પાકિસ્તાનની વસ્તી વધીને 25 કરોડ થઈ, 2.5 ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર, 6 વર્ષમાં જ 3.5 કરોડ લોકોનો વધારો


  • Published By :
  • Published Date : 2023-08-06 16:08:54

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં થયેલી વસ્તી ગણતરી આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા મુજબ પાકિસ્તાનમાં પાકિસ્તાનની વસ્તી વધીને  કરોડ થઈ ગઈ છે. દેશમાં છેલ્લા 6 વર્ષમાં જ 25 કરોડ લોકોનો વધારો થયો છે. ગરીબી, આર્થિક બેહાલી, બેકારી અને મોંઘવારી સહિતના પડકારોનો સામનો કરી રહેલી પાકિસ્તાનની શાહબાઝ શરીફની સરકાર માટે વધતી વસ્તી ચિંતાનો વિષય બની છે.


PM શરીફે ચિંતા વ્યક્ત કરી


પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે વધતી જન સંખ્યા પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 2.5 ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર આર્થિક તંગીવાળા રાષ્ટ્ર માટે "મોટો પડકાર" દર્શાવે છે. શરીફે કહ્યું, "પાકિસ્તાનનો વસ્તી વૃદ્ધિ દર પાકિસ્તાનની આર્થિક વૃદ્ધિ કરતા વધુ છે." શેહબાઝ શરીફની અધ્યક્ષતામાં 'કાઉન્સિલ ઓફ કોમન ઈન્ટરેસ્ટ' (CCI)ની બેઠકમાં આયોજન મંત્રાલયે જણાવ્યું કે પાકિસ્તાનની વસ્તી વધીને 24.01 કરોડ થઈ ગઈ છે. આ બેઠકમાં કેબિનેટ મંત્રીઓ, પ્રાંતીય મુખ્યમંત્રીઓ તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. બેઠકમાં હાજર રહેલા તમામ લોકોએ માર્ચ અને એપ્રિલમાં હાથ ધરાયેલી વસ્તી ગણતરીના પરિણામોને સર્વસંમતિથી મંજૂરી આપી હતી. વસ્તીગણતરી કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને ડેટા એકત્ર કરે છે, જ્યારે લોકો પાસે તેમના ઘરની વિગતો પણ ઓનલાઈન આપવાનો વિકલ્પ હતો.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.