પાકિસ્તાનમાં હવે દવાઓની અછત, માત્ર 7 દિવસ ચાલે તેટલો જ સ્ટોક, મેડિસિનના ભાવ આસમાને


  • Published By :
  • Published Date : 2023-02-07 12:59:28

આર્થિક નાદારીનો સામનો કરી રહેલું પાકિસ્તાન હવે જીવનરક્ષક દવાઓની તંગીથી ત્રસ્ત બન્યું છે. પાકિસ્તાનની દવા ઉત્પાદક કંપનીઓએ ધમકી આપી છે કે તે દવાઓનું ઉત્પાદન બંધ કરી દે છે. આ કંપનીઓએ કહ્યું છે કે રૂપિયાના મૂલ્યમાં ઐતિહાસિક ઘટાડો આવ્યો છે, તેના કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો છે. તેમણે કહ્યું કે 7 દિવસથી વધારાનો સ્ટોક હવે તેમની પાસે નથી. હવે વધુ દવાઓનું ઉત્પાદન અશક્ય છે. પાકિસ્તાનની 10 મોટી દવા કંપનીઓએ સ્વાસ્થ્ય મંત્રાલયને ચેતવણી આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે પાકિસ્તાનના રૂપિયાનું મુલ્ય 67 ટકા જેટલું ઘટી ગયું છે.

 

દવાની કિંમત વધારવાની માગ


પાકિસ્તાનના દવા ઉત્પાદકોએ માંગ કરી છે કે સરકાર દવાઓના ભાવ વધારે નહીં તેમણે ઉત્પાદન બંધ કરવું પડશે. દવાઓનો ઉત્પાદન ખર્ચ વધતા કંપનીઓ દવાઓના ભાવ વધારાની માગ કરી રહી છે. દવા કંપનીઓનું કહેવું છે કે દવાઓના ઉત્પાદન માટે જરૂરી એપીઆઈની કિંમતો અને પેકેજિંગના સામાનના ભાવ વધતા વર્તમાન કિંમતે દવાઓનું વેચાણ કરવું શક્ય નથી.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે