પાકિસ્તાનમાં હવે દવાઓની અછત, માત્ર 7 દિવસ ચાલે તેટલો જ સ્ટોક, મેડિસિનના ભાવ આસમાને


  • Published By :
  • Published Date : 2023-02-07 12:59:28

આર્થિક નાદારીનો સામનો કરી રહેલું પાકિસ્તાન હવે જીવનરક્ષક દવાઓની તંગીથી ત્રસ્ત બન્યું છે. પાકિસ્તાનની દવા ઉત્પાદક કંપનીઓએ ધમકી આપી છે કે તે દવાઓનું ઉત્પાદન બંધ કરી દે છે. આ કંપનીઓએ કહ્યું છે કે રૂપિયાના મૂલ્યમાં ઐતિહાસિક ઘટાડો આવ્યો છે, તેના કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો છે. તેમણે કહ્યું કે 7 દિવસથી વધારાનો સ્ટોક હવે તેમની પાસે નથી. હવે વધુ દવાઓનું ઉત્પાદન અશક્ય છે. પાકિસ્તાનની 10 મોટી દવા કંપનીઓએ સ્વાસ્થ્ય મંત્રાલયને ચેતવણી આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે પાકિસ્તાનના રૂપિયાનું મુલ્ય 67 ટકા જેટલું ઘટી ગયું છે.

 

દવાની કિંમત વધારવાની માગ


પાકિસ્તાનના દવા ઉત્પાદકોએ માંગ કરી છે કે સરકાર દવાઓના ભાવ વધારે નહીં તેમણે ઉત્પાદન બંધ કરવું પડશે. દવાઓનો ઉત્પાદન ખર્ચ વધતા કંપનીઓ દવાઓના ભાવ વધારાની માગ કરી રહી છે. દવા કંપનીઓનું કહેવું છે કે દવાઓના ઉત્પાદન માટે જરૂરી એપીઆઈની કિંમતો અને પેકેજિંગના સામાનના ભાવ વધતા વર્તમાન કિંમતે દવાઓનું વેચાણ કરવું શક્ય નથી.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.