મોરબી ઈફેકટ: સરકાર મોડે-મોડે જાગી, પાલ્લા-વૌંઠાના મેળામાં ચગડોળો બંધ રાખવાનો હુકમ


  • Published By :
  • Published Date : 2022-11-07 20:14:20

મોરબીની બ્રિજ દુર્ઘટના બાદ સરકાર સતર્ક બની છે. સરકારના માથે ચૂંટણી હોવાથી હાલ કોઈ પણ પ્રકારનું જોખમ ખેડવા તૈયાર નથી. જો કે આ મોરબી કરૂણાંતિકાની અસર સુપ્રસિદ્ધ પાલ્લા વૌંઠાના લોકમેળામાં પણ જોવા મળી છે. સ્થાનિક વહીવટી તંત્રએ મેળામાં કોઈ પણ પ્રકારની હોનારત ન સર્જાય તે માટે મેળાની ઓળખસમાં ચગડોળો બંધ રાખવાનો આદેશ કર્યો છે.


મેળામાં ચગડોળો બંધ હોવાથી લોકો નિરાશ 


ગુજરાતમાં તરણેતરના મેળા બાદ પાલ્લા વૌંઠાનો આ મેળો રાજ્યનો બીજો સૌથી મોટો મેળો છે. સાત નદીના સંગમ તીર્થ સ્થાને વૌઠા – પાલ્લાનો મેળો ભરાય છે. પાલ્લા – વૌઠાના ભાતીગળ લોકમેળા આ મેળો માણવા માટે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો સહિત રાજયભરમાંથી લાખો લોકો ઉમટી પડે છે. જો કે આ વખતે ચગડોળો બંધ હોવાથી લોકો નિરાશ છે. 


પશુઓના વેપાર માટે સુવિખ્યાત છે આ મેળો


વૌઠા –પાલ્લામાં ભરતાં મેળાની વિશેષતા એ છે કે, આ મેળામાં પશુધનનો વેપાર થાય છે. જેમાં ખાસ કરીને ઊંટ, ગર્દભ, ઘોડાનો વેપાર  થાય છે. ગધેડાનો વેપાર કરવા માટે રાજયભરમાંથી વેપારીઓ આવે છે. ગત વર્ષના અંદાજ મુજબ 20 હજાર ઉપરાંત ગધેડાનો વેપાર થાય છે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.