પાક આર્મી ચીફ અસીમ મુનીર કરશે ટ્રમ્પની સાથે લંચ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-18 15:43:16

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

 

 પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરએ અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આજના દિવસ માટે બ્રિફિંગ બહાર પાડ્યું છે. જે અંતર્ગત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાના સમય મુજબ બપોરે ૧ વાગ્યે સાથે લંચ લેશે. આ ખબર એવા સમયે આવી છે જયારે વ્હાઇટ હાઉસે એ ખબરને રદિયો આપ્યો હતો કે અસીમ મુનીર અમેરિકી સેનાના ૨૫૦માં સ્થાપના દિવસે આવવાના છે. જોકે હવે સત્તાવાર રીતે મુનીરનાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના લંચ માટેની જાહેરાત કરવામાં આવી છે.  થોડાક સમય પેહલા જયારે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ હતો , ત્યારે ખબર આવી હતી કે , અસીમ મુનીરને ૧૪મી જૂનના રોજ  અમેરિકાની સેનાની સ્થાપનાને ૨૫૦ વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે , પાકિસ્તાન ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને વોશિંગટન બોલાવવામાં આવ્યા છે. જોકે આ બાબતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્હાઇટ હાઉસની ખુબ જ આલોચના થઇ  આ પછી જે દિવસે આ કાર્યક્રમ હતો તે દિવસે આ ખબરનું ખંડન કરવામાં આવ્યું હતું. હાલમાં અસીમ મુનીર અમેરિકાના પ્રવાસે છે ત્યારે વૉશિન્ગટનના ફોર સીઝન્સ હોટેલમા રોકાયા છે , તેમણે વિદેશી પાકિસ્તાનીઓ અને ઇમરાન ખાનની પાર્ટી PTIના કાર્યકર્તાઓ દ્વારા વિરોધનો સામનો કરવો પડ્યો હતો . લોકોએ તેમની વિરુદ્ધમાં પ્રદર્શન કર્યું હતું . અસીમની વિરુદ્ધમાં લખવાંમાં આવ્યું હતું , શેમ ઓન યુ માસ મર્ડરર . ઇસ્લામાબાદ કાતિલના નારા લગાવ્યા હતા. આ પ્રદર્શનકારીઓમાં મોટાભાગના ઓવસસીઝ પાકિસ્તાનના લોકો હતા . આપને જણાવી દયિકે આશરે ૧૫ વર્ષ પછી કોઈ પાકિસ્તાની આર્મી જનરલ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને મળ્યા છે. 

Asim Munir - Wikipedia

હવે વાત કરીએ ભૂતકાળમાં ક્યા પાકિસ્તાની જનરલો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખોને મળેલા છે? ભૂતકાળમાં પાકિસ્તાનના બે ભૂતપૂર્વ લશ્કરી શાસક , મોહમ્મદ ઝિયા ઉલ હક અને પરવેઝ મુશર્રફ અમેરિકન રાષ્ટ્રપતિઓને મળેલા છે. વાત કરીએ જનરલ ઝિયા ઉલ હકની તો તે , અમેરિકાના બે રાષ્ટ્રપતિઓને ૧૯૮૦ના દાયકામાં મળેલા છે . જેમ કે , જિમ્મી કાર્ટર અને રોનાલ્ડ રિગંનને . તે વખતે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં USSR ને ઉખાડી ફેંકવા માટે ફ્રન્ટલાઈન સ્ટેટ હતું. જિયા ઉલ હકના સમયમાં પાકિસ્તાની મિલિટરી અને ઇન્ટેલિજન્સ સર્વિસીસએ CIA સાથે કામ કર્યું હતું. તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રીગને તો , ડિસેમ્બર ૧૯૮૨માં ઝિયા ઉલ હકનું જાહેરમાં સ્વાગત કર્યું હતું  વાત કરીએ જનરલ પરવેઝ મુશર્રફની , તેઓ માર્ચ ૨૦૦૦માં તત્કાલીન યુએસના પ્રમુખ બિલ ક્લિન્ટનને મળ્યા હતા . આ પછી પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશ ૨૦૦૬માં ઇસ્લામાબાદની મુલાકાતે આવ્યા ત્યારે તેઓ જનરલ પરવેઝ મુશર્રફને મળ્યા હતા. તે વખતે યુએસએ પાકિસ્તાનને ૧૦ બિલિયન ડોલરની લશ્કરી અને આર્થિક સહાય આપી હતી. વોશિંગટને પાકિસ્તાનને "મેજર NATO " અલાયનું બિરુદ આપ્યું હતું. આ પછી જનરલ કમાર જાવેદ બાજવા , જુલાઈ ૨૦૧૯માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા  કેમ કે તે વખતે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી નીકળવા માંગતું હતું . પણ તે સમયે જનરલ બાજવા પૂર્વ પાકિસ્તાની પીએમ ઇમરાન ખાન સાથે વૉશિન્ગટનની મુલાકાતે ગયા હતા. 





ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.