ટાયર સળગાવી પાંજરાપોળ અને ગૌ-શાળા સંચાલકોએ કર્યું વિરોધ પ્રદર્શન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 15:09:55

બનાસકાંઠામાં પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. 500 કરોડની સહાય ન મળવાને કારણે તેઓ રોષે ભરાયા છે. જેણે કારણે સવારે તે લોકોએ ગાયને રસ્તા પર છોડી દીધી હતી. આ પ્રકારના વિરોધ બાદ પણ સરકાર દ્વારા કોઈ પગલા ન લેવાતા ટાયર સળગાવી રસ્તો બ્લોક કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

ગૌશાળા સંચાલકોની કરાઈ અટકાયત 

સવારે વિરોધ બતાવવા ગાયોને છોડી દેવામાં આવી હતી. સવારે અડધો કલાક સુધી રસ્તો બંધ રહેતા દસ કિલોમીટર લાંબી વાહનોની લાઈન થઈ ગઈ હતી. ડીસા પાંજરાપોળના પશુઓ છોડી મુકાતા, ગાયને સરકારી કચેરી પહેલા અટકાવવા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અનેક ગૌશાળા સંચાલકોની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. અટકાયત થયા બાદ પણ આંદોલન ચાલુ રાખવામાં આવ્યું હતું. 



ટાયર સળગાવી રસ્તો કર્યો બ્લોક

અનેક વખત સરકારને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ ઉકેલ ન આવતા અંતે તેઓ આંદોલનના માર્ગે ચાલવા મજબૂર બન્યા છે. પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકો ખૂબ ગુસ્સે ભરાયા છે. ગૌભક્તોએ ડીસાના એલિવેટેડ બ્રીજ પર ટાયર સળગાવી રસ્તો બંધ કરી દીધો હતો.   




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે