ટાયર સળગાવી પાંજરાપોળ અને ગૌ-શાળા સંચાલકોએ કર્યું વિરોધ પ્રદર્શન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 15:09:55

બનાસકાંઠામાં પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. 500 કરોડની સહાય ન મળવાને કારણે તેઓ રોષે ભરાયા છે. જેણે કારણે સવારે તે લોકોએ ગાયને રસ્તા પર છોડી દીધી હતી. આ પ્રકારના વિરોધ બાદ પણ સરકાર દ્વારા કોઈ પગલા ન લેવાતા ટાયર સળગાવી રસ્તો બ્લોક કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

ગૌશાળા સંચાલકોની કરાઈ અટકાયત 

સવારે વિરોધ બતાવવા ગાયોને છોડી દેવામાં આવી હતી. સવારે અડધો કલાક સુધી રસ્તો બંધ રહેતા દસ કિલોમીટર લાંબી વાહનોની લાઈન થઈ ગઈ હતી. ડીસા પાંજરાપોળના પશુઓ છોડી મુકાતા, ગાયને સરકારી કચેરી પહેલા અટકાવવા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અનેક ગૌશાળા સંચાલકોની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. અટકાયત થયા બાદ પણ આંદોલન ચાલુ રાખવામાં આવ્યું હતું. 



ટાયર સળગાવી રસ્તો કર્યો બ્લોક

અનેક વખત સરકારને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ ઉકેલ ન આવતા અંતે તેઓ આંદોલનના માર્ગે ચાલવા મજબૂર બન્યા છે. પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકો ખૂબ ગુસ્સે ભરાયા છે. ગૌભક્તોએ ડીસાના એલિવેટેડ બ્રીજ પર ટાયર સળગાવી રસ્તો બંધ કરી દીધો હતો.   




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .