પાકિસ્તાનમાં હવે દવાઓની અછત, માત્ર 7 દિવસ ચાલે તેટલો જ સ્ટોક, મેડિસિનના ભાવ આસમાને


  • Published By :
  • Published Date : 2023-02-07 12:59:28

આર્થિક નાદારીનો સામનો કરી રહેલું પાકિસ્તાન હવે જીવનરક્ષક દવાઓની તંગીથી ત્રસ્ત બન્યું છે. પાકિસ્તાનની દવા ઉત્પાદક કંપનીઓએ ધમકી આપી છે કે તે દવાઓનું ઉત્પાદન બંધ કરી દે છે. આ કંપનીઓએ કહ્યું છે કે રૂપિયાના મૂલ્યમાં ઐતિહાસિક ઘટાડો આવ્યો છે, તેના કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો છે. તેમણે કહ્યું કે 7 દિવસથી વધારાનો સ્ટોક હવે તેમની પાસે નથી. હવે વધુ દવાઓનું ઉત્પાદન અશક્ય છે. પાકિસ્તાનની 10 મોટી દવા કંપનીઓએ સ્વાસ્થ્ય મંત્રાલયને ચેતવણી આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે પાકિસ્તાનના રૂપિયાનું મુલ્ય 67 ટકા જેટલું ઘટી ગયું છે.

 

દવાની કિંમત વધારવાની માગ


પાકિસ્તાનના દવા ઉત્પાદકોએ માંગ કરી છે કે સરકાર દવાઓના ભાવ વધારે નહીં તેમણે ઉત્પાદન બંધ કરવું પડશે. દવાઓનો ઉત્પાદન ખર્ચ વધતા કંપનીઓ દવાઓના ભાવ વધારાની માગ કરી રહી છે. દવા કંપનીઓનું કહેવું છે કે દવાઓના ઉત્પાદન માટે જરૂરી એપીઆઈની કિંમતો અને પેકેજિંગના સામાનના ભાવ વધતા વર્તમાન કિંમતે દવાઓનું વેચાણ કરવું શક્ય નથી.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.