આવતી કાલે પરષોત્તમ રૂપાલા ભરશે ઉમેદવારી ફોર્મ, શું ક્ષત્રિય સમાજને મનાવવામાં ભાજપ સફળ જશે? સાંભળો આ વિવાદ મુદ્દે શું કહ્યું C.R.Patilએ?


  • Published By :
  • Published Date : 2024-04-15 17:28:17

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે . ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું જે બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે... આ બધા વચ્ચે આવતી કાલે પરષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવાના છે આ બધા વચ્ચે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સી.આર.પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં સી.આર.પાટીલને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 

ભાજપના નેતા અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે થઈ બેઠક 

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આવતી કાલે પરષોત્તમ રૂપાલા ઉમેદવારી નોંધાવાના છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે.. એવું લાગતું હતું કે આ વિવાદ શાંત થઈ જશે પરંતુ દિવસેને દિવસે આ વિવાદ ઉગ્ર બની રહ્યો છે. ગઈકાલે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા. આ વિવાદને શાંત કરવા માટે ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ પરંતુ તે બેઠકનું કંઈ પરિણામ ના આવ્યું. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે તો બધા વચ્ચે આજે સી.આર.પાટીલે આ મામલે પ્રતિક્રિયા આપી છે...


સી.આર.પાટીલે ચાલી રહેલા વિવાદને લઈ કહ્યું.....  

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સી.આર.પાટીલ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં તેમને પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પૂછવામાં આવ્યું હતું. ત્યારે આજે આ મામલે સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપી છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે ‘ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ. ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, હું, હર્ષ સહિત અમે બધા તેમની સાથે સંપર્કમાં છીએ. અમારી આગેવાનો સાથે વાતચીત ચાલી રહી છે. આ મામલે સુખદ નિવેડો આવે તેવા અમારા પ્રયત્નો છે. અમે આ બાબતે ગંભીર છીએ. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા આવતી કાલે ઉમેદવારી ફોર્મ નોંધાવાના છે....  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે