્દોષ ઠેરવ્યા છે.


દિનેશ બાંભણિયાએ ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી


ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે PAASના કન્વીનર દિનેશ બાંભણિયા થોડા  દિવસ અગાઉ ટ્વિટ કરી પોતે ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજકીય માહોલ વચ્ચે પાટીદાર અગ્રણીયો દ્વારા 2015 અને 2017 સુધી જે આંદોલનો કરાયા તેને લઈને હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આથી PAASના પ્રાથમિક 25 નેતાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે. જેની સંખ્યામાં આગામી સમયમાં વધારો પણ થઇ શકે છે તેમ જણાવાયું હતું. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .