પાક આર્મી ચીફ અસીમ મુનીર કરશે ટ્રમ્પની સાથે લંચ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-18 15:43:16

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

 

 પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરએ અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આજના દિવસ માટે બ્રિફિંગ બહાર પાડ્યું છે. જે અંતર્ગત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાના સમય મુજબ બપોરે ૧ વાગ્યે સાથે લંચ લેશે. આ ખબર એવા સમયે આવી છે જયારે વ્હાઇટ હાઉસે એ ખબરને રદિયો આપ્યો હતો કે અસીમ મુનીર અમેરિકી સેનાના ૨૫૦માં સ્થાપના દિવસે આવવાના છે. જોકે હવે સત્તાવાર રીતે મુનીરનાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના લંચ માટેની જાહેરાત કરવામાં આવી છે.  થોડાક સમય પેહલા જયારે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ હતો , ત્યારે ખબર આવી હતી કે , અસીમ મુનીરને ૧૪મી જૂનના રોજ  અમેરિકાની સેનાની સ્થાપનાને ૨૫૦ વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે , પાકિસ્તાન ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને વોશિંગટન બોલાવવામાં આવ્યા છે. જોકે આ બાબતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્હાઇટ હાઉસની ખુબ જ આલોચના થઇ  આ પછી જે દિવસે આ કાર્યક્રમ હતો તે દિવસે આ ખબરનું ખંડન કરવામાં આવ્યું હતું. હાલમાં અસીમ મુનીર અમેરિકાના પ્રવાસે છે ત્યારે વૉશિન્ગટનના ફોર સીઝન્સ હોટેલમા રોકાયા છે , તેમણે વિદેશી પાકિસ્તાનીઓ અને ઇમરાન ખાનની પાર્ટી PTIના કાર્યકર્તાઓ દ્વારા વિરોધનો સામનો કરવો પડ્યો હતો . લોકોએ તેમની વિરુદ્ધમાં પ્રદર્શન કર્યું હતું . અસીમની વિરુદ્ધમાં લખવાંમાં આવ્યું હતું , શેમ ઓન યુ માસ મર્ડરર . ઇસ્લામાબાદ કાતિલના નારા લગાવ્યા હતા. આ પ્રદર્શનકારીઓમાં મોટાભાગના ઓવસસીઝ પાકિસ્તાનના લોકો હતા . આપને જણાવી દયિકે આશરે ૧૫ વર્ષ પછી કોઈ પાકિસ્તાની આર્મી જનરલ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને મળ્યા છે. 

Asim Munir - Wikipedia

હવે વાત કરીએ ભૂતકાળમાં ક્યા પાકિસ્તાની જનરલો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખોને મળેલા છે? ભૂતકાળમાં પાકિસ્તાનના બે ભૂતપૂર્વ લશ્કરી શાસક , મોહમ્મદ ઝિયા ઉલ હક અને પરવેઝ મુશર્રફ અમેરિકન રાષ્ટ્રપતિઓને મળેલા છે. વાત કરીએ જનરલ ઝિયા ઉલ હકની તો તે , અમેરિકાના બે રાષ્ટ્રપતિઓને ૧૯૮૦ના દાયકામાં મળેલા છે . જેમ કે , જિમ્મી કાર્ટર અને રોનાલ્ડ રિગંનને . તે વખતે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં USSR ને ઉખાડી ફેંકવા માટે ફ્રન્ટલાઈન સ્ટેટ હતું. જિયા ઉલ હકના સમયમાં પાકિસ્તાની મિલિટરી અને ઇન્ટેલિજન્સ સર્વિસીસએ CIA સાથે કામ કર્યું હતું. તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રીગને તો , ડિસેમ્બર ૧૯૮૨માં ઝિયા ઉલ હકનું જાહેરમાં સ્વાગત કર્યું હતું  વાત કરીએ જનરલ પરવેઝ મુશર્રફની , તેઓ માર્ચ ૨૦૦૦માં તત્કાલીન યુએસના પ્રમુખ બિલ ક્લિન્ટનને મળ્યા હતા . આ પછી પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશ ૨૦૦૬માં ઇસ્લામાબાદની મુલાકાતે આવ્યા ત્યારે તેઓ જનરલ પરવેઝ મુશર્રફને મળ્યા હતા. તે વખતે યુએસએ પાકિસ્તાનને ૧૦ બિલિયન ડોલરની લશ્કરી અને આર્થિક સહાય આપી હતી. વોશિંગટને પાકિસ્તાનને "મેજર NATO " અલાયનું બિરુદ આપ્યું હતું. આ પછી જનરલ કમાર જાવેદ બાજવા , જુલાઈ ૨૦૧૯માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા  કેમ કે તે વખતે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી નીકળવા માંગતું હતું . પણ તે સમયે જનરલ બાજવા પૂર્વ પાકિસ્તાની પીએમ ઇમરાન ખાન સાથે વૉશિન્ગટનની મુલાકાતે ગયા હતા. 





ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .