ચોમાસુ સત્રનો 17 જુલાઈથી પ્રારંભ, નવા સંસદ ભવનમાં યોજાશે પ્રથમ સત્ર, આ મુદ્દે સંસદમાં થઈ શકે હોબાળો


  • Published By :
  • Published Date : 2023-06-28 15:22:54

સંસદનું ચોમાસુ સત્ર જુલાઈના ત્રીજા સપ્તાહમાં શરૂ થઈ શકે છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ  (CCPA) બેઠક આગામી કેટલાક દિવસોમાં યોજાશે, જેમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ CCPAની બેઠકની અધ્યક્ષતા કરશે.  આ બેઠકમાં ચોમાસુ સત્રની તારીખ અંગે ચર્ચા થશે.જો કે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોમાસુ સત્રનો પ્રારંભ 17 જુલાઈથી થઈ શકે છે અને તે 10 ઓગસ્ટ સુધી ચાલુ રહી શકે છે.


વટહુકમ મામલે થશે હોબાળો


સંસદના ચોમાસુ સત્રમાં આ વખતે પણ જોરદાર હંગામો થાય તેવી શક્યતા છે. દિલ્હીમાં કોની સત્તા ચાલશે તે મામલે કેજરીવાલ સરકાર સુપ્રીમ કોર્ટમાં કેસ જીતી જતા કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના આદેશને ઉલટાવવા માટે આ વટહુકમ લાવી છે. આ વટહુકમ પર ચોમાસુ સત્રમાં ચર્ચા થવાની છે. વટહુકમમાં કેન્દ્ર સરકારે નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની સ્થાપના કરવાની વાત કરી છે. મોદી સરકાર દ્વારા સંસદમાં લાવવામાં આવેલા વટહુકમને વિરોધ પક્ષોના જોરદાર વિરોધનો સામનો કરવો પડશે. આ મુદ્દે તમામ વિપક્ષે કેજરીવાલને સમર્થન આપ્યું છે. 


યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે થશે હંગામો


મોદી સરકારે સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ) બિલ પણ ચોમાસુ સત્રમાં લાવવાની યોજના બનાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમાન નાગરિક સંહિતા અંગે આપવામાં આવેલા નિવેદન પર સંસદના ચોમાસુ સત્રમાં હોબાળો થઈ શકે છે. ગઈ કાલે મંગળવારે ભોપાલમાં બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે PM મોદીએ કહ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડના નામે કેટલાક લોકો મુસ્લિમ ભાઈ-બહેનોને ઉશ્કેરી રહ્યા છે.  


નવા સંસદ ભવનમાં પ્રથમ સત્ર


ચોમાસુ સત્રની એક વિશેષતા એ પણ હશે કે નવા સંસદભવનમાં આયોજિત થનારું આ પ્રથમ સત્ર હશે. નવું સંસદ ભવન તેની યજમાની માટે તૈયાર છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ 28 મેના રોજ સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઇમારત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી છે. નવા સંસદ ભવનમાં તમામ મંત્રીઓને અલગ-અલગ ઓફિસ મળશે, જ્યારે જૂના બિલ્ડિંગમાં માત્ર 30 કેબિનેટ મંત્રીઓ અને કેટલાક રાજ્ય મંત્રીઓને ઓફિસ મળી છે. આ સાથે નવા બિલ્ડીંગમાં તમામ રાજકીય પક્ષોને ઓફિસ પણ આપવામાં આવશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.