Parshottam Rupala વિવાદ: MLA Jignesh Mevani દેખાયા આક્રામક! સાંભળો શું કહ્યું જીજ્ઞેશ મેવાણીએ?


  • Published By :
  • Published Date : 2024-04-06 14:25:56

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.. રાજ્યના અનેક ભાગોમાં પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. પોસ્ટરો લગાવવામાં આવ્યા... ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે. રાજકોટ ખાતે આજે ક્ષત્રિય સમાજની બેઠક થવાની છે. આ મામલે અનેક રાજનેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. પરેશ ધાનાણીએ અનેક વખત સોશિયલ મીડિયા પર આ મામલે પ્રતિક્રિયા આપી છે, અનેક ટ્વિટ કરવામાં આવી છે તેમના દ્વારા.. આ બધા વચ્ચે જીજ્ઞેશ મેવાણીની પરષોત્તમ રૂપાલાના નિવેદન મામલે પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તે એકદમ આક્રોશમાં દેખાયા હતા. 

વિવાદને શાંત કરવા માટે કરવામાં આવ્યા પ્રયાસો પરંતુ... 

ગુજરાતની અનેક બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. અનેક બેઠકો પર ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પરષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું જેનો વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે.. ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ વિવાદ શાંત નથી થઈ રહ્યો. વિવાદ વધારેને વધારે વધતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.          


જીજ્ઞેશ મેવાણીએ પરષોત્તમ રૂપાલાના  નિવેદન પર આપી પ્રતિક્રિયા!   

આ બધા વચ્ચે જીજ્ઞેશ મેવાણીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. જીજ્ઞેશ મેવાણી ખૂબ આક્રામક દેખાઈ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર ચંદનજી ઠાકોર માટે પ્રચાર કરવા પહોંચેલા જીજ્ઞેશ મેવાણીએ ભાજપ તેમજ પરષોત્તમ રૂપાલા પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધનમાં તેઓ કહેવા માંગતા હતા કે ભાજપે ટિકીટ તો કાપવી જ પડશે ઉપરાંત એવું પણ કહ્યું કે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે... મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજનો વિવાદ પ્રતિદિન વધી રહ્યો છે..!   




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે