અમદાવાદથી જડપાયો પાકિસ્તાની જાસૂસ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 18:15:26

અમદાવાદથી જડપાયો પાકિસ્તાની જાસૂસ !!!!!

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને હાથ આજે એક જાસૂસ આવ્યો છે, આ વ્યક્તિ અહી થી સીમકાર્ડ ખરીદી પાકિસ્તાન મોકલતો હતો. આની મોડી રાતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધડપકડ કરવામાં આવી હતી. પોલીસને મળેલ બાતમી અનુસાર આ વ્યક્તિ પાકિસ્તાન ઇન્ટેલીજન્સ સાથે સંકળાયેલો હતો અને પૂછપરછમાં તેણે સ્વીકાર્યું છે કે તે સિમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતો. આરોપીનું નામ અબ્દુલ વહાબ પઠાણ સામે આવ્યું છે . અબ્દુલ 2019થી આ કામ કરતો હતો. વહાબ ત્રણથી ચાર વખત પાકિસ્તાન જઈને આવ્યો છે. આ કેસમાં આરોપી પાસેથી કુલ 10 જેટલા સીમકાર્ડ મળી આવ્યા છે.  

 

પોલીસના જણાવ્યા મુજબ આરોપી અબ્દુલ વહાબ પાકિસ્તાની જાસૂસના કોન્ટેકમાં પણ હતો ઉપરાંત વિઝા કઢાવવા માટે પાકિસ્તાન હાઈ કમિશન પાસે પણ તે ગયો હતો.  

 

પોલીસ તપાસ બાદ સામે આવશે કે આખરે આ વ્યક્તિ કયા કારણોથી સીમકાર્ડ પાકિસ્તાન મોકલતો હતો ? અને અન્ય કેટલા લોકો આના સાથે સંકળાયેલા છે ? 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .