રાહુલ ગાંધીની હાજરીમાં લાગ્યા પાકિસ્તાન જીંદાબાદના નારા, કોંગ્રેસે વીડિયોને Fake ગણાવ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-25 18:04:11

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. હાલ આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. મધ્યપ્રદેશમાં આ યાત્રા સાથે વિવાદ જોડાઈ ગયો છે. મધ્યપ્રદેશ ભાજપના મીડિયા પ્રભારીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા હતા. આ વીડિયો વાયરલ થતા ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. શિવરાજસિંહ ચૌહાણે પણ ટ્વિટ કરી પોતાની પ્રક્રિયા આપી છે. જ્યારે કોંગ્રેસે આ ટ્વિટરને ખોટો ગણાવ્યો છે.

પાકિસ્તાન જીંદાબાદના લાગ્યા નારા 

ભારત જોડો યાત્રા પર અનેક વખત ભાજપ દ્વારા શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીની આ યાત્રા પર રાજનીતિ ગરમાઈ છે. ભાજપના એક નેતા દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો જેમાં એવું બતાવવામાં આવ્યું છે કે ભારત જોડો યાત્રામાં ખુલ્લેઆમ પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા હતા. તેમના કહેવા પ્રમાણે કોંગ્રેસે પોતાના ઓફિશીયલ ટ્વિટર અકાઉન્ટ પરથી આ વીડિયો ડિલીટ કરી દીધો છે.

 

શિવરાજસિંહ ચૌહાણે આપી પોતાની પ્રતિક્રિયા 

આ વાતને લઈ શિવરાજસિંહ ચૌહાણે પણ ટ્વિટ કરી હતી જેમાં તેમણે લખ્યું કે ભારત જોડો યાત્રામાં પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા છે, આ ભારત જોડવાની યાત્રા છે કે ભારતને તોડવા વાળાઓને જોડે લાવવાની યાત્રા છે. પાકિસ્તાન જીંદાબાદનો નારો લગાવવા વાળાને કોઈ પણ કિંમત પર છોડવામાં આવશે નહીં.

કોંગ્રેસે ભાજપ પર લગાવ્યા આરોપ

કોંગ્રેસે આ વીડિયોને લઈ ટ્વિટ કરી છે કે ભારત જોડો યાત્રાને મળી રહેલા જનસમર્થનને લઈ ભાજપ ડરી ગઈ છે. ભાજપે યાત્રાને બદનામ કરવા આ ફરજી વીડિયો ચલાવ્યો છે. આને લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમે ભાજપ દ્વારા કરવામાં આવતા આવા દાવપેચ માટે અમે તૈયાર છીએ. એમને જવાબ આપવામાં આવશે.  


ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે