પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ થતાં જ ભડકી હિંસા! જુઓ હિંસાના વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-08 16:14:37

પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટે મતદાન ચાલુ છે. 22 જિલ્લાઓની 63229 ગ્રામપંચાયત બેઠક, પંચાયત સમિતીની 9730 બેઠકો તેમજ જિલ્લા પરિષદની 928 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મતદાનને લઈ સુરક્ષા વ્યવસ્થા માટે સુરક્ષાબળોને તૈનાત કરી દેવામાં આવી હતી પરંતુ મતદાનની પ્રક્રિયા દરમિયાન અનેક જગ્ચાઓ પરથી હિંસાના દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક જગ્યાઓ પરથી આગચંપી અને બેલેટ પેપરને બાળી દેવાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. બપોરના 1 વાગ્યા સુધીના મતદાનની વાત કરીએ તો 37 ટકા મતદાન થયું છે.


પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસાએ લીધા 9 લોકોના જીવ!

વોટિંગ દરમિયાન અનેક વખત હિંસાના દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે હિંસાના દ્રશ્યો પશ્ચિમ બંગાળથી સામે આવ્યા છે જ્યાં પંચાયત ચૂંટણી યોજાઈ છે. પરંતુ અનેક વોટિંગ મથકો એવા છે જ્યાં હિંસા ફાટી નીકળી છે. સુરક્ષા બળો તૈનાત છે છતાંય લોકો બેકાબુ બની રહ્યા છે. અથડામણની વાત કરીએ તો સૌથી વધારે હિંસા મુર્શિદાબાદ જિલ્લામાં જોવા મળી હતી. ભડકેલી હિંસામાં અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. બેલડાંગા તેમજ તુફાનગંજમાં એક એક વ્યક્તિના મોત થયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. મહત્વનું છે કે ગઈકાલે પણ ફાયરિંગની ઘટના સામે આવી હતી. છેલ્લા 24 કલાક દરમિયાન ભડકેલી હિંસામાં 9 લોકોના મોત થઈ ગયા છે. અનેક પાર્ટીના કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે.  જે લોકોના મોત થયા છે તેમાંથી તૃણુમુલ કોંગ્રેસના સાત, બીજેપીના એક એક કાર્યકર્તાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત અનેક કાર્યકર્તાઓને ગોળી વાગી છે, અનેક કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. હિંસાનો આરોપ પાર્ટીઓ એક બીજા પર લગાવી રહી છે. આરોપો પૂરવાર કરવા પાર્ટી દ્વારા વીડિયો પણ બતાવવામાં આવી રહ્યા છે. પોલિંગ બૂથના વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. હિંસાને લઈ અનેક નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.