પરષોત્તમ રૂપાલા વિવાદ : Gandhinagarમાં મળી હતી ભાજપ અને સંકલન સમિતિની બેઠક, બેઠક પછી Karansinh Chavdaએ સાંભળો શું આપી પ્રતિક્રિયા?


  • Published By :
  • Published Date : 2024-04-16 11:41:51

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદની ચર્ચાઓ થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ બેઠક માટે પરષોત્તમ રૂપાલાના નામની જાહેરાત કરી હતી. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું જે બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે ગઈકાલે ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી હતી.આ બેઠક પણ નિષ્ફળ સાબિત થઈ હોય તેવું લાગે છે કારણ કે ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે...

ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. અનેક વખત વિવાદ શાંત કરવા માટે બેઠકનું આયોજન થયું જેમાં ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર હતા. રવિવારે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા. તે બધાની એક જ માગ હતી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે... પરષોત્તમ રૂપાલા સામેનો વિરોધ ધીરે ધીરે ભાજપના વિરોધમાં પરિવર્તિત થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. 


ગાંધીનગર ખાતે મળી હતી ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક 

આ બધા વચ્ચે ગઈકાલે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું આ વિવાદનો સુખદ અંત આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ બાદ ગઈકાલે મોડી રાત્રે સરકારના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી જેમાં આ વિવાદનો અંત લાવવા માટે ચર્ચા થઈ હોય તેવી માહિતી સામે આવી છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને મોડી રાત્રે સંકલન સમિતીના આગેવાનો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ , સી.આર.પાટીલ સહિતના ભાજપના ક્ષત્રિય નેતાઓ હાજર હતા તેવી માહિતી સામે આવી છે. 



બેઠક બાદ ક્ષત્રિય સમાજના આગેવાનોએ આપી પ્રતિક્રિયા

આ બેઠક પર સૌ કોઈની નજર રહેલી હતી, વિવાદ શાંત થાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાયો હતો બેઠક બાદ. બેઠક પૂર્ણ થતાં રાજપૂત સંકલન સમિતિના આગેવાનોની પ્રતિક્રિયા સામે આવી હતી. પ્રતિક્રિયા આપતા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આજે રાજપૂત સંકલન સમિતિની બેઠક મળી હતી. પાર્ટ-2 બાબતે રણનીતિ નક્કી કરવાની હતી. અમારા કેટલાક આગેવાનોને સરકાર મળવા માગે છે તેવા આમંત્રણના ફોન આવ્યા હતા. આજે મુખ્યમંત્રીને મળવા આવ્યા હતા. અમે બધી રજૂઆત કરી છે. ક્ષત્રિય સમાજની એક જ માગ છે કે, રૂપાલાની ટિકીટ રદ્દ કરો. મહત્વનું છે કે આ બેઠકમાં અનેક ક્ષત્રિય મહિલાઓ પણ હાજર હતી... 


આજે પરષોત્તમ રૂપાલા ભરવાના છે ઉમેદવારી ફોર્મ 

મહત્વનું છે કે એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ છે અને માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તો બીજી તરફ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પરષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવાના છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં હાજર હતા ઉપરાંત વિજય રૂપાણી પણ હાજર હતા.      



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે