હરિયાણાના પાણીપતમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગી આગ, ઘટનાને પગલે વ્યાપો ભયનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-01-12 11:39:56

આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકો આગ લાગવાને કારણે મોતને ભેટતા હોય છે. ત્યારે ગેસ સિલિન્ડરને કારણે આગ લાગવાની ઘટના હરિયાણાના પાણીપતમાં બની છે. આ ઘટનાને કારણે એક જ પરિવારના 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ ઘટનાને પગલે તે વિસ્તારમાં શોક વ્યાપી ઉઠ્યો છે.

jagran

આગ લાગવાથી અનેક લોકોના થતા હોય છે મોત 

આજકાલ અનેક વખત આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થઈ જતા હોય છે. આગ લાગવાના અલગ-અલગ કારણો હોય છે. જેમકે શોર્ટસર્કિટને કારણે આગ લાગે, કોઈ વખત ગેસ લિકેજ થવાને કારણે તો કોઈ વખત અન્ય કારણોસર આગ લાગતી હોય છે. જેને કારણે લોકો કાળનો કોળિયો બનતા હોય છે. 

jagran

એક જ પરિવારના 6 સભ્યોના થયા મોત

આવી જ ઘટના હરિયાણાના પાણીપતમાં ગુરૂવાર સવારે બની છે. ગેસ સિલિન્ડર લીક થવાને કારણે ઘરમાં આગ ફાટી નિકળી હતી. આ ઘટનામાં એક જ પરિવારના 6 લોકોના મોત થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના બિચપડી ગામમાં બની છે. મરનારમાં પતિ-પત્ની, તેમની બે દિકરી અને બે દિકરાનો સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ પણ આવી ગઈ હતી. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટનાને કારણે આસપાસના લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે.   



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .