Pakistan - બિલાડીઓની કરાશે ભરતી! ઉંદરડાના ત્રાસથી છુટકારો મળે તે માટે ફાળવ્યા આટલા રૂપિયા! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-08-21 16:47:44

ઉંદરડાનો ત્રાસ ઘરમાં હોય તે સામાન્ય બાબત છે પરંતુ તેનો ત્રાસ સંસદમાં હોય તો! આ ત્રાસથી છૂટવા માટે સ્પેશિયલ બજેટ ફાળવવામાં આવે તો! ત્રાસથી મુક્તિ મેળવવા સંસદમાં બિલાડીઓની ભરતી કરવામાં આવે તો? આ વાંચીને તમને નવાઈ લાગી હશેને, કે આવું તો ના હોય.. પરંતુ આ વાત સાચી છે.. પાકિસ્તાનથી આવી ઘટના સામે આવી છે... પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની કૈપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ ઉંદરડા પકડવા માટે 12 લાખ પાકિસ્તાની રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે. 



ઉંદરડાથી મુક્તિ મેળવવા માટે ફાળવામાં આવ્યું સ્પેશિયલ બજેટ!

પાકિસ્તાન સામે અનેક પડકારો છે.. આર્થિક રીતે તે ખરાબ પરિસ્થિતિમાં હોય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. પરંતુ પાકિસ્તાનથી એવા સમાચાર સામે આવ્યા જે સાંભળી નવાઈ લાગે તેવા છે.. પાકિસ્તાની સંસદમાં ઉંદરડાના ત્રાસથી મુક્તિ મેળવવા સરકારે શિકારી બિલાડીઓને તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે.. ત્યાંના સ્થાનિક રિપોર્ટ અનુસાર આના માટે સ્પેશિયલ બજેટ પણ ફાળવવામાં આવ્યું છે.. સંસદમાં રહેલી ફાઈલોને ઉંદરડાને કારણે મોટા પાયે નુકસાન થતું હતું. અનેક ફાઈલોને કોતરી નાખી છે.. ગોપનીય ફાઈલોને પણ ઉંદરડાને કારણે નુકસાન પહોંચ્યું છે. ઉંદરડાનો ત્રાસ પાકિસ્તાનની સંસદમાં સતત વધી રહ્યો છે જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો તેવી વાત ત્યાંના સ્થાનિક મીડિયા દ્વારા કરવામાં આવી રહી છે. 



જ્યારે ફાઈલ મંગાવવામાં આવી તો ખબર પડી કે! 

મીડિયાના રિપોર્ટ અનુસાર જ્યારે કમિટીએ 2008નો રિપોર્ટ મંગાવ્યો, રિપોર્ટ કમિટી સામે પ્રસ્તુત પણ કરવામાં આવ્યો.. પરંતુ તે ફાઈલમાં રહેલા પેપરને ઉંદરડા ખાઈ ગયા હતા. ફાઈલમાં સબૂતો હતા જ નહીં.. ઉંદરડાનો ત્રાસ એટલા બધો વધી ગયો કે વર્ષ માટે 12 લાખ પાકિસ્તાની રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. અંદાજીત 3 લાખ 63 હજાર ભારતીય રૂપિયા થઈ શકે છે. આ બજેટ એટલા માટે ફાળવવામાં આવ્યું કે ફાઈલોને ઉંદરડાથી બચાવવામાં આવે... એવી માહિતી પણ સામે આવી છે કે ઉંદરડા રાતના સમયે નુકસાન કરે છે.


ઉંદરડાથી મુક્તિ મેળવવા કરાયો આ પ્રયત્ન!

મીડિયા રિપોર્ટ અનુસાર ઉંદરડાથી મુક્તિ મળે તે માટે કંપનીઓને બોલાવવામાં આવી છે. રોજે કામ કરતા લોકો તો ઉંદરડાથી ડરતા નથી પરંતુ જો કોઈ બીજું વ્યક્તિ જોઈ જાય તો તે ડરી જાય...!  જાહેરાતો બહાર પાડવામાં આવી છે.  ત્યારે આને લઈ તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..         



ઓપરેશન સિંદૂર પછી ભારતે પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડવા માટે ૭ મલ્ટીપાર્ટી ડેલિગેશન બનાવ્યા છે. આમાંથી એક ડેલિગેશન એટલેકે પ્રતિનિધિ મંડળ રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યું છે. પરંતુ આ પ્રતિનિધિ મંડળને લઈ જનારા વિમાનને મોસ્કો એરપોર્ટ પર લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી. કેમ કે યુક્રેને રશિયાના મોસ્કો એરપોર્ટ પર જોરદાર ડ્રોન હુમલો કર્યો હતો. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી .

અમેરિકામાં થોડાક સમય પેહલા જ , ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર. જીવલેણ હુમલો થયો છે. આ હુમલો વોશિંગટન ડીસીમાં જે જ્યુઈશ મ્યુઝિયમ આવેલું છે તેની નજીક આ હુમલો કરવામાં આવ્યો છે. આ બાબતે ત્યાંના મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટએ એક સસ્પેક્ટને કસ્ટડીમાં લીધો છે. પ્રાથમિક માહિતી એ સામે આવી છે કે આ હિંસક હુમલો ઈલિયાસ રોડ્રિગુએઝ દ્વારા કરવામાં આવ્યો છે. જયારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામની બૂમો પાડી હતી.

અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.