પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ત્રીજી વખત કોરોનની ઝપેટમાં આવ્યા


  • Published By :
  • Published Date : 2022-11-15 15:24:44

શાહબાઝ શરીફ કોરોના સંક્રમિત થયા 
અગાવ બે વખત કોરોનની ઝપેટમાં આવી ચુક્યા છે "શરીફ"
આ વાતની પુષ્ટિ પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે ટ્વિટર દ્વારા કરી હતી

Pakistan's Opposition leader Shahbaz Sharif arrested in money laundering  case | Deccan Herald

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. આ વાતની પુષ્ટિ પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે ટ્વિટર દ્વારા કરી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન છેલ્લા બે દિવસથી અસ્વસ્થ અનુભવી રહ્યા હતા. ડોક્ટરોની સલાહ પર તેમની કોરોનાની તપાસ કરવામાં આવી, ત્યારબાદ તેમનામાં સંક્રમણની પુષ્ટિ થઈ. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ વડા પ્રધાનના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરે.


તમને જણાવી દઈએ કે, આ ત્રીજી વખત છે જ્યારે શાહબાઝ શરીફ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. આ પહેલા આ વર્ષે જાન્યુઆરી અને જૂન 2020માં પણ તેને કોરોના સંક્રમિત થયો હતો.


એક દિવસ પહેલા વિદેશ પ્રવાસેથી પરત ફર્યા હતા

તમને જણાવી દઈએ કે, શાહબાઝ શરીફ એક દિવસ પહેલા જ લંડનની મુલાકાત લઈને પાકિસ્તાન પરત ફર્યા હતા. શરીફ પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, PM શહેબાઝને શનિવારે એરપોર્ટ જતા પહેલા તાવ આવ્યો હતો, જેના પગલે તેમણે રવિવારની મુલાકાત મુલતવી રાખી હતી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.