પરષોત્તમ રૂપાલા વિવાદ : Gandhinagarમાં મળી હતી ભાજપ અને સંકલન સમિતિની બેઠક, બેઠક પછી Karansinh Chavdaએ સાંભળો શું આપી પ્રતિક્રિયા?


  • Published By :
  • Published Date : 2024-04-16 11:41:51

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદની ચર્ચાઓ થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ બેઠક માટે પરષોત્તમ રૂપાલાના નામની જાહેરાત કરી હતી. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું જે બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે ગઈકાલે ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી હતી.આ બેઠક પણ નિષ્ફળ સાબિત થઈ હોય તેવું લાગે છે કારણ કે ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે...

ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. અનેક વખત વિવાદ શાંત કરવા માટે બેઠકનું આયોજન થયું જેમાં ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર હતા. રવિવારે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા. તે બધાની એક જ માગ હતી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે... પરષોત્તમ રૂપાલા સામેનો વિરોધ ધીરે ધીરે ભાજપના વિરોધમાં પરિવર્તિત થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. 


ગાંધીનગર ખાતે મળી હતી ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક 

આ બધા વચ્ચે ગઈકાલે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું આ વિવાદનો સુખદ અંત આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ બાદ ગઈકાલે મોડી રાત્રે સરકારના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી જેમાં આ વિવાદનો અંત લાવવા માટે ચર્ચા થઈ હોય તેવી માહિતી સામે આવી છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને મોડી રાત્રે સંકલન સમિતીના આગેવાનો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ , સી.આર.પાટીલ સહિતના ભાજપના ક્ષત્રિય નેતાઓ હાજર હતા તેવી માહિતી સામે આવી છે. 



બેઠક બાદ ક્ષત્રિય સમાજના આગેવાનોએ આપી પ્રતિક્રિયા

આ બેઠક પર સૌ કોઈની નજર રહેલી હતી, વિવાદ શાંત થાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાયો હતો બેઠક બાદ. બેઠક પૂર્ણ થતાં રાજપૂત સંકલન સમિતિના આગેવાનોની પ્રતિક્રિયા સામે આવી હતી. પ્રતિક્રિયા આપતા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આજે રાજપૂત સંકલન સમિતિની બેઠક મળી હતી. પાર્ટ-2 બાબતે રણનીતિ નક્કી કરવાની હતી. અમારા કેટલાક આગેવાનોને સરકાર મળવા માગે છે તેવા આમંત્રણના ફોન આવ્યા હતા. આજે મુખ્યમંત્રીને મળવા આવ્યા હતા. અમે બધી રજૂઆત કરી છે. ક્ષત્રિય સમાજની એક જ માગ છે કે, રૂપાલાની ટિકીટ રદ્દ કરો. મહત્વનું છે કે આ બેઠકમાં અનેક ક્ષત્રિય મહિલાઓ પણ હાજર હતી... 


આજે પરષોત્તમ રૂપાલા ભરવાના છે ઉમેદવારી ફોર્મ 

મહત્વનું છે કે એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ છે અને માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તો બીજી તરફ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પરષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવાના છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં હાજર હતા ઉપરાંત વિજય રૂપાણી પણ હાજર હતા.      



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.