પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ થતાં જ ભડકી હિંસા! જુઓ હિંસાના વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-08 16:14:37

પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટે મતદાન ચાલુ છે. 22 જિલ્લાઓની 63229 ગ્રામપંચાયત બેઠક, પંચાયત સમિતીની 9730 બેઠકો તેમજ જિલ્લા પરિષદની 928 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મતદાનને લઈ સુરક્ષા વ્યવસ્થા માટે સુરક્ષાબળોને તૈનાત કરી દેવામાં આવી હતી પરંતુ મતદાનની પ્રક્રિયા દરમિયાન અનેક જગ્ચાઓ પરથી હિંસાના દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક જગ્યાઓ પરથી આગચંપી અને બેલેટ પેપરને બાળી દેવાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. બપોરના 1 વાગ્યા સુધીના મતદાનની વાત કરીએ તો 37 ટકા મતદાન થયું છે.


પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસાએ લીધા 9 લોકોના જીવ!

વોટિંગ દરમિયાન અનેક વખત હિંસાના દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે હિંસાના દ્રશ્યો પશ્ચિમ બંગાળથી સામે આવ્યા છે જ્યાં પંચાયત ચૂંટણી યોજાઈ છે. પરંતુ અનેક વોટિંગ મથકો એવા છે જ્યાં હિંસા ફાટી નીકળી છે. સુરક્ષા બળો તૈનાત છે છતાંય લોકો બેકાબુ બની રહ્યા છે. અથડામણની વાત કરીએ તો સૌથી વધારે હિંસા મુર્શિદાબાદ જિલ્લામાં જોવા મળી હતી. ભડકેલી હિંસામાં અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. બેલડાંગા તેમજ તુફાનગંજમાં એક એક વ્યક્તિના મોત થયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. મહત્વનું છે કે ગઈકાલે પણ ફાયરિંગની ઘટના સામે આવી હતી. છેલ્લા 24 કલાક દરમિયાન ભડકેલી હિંસામાં 9 લોકોના મોત થઈ ગયા છે. અનેક પાર્ટીના કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે.  જે લોકોના મોત થયા છે તેમાંથી તૃણુમુલ કોંગ્રેસના સાત, બીજેપીના એક એક કાર્યકર્તાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત અનેક કાર્યકર્તાઓને ગોળી વાગી છે, અનેક કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. હિંસાનો આરોપ પાર્ટીઓ એક બીજા પર લગાવી રહી છે. આરોપો પૂરવાર કરવા પાર્ટી દ્વારા વીડિયો પણ બતાવવામાં આવી રહ્યા છે. પોલિંગ બૂથના વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. હિંસાને લઈ અનેક નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.