પાકિસ્તાનની વસ્તી વધીને 25 કરોડ થઈ, 2.5 ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર, 6 વર્ષમાં જ 3.5 કરોડ લોકોનો વધારો


  • Published By :
  • Published Date : 2023-08-06 16:08:54

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં થયેલી વસ્તી ગણતરી આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા મુજબ પાકિસ્તાનમાં પાકિસ્તાનની વસ્તી વધીને  કરોડ થઈ ગઈ છે. દેશમાં છેલ્લા 6 વર્ષમાં જ 25 કરોડ લોકોનો વધારો થયો છે. ગરીબી, આર્થિક બેહાલી, બેકારી અને મોંઘવારી સહિતના પડકારોનો સામનો કરી રહેલી પાકિસ્તાનની શાહબાઝ શરીફની સરકાર માટે વધતી વસ્તી ચિંતાનો વિષય બની છે.


PM શરીફે ચિંતા વ્યક્ત કરી


પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે વધતી જન સંખ્યા પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 2.5 ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર આર્થિક તંગીવાળા રાષ્ટ્ર માટે "મોટો પડકાર" દર્શાવે છે. શરીફે કહ્યું, "પાકિસ્તાનનો વસ્તી વૃદ્ધિ દર પાકિસ્તાનની આર્થિક વૃદ્ધિ કરતા વધુ છે." શેહબાઝ શરીફની અધ્યક્ષતામાં 'કાઉન્સિલ ઓફ કોમન ઈન્ટરેસ્ટ' (CCI)ની બેઠકમાં આયોજન મંત્રાલયે જણાવ્યું કે પાકિસ્તાનની વસ્તી વધીને 24.01 કરોડ થઈ ગઈ છે. આ બેઠકમાં કેબિનેટ મંત્રીઓ, પ્રાંતીય મુખ્યમંત્રીઓ તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. બેઠકમાં હાજર રહેલા તમામ લોકોએ માર્ચ અને એપ્રિલમાં હાથ ધરાયેલી વસ્તી ગણતરીના પરિણામોને સર્વસંમતિથી મંજૂરી આપી હતી. વસ્તીગણતરી કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને ડેટા એકત્ર કરે છે, જ્યારે લોકો પાસે તેમના ઘરની વિગતો પણ ઓનલાઈન આપવાનો વિકલ્પ હતો.



ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.

નાયબ કલેકટર એચ ટી મકવાણાએ હવે ચોટીલાની આસપાસ હોટેલોમાં જ્યાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો તેમની પર કડક કાર્યવાહી કરી છે. ચોટીલા આવતા યાત્રિકો અને નાગરિકોએ ફરિયાદ કરી હતી કે , આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. આ પછી આ હોટેલોની અચાનક તપાસ હાથ ધરવામાં આવી છે અને હવે આ હોટેલોને સીલ કરી દેવામાં આવી છે.

ગાંધીનગરમાં ચકચાર મચાવનારા બિલ્ડર પુત્રના કેસમાં એક નવા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં બિલ્ડરના પુત્રએ માત્ર લગ્નના ૧૨ થી ૧૩ દિવસની અંદર પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસને આ યુવકની અંતિમ ચિઠ્ઠી મળી આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આ અંતિમ પગલું ભર્યું હોવાની માહિતી સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. તો હવે પોલીસે આરોપીઓની સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરુ કરી છે.

ભારત તેની જરૂરિયાતનું 80% જેટલું ક્રૂડ ઓઇલ ઉપરાંત અન્ય હાઈડ્રોકાર્બન્સ જેમ કે, LPG અને અન્ય સંસાધનો બહારથી આયાત કરે છે. ગોવા ખાતે "ઇન્ડિયા એનર્જી વીક"ની ઉજવણી ચાલી રહી છે. જેમાં USના એક્ટિંગ કોન્સ્યુલ જનરલ માઈક સક્ર્યુડર દ્વારા ભારત અને US વચ્ચે ઉર્જા સહયોગને લઇને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત , બંને દેશોના ડેલિગેશન વચ્ચે ઉર્જા વ્યાપારના વધારા , આંતરમાળખાની મજબૂતી પર અને ટેકનોલોજીમાં સહયોગ વધારવા મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવી હતી.