હરિયાણાના પાણીપતમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગી આગ, ઘટનાને પગલે વ્યાપો ભયનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-01-12 11:39:56

આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકો આગ લાગવાને કારણે મોતને ભેટતા હોય છે. ત્યારે ગેસ સિલિન્ડરને કારણે આગ લાગવાની ઘટના હરિયાણાના પાણીપતમાં બની છે. આ ઘટનાને કારણે એક જ પરિવારના 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ ઘટનાને પગલે તે વિસ્તારમાં શોક વ્યાપી ઉઠ્યો છે.

jagran

આગ લાગવાથી અનેક લોકોના થતા હોય છે મોત 

આજકાલ અનેક વખત આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થઈ જતા હોય છે. આગ લાગવાના અલગ-અલગ કારણો હોય છે. જેમકે શોર્ટસર્કિટને કારણે આગ લાગે, કોઈ વખત ગેસ લિકેજ થવાને કારણે તો કોઈ વખત અન્ય કારણોસર આગ લાગતી હોય છે. જેને કારણે લોકો કાળનો કોળિયો બનતા હોય છે. 

jagran

એક જ પરિવારના 6 સભ્યોના થયા મોત

આવી જ ઘટના હરિયાણાના પાણીપતમાં ગુરૂવાર સવારે બની છે. ગેસ સિલિન્ડર લીક થવાને કારણે ઘરમાં આગ ફાટી નિકળી હતી. આ ઘટનામાં એક જ પરિવારના 6 લોકોના મોત થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના બિચપડી ગામમાં બની છે. મરનારમાં પતિ-પત્ની, તેમની બે દિકરી અને બે દિકરાનો સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ પણ આવી ગઈ હતી. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટનાને કારણે આસપાસના લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.