Pakistan - બિલાડીઓની કરાશે ભરતી! ઉંદરડાના ત્રાસથી છુટકારો મળે તે માટે ફાળવ્યા આટલા રૂપિયા! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-08-21 16:47:44

ઉંદરડાનો ત્રાસ ઘરમાં હોય તે સામાન્ય બાબત છે પરંતુ તેનો ત્રાસ સંસદમાં હોય તો! આ ત્રાસથી છૂટવા માટે સ્પેશિયલ બજેટ ફાળવવામાં આવે તો! ત્રાસથી મુક્તિ મેળવવા સંસદમાં બિલાડીઓની ભરતી કરવામાં આવે તો? આ વાંચીને તમને નવાઈ લાગી હશેને, કે આવું તો ના હોય.. પરંતુ આ વાત સાચી છે.. પાકિસ્તાનથી આવી ઘટના સામે આવી છે... પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની કૈપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ ઉંદરડા પકડવા માટે 12 લાખ પાકિસ્તાની રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે. 



ઉંદરડાથી મુક્તિ મેળવવા માટે ફાળવામાં આવ્યું સ્પેશિયલ બજેટ!

પાકિસ્તાન સામે અનેક પડકારો છે.. આર્થિક રીતે તે ખરાબ પરિસ્થિતિમાં હોય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. પરંતુ પાકિસ્તાનથી એવા સમાચાર સામે આવ્યા જે સાંભળી નવાઈ લાગે તેવા છે.. પાકિસ્તાની સંસદમાં ઉંદરડાના ત્રાસથી મુક્તિ મેળવવા સરકારે શિકારી બિલાડીઓને તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે.. ત્યાંના સ્થાનિક રિપોર્ટ અનુસાર આના માટે સ્પેશિયલ બજેટ પણ ફાળવવામાં આવ્યું છે.. સંસદમાં રહેલી ફાઈલોને ઉંદરડાને કારણે મોટા પાયે નુકસાન થતું હતું. અનેક ફાઈલોને કોતરી નાખી છે.. ગોપનીય ફાઈલોને પણ ઉંદરડાને કારણે નુકસાન પહોંચ્યું છે. ઉંદરડાનો ત્રાસ પાકિસ્તાનની સંસદમાં સતત વધી રહ્યો છે જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો તેવી વાત ત્યાંના સ્થાનિક મીડિયા દ્વારા કરવામાં આવી રહી છે. 



જ્યારે ફાઈલ મંગાવવામાં આવી તો ખબર પડી કે! 

મીડિયાના રિપોર્ટ અનુસાર જ્યારે કમિટીએ 2008નો રિપોર્ટ મંગાવ્યો, રિપોર્ટ કમિટી સામે પ્રસ્તુત પણ કરવામાં આવ્યો.. પરંતુ તે ફાઈલમાં રહેલા પેપરને ઉંદરડા ખાઈ ગયા હતા. ફાઈલમાં સબૂતો હતા જ નહીં.. ઉંદરડાનો ત્રાસ એટલા બધો વધી ગયો કે વર્ષ માટે 12 લાખ પાકિસ્તાની રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. અંદાજીત 3 લાખ 63 હજાર ભારતીય રૂપિયા થઈ શકે છે. આ બજેટ એટલા માટે ફાળવવામાં આવ્યું કે ફાઈલોને ઉંદરડાથી બચાવવામાં આવે... એવી માહિતી પણ સામે આવી છે કે ઉંદરડા રાતના સમયે નુકસાન કરે છે.


ઉંદરડાથી મુક્તિ મેળવવા કરાયો આ પ્રયત્ન!

મીડિયા રિપોર્ટ અનુસાર ઉંદરડાથી મુક્તિ મળે તે માટે કંપનીઓને બોલાવવામાં આવી છે. રોજે કામ કરતા લોકો તો ઉંદરડાથી ડરતા નથી પરંતુ જો કોઈ બીજું વ્યક્તિ જોઈ જાય તો તે ડરી જાય...!  જાહેરાતો બહાર પાડવામાં આવી છે.  ત્યારે આને લઈ તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..         



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.