સરકારી નોકરી જવાના ડરથી રાજસ્થાનમાં માતા-પિતાએ કરી માસુમની હત્યા


  • Published By :
  • Published Date : 2023-01-24 15:01:29

સરકાર એક તરફ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચલાવી રહી છે. તો બીજી તરફ રાજસ્થાનના બિકાનેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સરકારી નોકરી જતી ન રહે તે માટે માતા-પિતાએ દીકરીને કેનાલમાં ફેંકી દીધી છે. કોન્ટ્રેક્ટ પર મળેલી સરકારી નોકરી બચાવવા માટે માતા-પિતાએ આ પગલું ભર્યું છે. અંશિકા ઉર્ફે અંશુની હત્યા કરનાર માતા-પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે. 

પોલીસે માતા-પિતા બંનેની ધરપકડ કરી છે.


સરકારી નોકરી ન જાય તે માટે પુત્રીની કરી હત્યા 

આ આઘાત જનક ઘટના બિકાનેરના છત્તરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. એક દંપતીએ પોતાની સરકારી નોકરી ન જાય તે માટે 5 મહિનાની દીકરીને નહેરમાં ફેંકી દીધી હતી. ઝંવરલાલ ચાંદસર ગામમાં શાળા સહાયક તરીકે કોન્ટ્રેક્ટ પર કામ કરે છે. 


પોલીસે માતા-પિતાની કરી ધરપકડ 

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ ઘટનામાં બાળકની માતા પણ સામેલ હતી. આ ઘટનાના પ્રત્યક્ષદર્શીએ પોલીસને જણાવ્યું હતું કે એક મહિલા અને પુરુષ બાઈક પર આવ્યા હતા. કેનાલ પાસે આવતાં જ તેઓએ બાળકીને કલ્વર્ટ ઉપરથી નીચે ફેંકી દીધી હતી. બાળકીને ફેંક્યા બાદ કોઈએ પાછું વળીને જોયું પણ નહીં. ઉપરાંત બાઈકની સ્પીડ વધારીને જતા રહ્યા. બાળકીને બચાવવા અનેક યુવકો નીચે કૂદયા. બાળકીને બહાર કાઢી પરંતુ ત્યાં સુધી તેનું મોત થઈ ગયું હતું.         




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.