સરકારી નોકરી જવાના ડરથી રાજસ્થાનમાં માતા-પિતાએ કરી માસુમની હત્યા


  • Published By :
  • Published Date : 2023-01-24 15:01:29

સરકાર એક તરફ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચલાવી રહી છે. તો બીજી તરફ રાજસ્થાનના બિકાનેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સરકારી નોકરી જતી ન રહે તે માટે માતા-પિતાએ દીકરીને કેનાલમાં ફેંકી દીધી છે. કોન્ટ્રેક્ટ પર મળેલી સરકારી નોકરી બચાવવા માટે માતા-પિતાએ આ પગલું ભર્યું છે. અંશિકા ઉર્ફે અંશુની હત્યા કરનાર માતા-પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે. 

પોલીસે માતા-પિતા બંનેની ધરપકડ કરી છે.


સરકારી નોકરી ન જાય તે માટે પુત્રીની કરી હત્યા 

આ આઘાત જનક ઘટના બિકાનેરના છત્તરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. એક દંપતીએ પોતાની સરકારી નોકરી ન જાય તે માટે 5 મહિનાની દીકરીને નહેરમાં ફેંકી દીધી હતી. ઝંવરલાલ ચાંદસર ગામમાં શાળા સહાયક તરીકે કોન્ટ્રેક્ટ પર કામ કરે છે. 


પોલીસે માતા-પિતાની કરી ધરપકડ 

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ ઘટનામાં બાળકની માતા પણ સામેલ હતી. આ ઘટનાના પ્રત્યક્ષદર્શીએ પોલીસને જણાવ્યું હતું કે એક મહિલા અને પુરુષ બાઈક પર આવ્યા હતા. કેનાલ પાસે આવતાં જ તેઓએ બાળકીને કલ્વર્ટ ઉપરથી નીચે ફેંકી દીધી હતી. બાળકીને ફેંક્યા બાદ કોઈએ પાછું વળીને જોયું પણ નહીં. ઉપરાંત બાઈકની સ્પીડ વધારીને જતા રહ્યા. બાળકીને બચાવવા અનેક યુવકો નીચે કૂદયા. બાળકીને બહાર કાઢી પરંતુ ત્યાં સુધી તેનું મોત થઈ ગયું હતું.         




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.