જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનનો અટકચાળો, અરનિયા સેક્ટરમાં પાક રેંજર્સે કર્યું સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 15:42:44

પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરતા જમ્મુ કાશ્મીર બોર્ડર પર ફાયરિંગ કર્યું છે, જમ્મુ કાશ્મીરના અરનિયા સેક્ટરમાં આજે મંગળવારે પાક રેંજર્સ તરફથી સીઝફાયરના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની રેન્જર્સે અરણિયા સેક્ટરમાં બીએસએફની પેટ્રોલિંગ પાર્ટી પર ફાયરિંગ કર્યું, જો કે કોઈ પણ ઘાયલ થયું ન હતું, ભારતીય સીમા સુરક્ષા દળના જવાનોએ પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો.


સીમા સુરક્ષા દળ જમ્મુના પીઆરઓએ જણાવ્યું છે કે, પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સીમા પર સંઘર્ષ વિરામ કરારનું ઉલ્લંઘન કર્યું, સીમા સુરક્ષા દળના જવાનો પર ગોળીબાર કર્યો હતો. આજે સવારે એલર્ટ બીએસએફ જમ્મુના જવાનોએ અરણિયા સેક્ટરમાં બીએસએફના દળ પર પાકિસ્તાની રેંજરો તરફથી કારણ વગરનું ફાયરિંગનો જવાબ આપ્યો હતો. જો કે, આ ફાયરિંગની ઘટનામાં બીએસએફના જવાનોને કોઈ નુકસાન કે ઘાયલ થવાના સમાચાર નથી.


બંને  દેશ વચ્ચે ગત વર્ષે ફેબ્રુઆરીમાં થયો હતો કરાર


બીએસએફે નિવેદન જારી કરીને કહ્યું કે, 25 ફેબ્રુઆરી 2021ના રોજ બંને દેશ વચ્ચે સીઝફાયરને લઈને કરાર થયા હતા. પણ આજે પાકિસ્તાન તરફથી અરણિયા સેક્ટરમાં સીઝફાયર તોડવામાં આવ્યું, જેનો બીએસએફે જડબાતોડ જવાબ આપ્યો છે.



પીએમ મોદી આવતી કાલે ઉમેદવારી ફોર્મ ભરશે વારાણસી લોકસભા બેઠક પરથી... વારાણસી બેઠકથી છેલ્લી બે ટર્મથી પીએમ મોદી ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે આ વખતે પણ આ બેઠક પરથી તે ચૂંટણી લડવાના છે..ઉમેદવારી ફોર્મ ભરવા જતી પહેલા આજે પીએમ મોદી ભવ્ય રોડ શો કરવાના છે...

નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..