ચોમાસુ સત્રનો 17 જુલાઈથી પ્રારંભ, નવા સંસદ ભવનમાં યોજાશે પ્રથમ સત્ર, આ મુદ્દે સંસદમાં થઈ શકે હોબાળો


  • Published By :
  • Published Date : 2023-06-28 15:22:54

સંસદનું ચોમાસુ સત્ર જુલાઈના ત્રીજા સપ્તાહમાં શરૂ થઈ શકે છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ  (CCPA) બેઠક આગામી કેટલાક દિવસોમાં યોજાશે, જેમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ CCPAની બેઠકની અધ્યક્ષતા કરશે.  આ બેઠકમાં ચોમાસુ સત્રની તારીખ અંગે ચર્ચા થશે.જો કે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોમાસુ સત્રનો પ્રારંભ 17 જુલાઈથી થઈ શકે છે અને તે 10 ઓગસ્ટ સુધી ચાલુ રહી શકે છે.


વટહુકમ મામલે થશે હોબાળો


સંસદના ચોમાસુ સત્રમાં આ વખતે પણ જોરદાર હંગામો થાય તેવી શક્યતા છે. દિલ્હીમાં કોની સત્તા ચાલશે તે મામલે કેજરીવાલ સરકાર સુપ્રીમ કોર્ટમાં કેસ જીતી જતા કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના આદેશને ઉલટાવવા માટે આ વટહુકમ લાવી છે. આ વટહુકમ પર ચોમાસુ સત્રમાં ચર્ચા થવાની છે. વટહુકમમાં કેન્દ્ર સરકારે નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની સ્થાપના કરવાની વાત કરી છે. મોદી સરકાર દ્વારા સંસદમાં લાવવામાં આવેલા વટહુકમને વિરોધ પક્ષોના જોરદાર વિરોધનો સામનો કરવો પડશે. આ મુદ્દે તમામ વિપક્ષે કેજરીવાલને સમર્થન આપ્યું છે. 


યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે થશે હંગામો


મોદી સરકારે સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ) બિલ પણ ચોમાસુ સત્રમાં લાવવાની યોજના બનાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમાન નાગરિક સંહિતા અંગે આપવામાં આવેલા નિવેદન પર સંસદના ચોમાસુ સત્રમાં હોબાળો થઈ શકે છે. ગઈ કાલે મંગળવારે ભોપાલમાં બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે PM મોદીએ કહ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડના નામે કેટલાક લોકો મુસ્લિમ ભાઈ-બહેનોને ઉશ્કેરી રહ્યા છે.  


નવા સંસદ ભવનમાં પ્રથમ સત્ર


ચોમાસુ સત્રની એક વિશેષતા એ પણ હશે કે નવા સંસદભવનમાં આયોજિત થનારું આ પ્રથમ સત્ર હશે. નવું સંસદ ભવન તેની યજમાની માટે તૈયાર છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ 28 મેના રોજ સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઇમારત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી છે. નવા સંસદ ભવનમાં તમામ મંત્રીઓને અલગ-અલગ ઓફિસ મળશે, જ્યારે જૂના બિલ્ડિંગમાં માત્ર 30 કેબિનેટ મંત્રીઓ અને કેટલાક રાજ્ય મંત્રીઓને ઓફિસ મળી છે. આ સાથે નવા બિલ્ડીંગમાં તમામ રાજકીય પક્ષોને ઓફિસ પણ આપવામાં આવશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.