અમદાવાદથી જડપાયો પાકિસ્તાની જાસૂસ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 18:15:26

અમદાવાદથી જડપાયો પાકિસ્તાની જાસૂસ !!!!!

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને હાથ આજે એક જાસૂસ આવ્યો છે, આ વ્યક્તિ અહી થી સીમકાર્ડ ખરીદી પાકિસ્તાન મોકલતો હતો. આની મોડી રાતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધડપકડ કરવામાં આવી હતી. પોલીસને મળેલ બાતમી અનુસાર આ વ્યક્તિ પાકિસ્તાન ઇન્ટેલીજન્સ સાથે સંકળાયેલો હતો અને પૂછપરછમાં તેણે સ્વીકાર્યું છે કે તે સિમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતો. આરોપીનું નામ અબ્દુલ વહાબ પઠાણ સામે આવ્યું છે . અબ્દુલ 2019થી આ કામ કરતો હતો. વહાબ ત્રણથી ચાર વખત પાકિસ્તાન જઈને આવ્યો છે. આ કેસમાં આરોપી પાસેથી કુલ 10 જેટલા સીમકાર્ડ મળી આવ્યા છે.  

 

પોલીસના જણાવ્યા મુજબ આરોપી અબ્દુલ વહાબ પાકિસ્તાની જાસૂસના કોન્ટેકમાં પણ હતો ઉપરાંત વિઝા કઢાવવા માટે પાકિસ્તાન હાઈ કમિશન પાસે પણ તે ગયો હતો.  

 

પોલીસ તપાસ બાદ સામે આવશે કે આખરે આ વ્યક્તિ કયા કારણોથી સીમકાર્ડ પાકિસ્તાન મોકલતો હતો ? અને અન્ય કેટલા લોકો આના સાથે સંકળાયેલા છે ? 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે