અમદાવાદથી જડપાયો પાકિસ્તાની જાસૂસ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 18:15:26

અમદાવાદથી જડપાયો પાકિસ્તાની જાસૂસ !!!!!

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને હાથ આજે એક જાસૂસ આવ્યો છે, આ વ્યક્તિ અહી થી સીમકાર્ડ ખરીદી પાકિસ્તાન મોકલતો હતો. આની મોડી રાતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધડપકડ કરવામાં આવી હતી. પોલીસને મળેલ બાતમી અનુસાર આ વ્યક્તિ પાકિસ્તાન ઇન્ટેલીજન્સ સાથે સંકળાયેલો હતો અને પૂછપરછમાં તેણે સ્વીકાર્યું છે કે તે સિમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતો. આરોપીનું નામ અબ્દુલ વહાબ પઠાણ સામે આવ્યું છે . અબ્દુલ 2019થી આ કામ કરતો હતો. વહાબ ત્રણથી ચાર વખત પાકિસ્તાન જઈને આવ્યો છે. આ કેસમાં આરોપી પાસેથી કુલ 10 જેટલા સીમકાર્ડ મળી આવ્યા છે.  

 

પોલીસના જણાવ્યા મુજબ આરોપી અબ્દુલ વહાબ પાકિસ્તાની જાસૂસના કોન્ટેકમાં પણ હતો ઉપરાંત વિઝા કઢાવવા માટે પાકિસ્તાન હાઈ કમિશન પાસે પણ તે ગયો હતો.  

 

પોલીસ તપાસ બાદ સામે આવશે કે આખરે આ વ્યક્તિ કયા કારણોથી સીમકાર્ડ પાકિસ્તાન મોકલતો હતો ? અને અન્ય કેટલા લોકો આના સાથે સંકળાયેલા છે ? 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.