મોરબી ઈફેકટ: સરકાર મોડે-મોડે જાગી, પાલ્લા-વૌંઠાના મેળામાં ચગડોળો બંધ રાખવાનો હુકમ


  • Published By :
  • Published Date : 2022-11-07 20:14:20

મોરબીની બ્રિજ દુર્ઘટના બાદ સરકાર સતર્ક બની છે. સરકારના માથે ચૂંટણી હોવાથી હાલ કોઈ પણ પ્રકારનું જોખમ ખેડવા તૈયાર નથી. જો કે આ મોરબી કરૂણાંતિકાની અસર સુપ્રસિદ્ધ પાલ્લા વૌંઠાના લોકમેળામાં પણ જોવા મળી છે. સ્થાનિક વહીવટી તંત્રએ મેળામાં કોઈ પણ પ્રકારની હોનારત ન સર્જાય તે માટે મેળાની ઓળખસમાં ચગડોળો બંધ રાખવાનો આદેશ કર્યો છે.


મેળામાં ચગડોળો બંધ હોવાથી લોકો નિરાશ 


ગુજરાતમાં તરણેતરના મેળા બાદ પાલ્લા વૌંઠાનો આ મેળો રાજ્યનો બીજો સૌથી મોટો મેળો છે. સાત નદીના સંગમ તીર્થ સ્થાને વૌઠા – પાલ્લાનો મેળો ભરાય છે. પાલ્લા – વૌઠાના ભાતીગળ લોકમેળા આ મેળો માણવા માટે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો સહિત રાજયભરમાંથી લાખો લોકો ઉમટી પડે છે. જો કે આ વખતે ચગડોળો બંધ હોવાથી લોકો નિરાશ છે. 


પશુઓના વેપાર માટે સુવિખ્યાત છે આ મેળો


વૌઠા –પાલ્લામાં ભરતાં મેળાની વિશેષતા એ છે કે, આ મેળામાં પશુધનનો વેપાર થાય છે. જેમાં ખાસ કરીને ઊંટ, ગર્દભ, ઘોડાનો વેપાર  થાય છે. ગધેડાનો વેપાર કરવા માટે રાજયભરમાંથી વેપારીઓ આવે છે. ગત વર્ષના અંદાજ મુજબ 20 હજાર ઉપરાંત ગધેડાનો વેપાર થાય છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.