Parshottam Rupala વિવાદ: MLA Jignesh Mevani દેખાયા આક્રામક! સાંભળો શું કહ્યું જીજ્ઞેશ મેવાણીએ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-06 14:25:56

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.. રાજ્યના અનેક ભાગોમાં પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. પોસ્ટરો લગાવવામાં આવ્યા... ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે. રાજકોટ ખાતે આજે ક્ષત્રિય સમાજની બેઠક થવાની છે. આ મામલે અનેક રાજનેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. પરેશ ધાનાણીએ અનેક વખત સોશિયલ મીડિયા પર આ મામલે પ્રતિક્રિયા આપી છે, અનેક ટ્વિટ કરવામાં આવી છે તેમના દ્વારા.. આ બધા વચ્ચે જીજ્ઞેશ મેવાણીની પરષોત્તમ રૂપાલાના નિવેદન મામલે પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તે એકદમ આક્રોશમાં દેખાયા હતા. 

વિવાદને શાંત કરવા માટે કરવામાં આવ્યા પ્રયાસો પરંતુ... 

ગુજરાતની અનેક બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. અનેક બેઠકો પર ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પરષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું જેનો વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે.. ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ વિવાદ શાંત નથી થઈ રહ્યો. વિવાદ વધારેને વધારે વધતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.          


જીજ્ઞેશ મેવાણીએ પરષોત્તમ રૂપાલાના  નિવેદન પર આપી પ્રતિક્રિયા!   

આ બધા વચ્ચે જીજ્ઞેશ મેવાણીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. જીજ્ઞેશ મેવાણી ખૂબ આક્રામક દેખાઈ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર ચંદનજી ઠાકોર માટે પ્રચાર કરવા પહોંચેલા જીજ્ઞેશ મેવાણીએ ભાજપ તેમજ પરષોત્તમ રૂપાલા પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધનમાં તેઓ કહેવા માંગતા હતા કે ભાજપે ટિકીટ તો કાપવી જ પડશે ઉપરાંત એવું પણ કહ્યું કે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે... મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજનો વિવાદ પ્રતિદિન વધી રહ્યો છે..!   




મતદાતાઓને મિજાજ જાણવા જમાવટની ટીમ ઈલેક્શન યાત્રા કરી રહી છે.. અલગ અલગ લોકસભા બેઠકોના મતદાતાઓ શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે જમાવટ પહોંચ્યું સુરેન્દ્રનગર જ્યાં આજે પીએમ મોદીની સભા છે..

લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ પર અનેક વખત કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રહાર કરવામાં આવતા હોય છે પરંતુ આ વખતે પોલીસ પર પણ પ્રહારો કરવામાં આવે છે... ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેને કારણે રાજનીતિ ગરમાઈ રહી છે..

પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે.. બનાસકાંઠામાં તેમણે પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહારો કર્યા છે.

જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...