પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ થતાં જ ભડકી હિંસા! જુઓ હિંસાના વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-08 16:14:37

પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટે મતદાન ચાલુ છે. 22 જિલ્લાઓની 63229 ગ્રામપંચાયત બેઠક, પંચાયત સમિતીની 9730 બેઠકો તેમજ જિલ્લા પરિષદની 928 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મતદાનને લઈ સુરક્ષા વ્યવસ્થા માટે સુરક્ષાબળોને તૈનાત કરી દેવામાં આવી હતી પરંતુ મતદાનની પ્રક્રિયા દરમિયાન અનેક જગ્ચાઓ પરથી હિંસાના દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક જગ્યાઓ પરથી આગચંપી અને બેલેટ પેપરને બાળી દેવાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. બપોરના 1 વાગ્યા સુધીના મતદાનની વાત કરીએ તો 37 ટકા મતદાન થયું છે.


પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસાએ લીધા 9 લોકોના જીવ!

વોટિંગ દરમિયાન અનેક વખત હિંસાના દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે હિંસાના દ્રશ્યો પશ્ચિમ બંગાળથી સામે આવ્યા છે જ્યાં પંચાયત ચૂંટણી યોજાઈ છે. પરંતુ અનેક વોટિંગ મથકો એવા છે જ્યાં હિંસા ફાટી નીકળી છે. સુરક્ષા બળો તૈનાત છે છતાંય લોકો બેકાબુ બની રહ્યા છે. અથડામણની વાત કરીએ તો સૌથી વધારે હિંસા મુર્શિદાબાદ જિલ્લામાં જોવા મળી હતી. ભડકેલી હિંસામાં અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. બેલડાંગા તેમજ તુફાનગંજમાં એક એક વ્યક્તિના મોત થયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. મહત્વનું છે કે ગઈકાલે પણ ફાયરિંગની ઘટના સામે આવી હતી. છેલ્લા 24 કલાક દરમિયાન ભડકેલી હિંસામાં 9 લોકોના મોત થઈ ગયા છે. અનેક પાર્ટીના કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે.  જે લોકોના મોત થયા છે તેમાંથી તૃણુમુલ કોંગ્રેસના સાત, બીજેપીના એક એક કાર્યકર્તાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત અનેક કાર્યકર્તાઓને ગોળી વાગી છે, અનેક કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. હિંસાનો આરોપ પાર્ટીઓ એક બીજા પર લગાવી રહી છે. આરોપો પૂરવાર કરવા પાર્ટી દ્વારા વીડિયો પણ બતાવવામાં આવી રહ્યા છે. પોલિંગ બૂથના વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. હિંસાને લઈ અનેક નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.  



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.