ટાયર સળગાવી પાંજરાપોળ અને ગૌ-શાળા સંચાલકોએ કર્યું વિરોધ પ્રદર્શન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 15:09:55

બનાસકાંઠામાં પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. 500 કરોડની સહાય ન મળવાને કારણે તેઓ રોષે ભરાયા છે. જેણે કારણે સવારે તે લોકોએ ગાયને રસ્તા પર છોડી દીધી હતી. આ પ્રકારના વિરોધ બાદ પણ સરકાર દ્વારા કોઈ પગલા ન લેવાતા ટાયર સળગાવી રસ્તો બ્લોક કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

ગૌશાળા સંચાલકોની કરાઈ અટકાયત 

સવારે વિરોધ બતાવવા ગાયોને છોડી દેવામાં આવી હતી. સવારે અડધો કલાક સુધી રસ્તો બંધ રહેતા દસ કિલોમીટર લાંબી વાહનોની લાઈન થઈ ગઈ હતી. ડીસા પાંજરાપોળના પશુઓ છોડી મુકાતા, ગાયને સરકારી કચેરી પહેલા અટકાવવા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અનેક ગૌશાળા સંચાલકોની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. અટકાયત થયા બાદ પણ આંદોલન ચાલુ રાખવામાં આવ્યું હતું. 



ટાયર સળગાવી રસ્તો કર્યો બ્લોક

અનેક વખત સરકારને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ ઉકેલ ન આવતા અંતે તેઓ આંદોલનના માર્ગે ચાલવા મજબૂર બન્યા છે. પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકો ખૂબ ગુસ્સે ભરાયા છે. ગૌભક્તોએ ડીસાના એલિવેટેડ બ્રીજ પર ટાયર સળગાવી રસ્તો બંધ કરી દીધો હતો.   




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.