રાહુલ ગાંધીની હાજરીમાં લાગ્યા પાકિસ્તાન જીંદાબાદના નારા, કોંગ્રેસે વીડિયોને Fake ગણાવ્યો


  • Published By :
  • Published Date : 2022-11-25 18:04:11

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. હાલ આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. મધ્યપ્રદેશમાં આ યાત્રા સાથે વિવાદ જોડાઈ ગયો છે. મધ્યપ્રદેશ ભાજપના મીડિયા પ્રભારીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા હતા. આ વીડિયો વાયરલ થતા ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. શિવરાજસિંહ ચૌહાણે પણ ટ્વિટ કરી પોતાની પ્રક્રિયા આપી છે. જ્યારે કોંગ્રેસે આ ટ્વિટરને ખોટો ગણાવ્યો છે.

પાકિસ્તાન જીંદાબાદના લાગ્યા નારા 

ભારત જોડો યાત્રા પર અનેક વખત ભાજપ દ્વારા શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીની આ યાત્રા પર રાજનીતિ ગરમાઈ છે. ભાજપના એક નેતા દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો જેમાં એવું બતાવવામાં આવ્યું છે કે ભારત જોડો યાત્રામાં ખુલ્લેઆમ પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા હતા. તેમના કહેવા પ્રમાણે કોંગ્રેસે પોતાના ઓફિશીયલ ટ્વિટર અકાઉન્ટ પરથી આ વીડિયો ડિલીટ કરી દીધો છે.

 

શિવરાજસિંહ ચૌહાણે આપી પોતાની પ્રતિક્રિયા 

આ વાતને લઈ શિવરાજસિંહ ચૌહાણે પણ ટ્વિટ કરી હતી જેમાં તેમણે લખ્યું કે ભારત જોડો યાત્રામાં પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા છે, આ ભારત જોડવાની યાત્રા છે કે ભારતને તોડવા વાળાઓને જોડે લાવવાની યાત્રા છે. પાકિસ્તાન જીંદાબાદનો નારો લગાવવા વાળાને કોઈ પણ કિંમત પર છોડવામાં આવશે નહીં.

કોંગ્રેસે ભાજપ પર લગાવ્યા આરોપ

કોંગ્રેસે આ વીડિયોને લઈ ટ્વિટ કરી છે કે ભારત જોડો યાત્રાને મળી રહેલા જનસમર્થનને લઈ ભાજપ ડરી ગઈ છે. ભાજપે યાત્રાને બદનામ કરવા આ ફરજી વીડિયો ચલાવ્યો છે. આને લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમે ભાજપ દ્વારા કરવામાં આવતા આવા દાવપેચ માટે અમે તૈયાર છીએ. એમને જવાબ આપવામાં આવશે.  


અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.