જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનનો અટકચાળો, અરનિયા સેક્ટરમાં પાક રેંજર્સે કર્યું સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 15:42:44

પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરતા જમ્મુ કાશ્મીર બોર્ડર પર ફાયરિંગ કર્યું છે, જમ્મુ કાશ્મીરના અરનિયા સેક્ટરમાં આજે મંગળવારે પાક રેંજર્સ તરફથી સીઝફાયરના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની રેન્જર્સે અરણિયા સેક્ટરમાં બીએસએફની પેટ્રોલિંગ પાર્ટી પર ફાયરિંગ કર્યું, જો કે કોઈ પણ ઘાયલ થયું ન હતું, ભારતીય સીમા સુરક્ષા દળના જવાનોએ પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો.


સીમા સુરક્ષા દળ જમ્મુના પીઆરઓએ જણાવ્યું છે કે, પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સીમા પર સંઘર્ષ વિરામ કરારનું ઉલ્લંઘન કર્યું, સીમા સુરક્ષા દળના જવાનો પર ગોળીબાર કર્યો હતો. આજે સવારે એલર્ટ બીએસએફ જમ્મુના જવાનોએ અરણિયા સેક્ટરમાં બીએસએફના દળ પર પાકિસ્તાની રેંજરો તરફથી કારણ વગરનું ફાયરિંગનો જવાબ આપ્યો હતો. જો કે, આ ફાયરિંગની ઘટનામાં બીએસએફના જવાનોને કોઈ નુકસાન કે ઘાયલ થવાના સમાચાર નથી.


બંને  દેશ વચ્ચે ગત વર્ષે ફેબ્રુઆરીમાં થયો હતો કરાર


બીએસએફે નિવેદન જારી કરીને કહ્યું કે, 25 ફેબ્રુઆરી 2021ના રોજ બંને દેશ વચ્ચે સીઝફાયરને લઈને કરાર થયા હતા. પણ આજે પાકિસ્તાન તરફથી અરણિયા સેક્ટરમાં સીઝફાયર તોડવામાં આવ્યું, જેનો બીએસએફે જડબાતોડ જવાબ આપ્યો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.