પાક આર્મી ચીફ અસીમ મુનીર કરશે ટ્રમ્પની સાથે લંચ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-18 15:43:16

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

 

 પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરએ અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આજના દિવસ માટે બ્રિફિંગ બહાર પાડ્યું છે. જે અંતર્ગત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાના સમય મુજબ બપોરે ૧ વાગ્યે સાથે લંચ લેશે. આ ખબર એવા સમયે આવી છે જયારે વ્હાઇટ હાઉસે એ ખબરને રદિયો આપ્યો હતો કે અસીમ મુનીર અમેરિકી સેનાના ૨૫૦માં સ્થાપના દિવસે આવવાના છે. જોકે હવે સત્તાવાર રીતે મુનીરનાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના લંચ માટેની જાહેરાત કરવામાં આવી છે.  થોડાક સમય પેહલા જયારે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ હતો , ત્યારે ખબર આવી હતી કે , અસીમ મુનીરને ૧૪મી જૂનના રોજ  અમેરિકાની સેનાની સ્થાપનાને ૨૫૦ વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે , પાકિસ્તાન ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને વોશિંગટન બોલાવવામાં આવ્યા છે. જોકે આ બાબતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્હાઇટ હાઉસની ખુબ જ આલોચના થઇ  આ પછી જે દિવસે આ કાર્યક્રમ હતો તે દિવસે આ ખબરનું ખંડન કરવામાં આવ્યું હતું. હાલમાં અસીમ મુનીર અમેરિકાના પ્રવાસે છે ત્યારે વૉશિન્ગટનના ફોર સીઝન્સ હોટેલમા રોકાયા છે , તેમણે વિદેશી પાકિસ્તાનીઓ અને ઇમરાન ખાનની પાર્ટી PTIના કાર્યકર્તાઓ દ્વારા વિરોધનો સામનો કરવો પડ્યો હતો . લોકોએ તેમની વિરુદ્ધમાં પ્રદર્શન કર્યું હતું . અસીમની વિરુદ્ધમાં લખવાંમાં આવ્યું હતું , શેમ ઓન યુ માસ મર્ડરર . ઇસ્લામાબાદ કાતિલના નારા લગાવ્યા હતા. આ પ્રદર્શનકારીઓમાં મોટાભાગના ઓવસસીઝ પાકિસ્તાનના લોકો હતા . આપને જણાવી દયિકે આશરે ૧૫ વર્ષ પછી કોઈ પાકિસ્તાની આર્મી જનરલ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને મળ્યા છે. 

Asim Munir - Wikipedia

હવે વાત કરીએ ભૂતકાળમાં ક્યા પાકિસ્તાની જનરલો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખોને મળેલા છે? ભૂતકાળમાં પાકિસ્તાનના બે ભૂતપૂર્વ લશ્કરી શાસક , મોહમ્મદ ઝિયા ઉલ હક અને પરવેઝ મુશર્રફ અમેરિકન રાષ્ટ્રપતિઓને મળેલા છે. વાત કરીએ જનરલ ઝિયા ઉલ હકની તો તે , અમેરિકાના બે રાષ્ટ્રપતિઓને ૧૯૮૦ના દાયકામાં મળેલા છે . જેમ કે , જિમ્મી કાર્ટર અને રોનાલ્ડ રિગંનને . તે વખતે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં USSR ને ઉખાડી ફેંકવા માટે ફ્રન્ટલાઈન સ્ટેટ હતું. જિયા ઉલ હકના સમયમાં પાકિસ્તાની મિલિટરી અને ઇન્ટેલિજન્સ સર્વિસીસએ CIA સાથે કામ કર્યું હતું. તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રીગને તો , ડિસેમ્બર ૧૯૮૨માં ઝિયા ઉલ હકનું જાહેરમાં સ્વાગત કર્યું હતું  વાત કરીએ જનરલ પરવેઝ મુશર્રફની , તેઓ માર્ચ ૨૦૦૦માં તત્કાલીન યુએસના પ્રમુખ બિલ ક્લિન્ટનને મળ્યા હતા . આ પછી પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશ ૨૦૦૬માં ઇસ્લામાબાદની મુલાકાતે આવ્યા ત્યારે તેઓ જનરલ પરવેઝ મુશર્રફને મળ્યા હતા. તે વખતે યુએસએ પાકિસ્તાનને ૧૦ બિલિયન ડોલરની લશ્કરી અને આર્થિક સહાય આપી હતી. વોશિંગટને પાકિસ્તાનને "મેજર NATO " અલાયનું બિરુદ આપ્યું હતું. આ પછી જનરલ કમાર જાવેદ બાજવા , જુલાઈ ૨૦૧૯માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા  કેમ કે તે વખતે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી નીકળવા માંગતું હતું . પણ તે સમયે જનરલ બાજવા પૂર્વ પાકિસ્તાની પીએમ ઇમરાન ખાન સાથે વૉશિન્ગટનની મુલાકાતે ગયા હતા. 





જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે