આવતી કાલે પરષોત્તમ રૂપાલા ભરશે ઉમેદવારી ફોર્મ, શું ક્ષત્રિય સમાજને મનાવવામાં ભાજપ સફળ જશે? સાંભળો આ વિવાદ મુદ્દે શું કહ્યું C.R.Patilએ?


  • Published By :
  • Published Date : 2024-04-15 17:28:17

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે . ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું જે બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે... આ બધા વચ્ચે આવતી કાલે પરષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવાના છે આ બધા વચ્ચે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સી.આર.પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં સી.આર.પાટીલને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 

ભાજપના નેતા અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે થઈ બેઠક 

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આવતી કાલે પરષોત્તમ રૂપાલા ઉમેદવારી નોંધાવાના છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે.. એવું લાગતું હતું કે આ વિવાદ શાંત થઈ જશે પરંતુ દિવસેને દિવસે આ વિવાદ ઉગ્ર બની રહ્યો છે. ગઈકાલે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા. આ વિવાદને શાંત કરવા માટે ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ પરંતુ તે બેઠકનું કંઈ પરિણામ ના આવ્યું. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે તો બધા વચ્ચે આજે સી.આર.પાટીલે આ મામલે પ્રતિક્રિયા આપી છે...


સી.આર.પાટીલે ચાલી રહેલા વિવાદને લઈ કહ્યું.....  

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સી.આર.પાટીલ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં તેમને પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પૂછવામાં આવ્યું હતું. ત્યારે આજે આ મામલે સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપી છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે ‘ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ. ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, હું, હર્ષ સહિત અમે બધા તેમની સાથે સંપર્કમાં છીએ. અમારી આગેવાનો સાથે વાતચીત ચાલી રહી છે. આ મામલે સુખદ નિવેડો આવે તેવા અમારા પ્રયત્નો છે. અમે આ બાબતે ગંભીર છીએ. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા આવતી કાલે ઉમેદવારી ફોર્મ નોંધાવાના છે....  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે