પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ થતાં જ ભડકી હિંસા! જુઓ હિંસાના વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-08 16:14:37

પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટે મતદાન ચાલુ છે. 22 જિલ્લાઓની 63229 ગ્રામપંચાયત બેઠક, પંચાયત સમિતીની 9730 બેઠકો તેમજ જિલ્લા પરિષદની 928 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મતદાનને લઈ સુરક્ષા વ્યવસ્થા માટે સુરક્ષાબળોને તૈનાત કરી દેવામાં આવી હતી પરંતુ મતદાનની પ્રક્રિયા દરમિયાન અનેક જગ્ચાઓ પરથી હિંસાના દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક જગ્યાઓ પરથી આગચંપી અને બેલેટ પેપરને બાળી દેવાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. બપોરના 1 વાગ્યા સુધીના મતદાનની વાત કરીએ તો 37 ટકા મતદાન થયું છે.


પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસાએ લીધા 9 લોકોના જીવ!

વોટિંગ દરમિયાન અનેક વખત હિંસાના દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે હિંસાના દ્રશ્યો પશ્ચિમ બંગાળથી સામે આવ્યા છે જ્યાં પંચાયત ચૂંટણી યોજાઈ છે. પરંતુ અનેક વોટિંગ મથકો એવા છે જ્યાં હિંસા ફાટી નીકળી છે. સુરક્ષા બળો તૈનાત છે છતાંય લોકો બેકાબુ બની રહ્યા છે. અથડામણની વાત કરીએ તો સૌથી વધારે હિંસા મુર્શિદાબાદ જિલ્લામાં જોવા મળી હતી. ભડકેલી હિંસામાં અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. બેલડાંગા તેમજ તુફાનગંજમાં એક એક વ્યક્તિના મોત થયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. મહત્વનું છે કે ગઈકાલે પણ ફાયરિંગની ઘટના સામે આવી હતી. છેલ્લા 24 કલાક દરમિયાન ભડકેલી હિંસામાં 9 લોકોના મોત થઈ ગયા છે. અનેક પાર્ટીના કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે.  જે લોકોના મોત થયા છે તેમાંથી તૃણુમુલ કોંગ્રેસના સાત, બીજેપીના એક એક કાર્યકર્તાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત અનેક કાર્યકર્તાઓને ગોળી વાગી છે, અનેક કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. હિંસાનો આરોપ પાર્ટીઓ એક બીજા પર લગાવી રહી છે. આરોપો પૂરવાર કરવા પાર્ટી દ્વારા વીડિયો પણ બતાવવામાં આવી રહ્યા છે. પોલિંગ બૂથના વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. હિંસાને લઈ અનેક નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.