હરિયાણાના પાણીપતમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગી આગ, ઘટનાને પગલે વ્યાપો ભયનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-01-12 11:39:56

આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકો આગ લાગવાને કારણે મોતને ભેટતા હોય છે. ત્યારે ગેસ સિલિન્ડરને કારણે આગ લાગવાની ઘટના હરિયાણાના પાણીપતમાં બની છે. આ ઘટનાને કારણે એક જ પરિવારના 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ ઘટનાને પગલે તે વિસ્તારમાં શોક વ્યાપી ઉઠ્યો છે.

jagran

આગ લાગવાથી અનેક લોકોના થતા હોય છે મોત 

આજકાલ અનેક વખત આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થઈ જતા હોય છે. આગ લાગવાના અલગ-અલગ કારણો હોય છે. જેમકે શોર્ટસર્કિટને કારણે આગ લાગે, કોઈ વખત ગેસ લિકેજ થવાને કારણે તો કોઈ વખત અન્ય કારણોસર આગ લાગતી હોય છે. જેને કારણે લોકો કાળનો કોળિયો બનતા હોય છે. 

jagran

એક જ પરિવારના 6 સભ્યોના થયા મોત

આવી જ ઘટના હરિયાણાના પાણીપતમાં ગુરૂવાર સવારે બની છે. ગેસ સિલિન્ડર લીક થવાને કારણે ઘરમાં આગ ફાટી નિકળી હતી. આ ઘટનામાં એક જ પરિવારના 6 લોકોના મોત થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના બિચપડી ગામમાં બની છે. મરનારમાં પતિ-પત્ની, તેમની બે દિકરી અને બે દિકરાનો સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ પણ આવી ગઈ હતી. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટનાને કારણે આસપાસના લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે.   



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.