સરકારી નોકરી જવાના ડરથી રાજસ્થાનમાં માતા-પિતાએ કરી માસુમની હત્યા


  • Published By :
  • Published Date : 2023-01-24 15:01:29

સરકાર એક તરફ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચલાવી રહી છે. તો બીજી તરફ રાજસ્થાનના બિકાનેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સરકારી નોકરી જતી ન રહે તે માટે માતા-પિતાએ દીકરીને કેનાલમાં ફેંકી દીધી છે. કોન્ટ્રેક્ટ પર મળેલી સરકારી નોકરી બચાવવા માટે માતા-પિતાએ આ પગલું ભર્યું છે. અંશિકા ઉર્ફે અંશુની હત્યા કરનાર માતા-પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે. 

પોલીસે માતા-પિતા બંનેની ધરપકડ કરી છે.


સરકારી નોકરી ન જાય તે માટે પુત્રીની કરી હત્યા 

આ આઘાત જનક ઘટના બિકાનેરના છત્તરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. એક દંપતીએ પોતાની સરકારી નોકરી ન જાય તે માટે 5 મહિનાની દીકરીને નહેરમાં ફેંકી દીધી હતી. ઝંવરલાલ ચાંદસર ગામમાં શાળા સહાયક તરીકે કોન્ટ્રેક્ટ પર કામ કરે છે. 


પોલીસે માતા-પિતાની કરી ધરપકડ 

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ ઘટનામાં બાળકની માતા પણ સામેલ હતી. આ ઘટનાના પ્રત્યક્ષદર્શીએ પોલીસને જણાવ્યું હતું કે એક મહિલા અને પુરુષ બાઈક પર આવ્યા હતા. કેનાલ પાસે આવતાં જ તેઓએ બાળકીને કલ્વર્ટ ઉપરથી નીચે ફેંકી દીધી હતી. બાળકીને ફેંક્યા બાદ કોઈએ પાછું વળીને જોયું પણ નહીં. ઉપરાંત બાઈકની સ્પીડ વધારીને જતા રહ્યા. બાળકીને બચાવવા અનેક યુવકો નીચે કૂદયા. બાળકીને બહાર કાઢી પરંતુ ત્યાં સુધી તેનું મોત થઈ ગયું હતું.         




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.