પાકિસ્તાનની વસ્તી વધીને 25 કરોડ થઈ, 2.5 ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર, 6 વર્ષમાં જ 3.5 કરોડ લોકોનો વધારો


  • Published By :
  • Published Date : 2023-08-06 16:08:54

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં થયેલી વસ્તી ગણતરી આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા મુજબ પાકિસ્તાનમાં પાકિસ્તાનની વસ્તી વધીને  કરોડ થઈ ગઈ છે. દેશમાં છેલ્લા 6 વર્ષમાં જ 25 કરોડ લોકોનો વધારો થયો છે. ગરીબી, આર્થિક બેહાલી, બેકારી અને મોંઘવારી સહિતના પડકારોનો સામનો કરી રહેલી પાકિસ્તાનની શાહબાઝ શરીફની સરકાર માટે વધતી વસ્તી ચિંતાનો વિષય બની છે.


PM શરીફે ચિંતા વ્યક્ત કરી


પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે વધતી જન સંખ્યા પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 2.5 ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર આર્થિક તંગીવાળા રાષ્ટ્ર માટે "મોટો પડકાર" દર્શાવે છે. શરીફે કહ્યું, "પાકિસ્તાનનો વસ્તી વૃદ્ધિ દર પાકિસ્તાનની આર્થિક વૃદ્ધિ કરતા વધુ છે." શેહબાઝ શરીફની અધ્યક્ષતામાં 'કાઉન્સિલ ઓફ કોમન ઈન્ટરેસ્ટ' (CCI)ની બેઠકમાં આયોજન મંત્રાલયે જણાવ્યું કે પાકિસ્તાનની વસ્તી વધીને 24.01 કરોડ થઈ ગઈ છે. આ બેઠકમાં કેબિનેટ મંત્રીઓ, પ્રાંતીય મુખ્યમંત્રીઓ તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. બેઠકમાં હાજર રહેલા તમામ લોકોએ માર્ચ અને એપ્રિલમાં હાથ ધરાયેલી વસ્તી ગણતરીના પરિણામોને સર્વસંમતિથી મંજૂરી આપી હતી. વસ્તીગણતરી કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને ડેટા એકત્ર કરે છે, જ્યારે લોકો પાસે તેમના ઘરની વિગતો પણ ઓનલાઈન આપવાનો વિકલ્પ હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.