પાકિસ્તાનની વસ્તી વધીને 25 કરોડ થઈ, 2.5 ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર, 6 વર્ષમાં જ 3.5 કરોડ લોકોનો વધારો


  • Published By :
  • Published Date : 2023-08-06 16:08:54

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં થયેલી વસ્તી ગણતરી આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા મુજબ પાકિસ્તાનમાં પાકિસ્તાનની વસ્તી વધીને  કરોડ થઈ ગઈ છે. દેશમાં છેલ્લા 6 વર્ષમાં જ 25 કરોડ લોકોનો વધારો થયો છે. ગરીબી, આર્થિક બેહાલી, બેકારી અને મોંઘવારી સહિતના પડકારોનો સામનો કરી રહેલી પાકિસ્તાનની શાહબાઝ શરીફની સરકાર માટે વધતી વસ્તી ચિંતાનો વિષય બની છે.


PM શરીફે ચિંતા વ્યક્ત કરી


પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે વધતી જન સંખ્યા પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 2.5 ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર આર્થિક તંગીવાળા રાષ્ટ્ર માટે "મોટો પડકાર" દર્શાવે છે. શરીફે કહ્યું, "પાકિસ્તાનનો વસ્તી વૃદ્ધિ દર પાકિસ્તાનની આર્થિક વૃદ્ધિ કરતા વધુ છે." શેહબાઝ શરીફની અધ્યક્ષતામાં 'કાઉન્સિલ ઓફ કોમન ઈન્ટરેસ્ટ' (CCI)ની બેઠકમાં આયોજન મંત્રાલયે જણાવ્યું કે પાકિસ્તાનની વસ્તી વધીને 24.01 કરોડ થઈ ગઈ છે. આ બેઠકમાં કેબિનેટ મંત્રીઓ, પ્રાંતીય મુખ્યમંત્રીઓ તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. બેઠકમાં હાજર રહેલા તમામ લોકોએ માર્ચ અને એપ્રિલમાં હાથ ધરાયેલી વસ્તી ગણતરીના પરિણામોને સર્વસંમતિથી મંજૂરી આપી હતી. વસ્તીગણતરી કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને ડેટા એકત્ર કરે છે, જ્યારે લોકો પાસે તેમના ઘરની વિગતો પણ ઓનલાઈન આપવાનો વિકલ્પ હતો.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.