પાકિસ્તાનમાં હવે દવાઓની અછત, માત્ર 7 દિવસ ચાલે તેટલો જ સ્ટોક, મેડિસિનના ભાવ આસમાને


  • Published By :
  • Published Date : 2023-02-07 12:59:28

આર્થિક નાદારીનો સામનો કરી રહેલું પાકિસ્તાન હવે જીવનરક્ષક દવાઓની તંગીથી ત્રસ્ત બન્યું છે. પાકિસ્તાનની દવા ઉત્પાદક કંપનીઓએ ધમકી આપી છે કે તે દવાઓનું ઉત્પાદન બંધ કરી દે છે. આ કંપનીઓએ કહ્યું છે કે રૂપિયાના મૂલ્યમાં ઐતિહાસિક ઘટાડો આવ્યો છે, તેના કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો છે. તેમણે કહ્યું કે 7 દિવસથી વધારાનો સ્ટોક હવે તેમની પાસે નથી. હવે વધુ દવાઓનું ઉત્પાદન અશક્ય છે. પાકિસ્તાનની 10 મોટી દવા કંપનીઓએ સ્વાસ્થ્ય મંત્રાલયને ચેતવણી આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે પાકિસ્તાનના રૂપિયાનું મુલ્ય 67 ટકા જેટલું ઘટી ગયું છે.

 

દવાની કિંમત વધારવાની માગ


પાકિસ્તાનના દવા ઉત્પાદકોએ માંગ કરી છે કે સરકાર દવાઓના ભાવ વધારે નહીં તેમણે ઉત્પાદન બંધ કરવું પડશે. દવાઓનો ઉત્પાદન ખર્ચ વધતા કંપનીઓ દવાઓના ભાવ વધારાની માગ કરી રહી છે. દવા કંપનીઓનું કહેવું છે કે દવાઓના ઉત્પાદન માટે જરૂરી એપીઆઈની કિંમતો અને પેકેજિંગના સામાનના ભાવ વધતા વર્તમાન કિંમતે દવાઓનું વેચાણ કરવું શક્ય નથી.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.