Pakistan - બિલાડીઓની કરાશે ભરતી! ઉંદરડાના ત્રાસથી છુટકારો મળે તે માટે ફાળવ્યા આટલા રૂપિયા! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-08-21 16:47:44

ઉંદરડાનો ત્રાસ ઘરમાં હોય તે સામાન્ય બાબત છે પરંતુ તેનો ત્રાસ સંસદમાં હોય તો! આ ત્રાસથી છૂટવા માટે સ્પેશિયલ બજેટ ફાળવવામાં આવે તો! ત્રાસથી મુક્તિ મેળવવા સંસદમાં બિલાડીઓની ભરતી કરવામાં આવે તો? આ વાંચીને તમને નવાઈ લાગી હશેને, કે આવું તો ના હોય.. પરંતુ આ વાત સાચી છે.. પાકિસ્તાનથી આવી ઘટના સામે આવી છે... પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની કૈપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ ઉંદરડા પકડવા માટે 12 લાખ પાકિસ્તાની રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે. 



ઉંદરડાથી મુક્તિ મેળવવા માટે ફાળવામાં આવ્યું સ્પેશિયલ બજેટ!

પાકિસ્તાન સામે અનેક પડકારો છે.. આર્થિક રીતે તે ખરાબ પરિસ્થિતિમાં હોય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. પરંતુ પાકિસ્તાનથી એવા સમાચાર સામે આવ્યા જે સાંભળી નવાઈ લાગે તેવા છે.. પાકિસ્તાની સંસદમાં ઉંદરડાના ત્રાસથી મુક્તિ મેળવવા સરકારે શિકારી બિલાડીઓને તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે.. ત્યાંના સ્થાનિક રિપોર્ટ અનુસાર આના માટે સ્પેશિયલ બજેટ પણ ફાળવવામાં આવ્યું છે.. સંસદમાં રહેલી ફાઈલોને ઉંદરડાને કારણે મોટા પાયે નુકસાન થતું હતું. અનેક ફાઈલોને કોતરી નાખી છે.. ગોપનીય ફાઈલોને પણ ઉંદરડાને કારણે નુકસાન પહોંચ્યું છે. ઉંદરડાનો ત્રાસ પાકિસ્તાનની સંસદમાં સતત વધી રહ્યો છે જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો તેવી વાત ત્યાંના સ્થાનિક મીડિયા દ્વારા કરવામાં આવી રહી છે. 



જ્યારે ફાઈલ મંગાવવામાં આવી તો ખબર પડી કે! 

મીડિયાના રિપોર્ટ અનુસાર જ્યારે કમિટીએ 2008નો રિપોર્ટ મંગાવ્યો, રિપોર્ટ કમિટી સામે પ્રસ્તુત પણ કરવામાં આવ્યો.. પરંતુ તે ફાઈલમાં રહેલા પેપરને ઉંદરડા ખાઈ ગયા હતા. ફાઈલમાં સબૂતો હતા જ નહીં.. ઉંદરડાનો ત્રાસ એટલા બધો વધી ગયો કે વર્ષ માટે 12 લાખ પાકિસ્તાની રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. અંદાજીત 3 લાખ 63 હજાર ભારતીય રૂપિયા થઈ શકે છે. આ બજેટ એટલા માટે ફાળવવામાં આવ્યું કે ફાઈલોને ઉંદરડાથી બચાવવામાં આવે... એવી માહિતી પણ સામે આવી છે કે ઉંદરડા રાતના સમયે નુકસાન કરે છે.


ઉંદરડાથી મુક્તિ મેળવવા કરાયો આ પ્રયત્ન!

મીડિયા રિપોર્ટ અનુસાર ઉંદરડાથી મુક્તિ મળે તે માટે કંપનીઓને બોલાવવામાં આવી છે. રોજે કામ કરતા લોકો તો ઉંદરડાથી ડરતા નથી પરંતુ જો કોઈ બીજું વ્યક્તિ જોઈ જાય તો તે ડરી જાય...!  જાહેરાતો બહાર પાડવામાં આવી છે.  ત્યારે આને લઈ તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..         



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.