લંડન જઈ રહેલી ફ્લાઈટમાં પેસેન્જરે ક્રૂ મેમ્બર સાથે કર્યું ગેરવર્તન, ફ્લાઈટમાં કરી મારપીટ, દિલ્હી ફ્લાઈટ પરત ફરી


  • Published By :
  • Published Date : 2023-04-11 09:37:57

ઘણા સમયથી ફ્લાઈટમાં એવી એવી ઘટનાઓ સામે આવી રહી છે જેને કારણે ચર્ચાઓ થતી રહે છે. થોડા દિવસ પહેલા ઈન્ડિગો ફ્લાઈટમાં એક પેસેન્જરે સિગરેટ સળગાવી દીધી હતી, તો કોઈ વખત મહિલા પેસેન્જર પર પેસાબ કરવાના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તન કરવાના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક પેસેન્જરે ક્રૂ મેમ્બર્સ સાથે મારપીટ કરવાની ઘટના સામે આવી છે. જેમાં 2 ક્રૂ મેમ્બર ઘાયલ થયા છે. જેને કારણે ફ્લાઈટ દિલ્હી પરત ફરી હતી.

 


પેસેન્જરે ક્રૂ મેમ્બર સાથે કર્યું ગેરવર્તન  

ફ્લાઈટમાં સવાર પેસેન્જરો ઘણી વખત પોતાની મર્યાદા ભૂલી જતા હોય તેવું લાગી રહ્યું છે. અનેક એવા કિસ્સાઓ સામે આવતા રહે છે કે જેમાં પેસેન્જર દ્વારા કરવામાં આવતા વર્તનને કારણે ચર્ચાઓ થતી હોય છે. ત્યારે ક્રૂ મેમ્બર્સ સાથે એક પેસેન્જરે ગેરવર્તન કર્યું હતું. એયર ઈન્ડિયાની ફ્લાઈટમાં આ ઘટના બની હતી. પેસેન્જરે ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તન કર્યું હતું. પેસેન્જર દ્વારા આ પ્રકારનું વર્તન કરાતા ઉપરાંત મારપીટ કરાતા ફ્લાઈટ દિલ્હી પરત ફરી હતી. ઉડાન ભરી તે બાદથી પેસેન્જરે ગેરવર્તન કરવાની શરૂઆત કરી દીધી હતી. વિમાનના સ્ટાફે અનેક વખત ચેતવણી આપી પરંતુ તેણે ગેરવર્તન કરવાનું ચાલું રાખ્યું અને તે બાદ મારપીટ પણ શરૂ કરી દીધી હતી. પેસેન્જર વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. પેસેન્જર હાલ પોલીસ કસ્ટડીમાં છે.


ફ્લાઈટમાં બની રહ્યા છે આવા અનેક કિસ્સાઓ   

આ પહેલી ઘટના નથી જ્યારે પેસેન્જર દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હોય. થોડા સમય પહેલા ફ્લાઈટમાં એક પેસેન્જરે સિગરેટ સળગાવી દીધી હતી જેને કારણે ફ્લાઈટમાં ફાયર એલાર્મ વાગી ગયું હતું, પેસેન્જર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આ પહેલા જાન્યુઆરીમાં સ્પાઈસ જેટની ફ્લાઈટમાં પણ એક પેસેન્જરે એયરહોસ્ટેસ સાથે ગેરવર્તન કર્યું હતું. તે પહેલા એયર ઈન્ડિયામાં એક પેસેન્જરે મહિલા પેસેન્જર પર પેસાબ કરી દીધો હતો.શંકર મિશ્રા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ફ્લાઈટમાં નશાની હાલતમાં લોકો એવી હરકતો કરી દેતા હોય છે જેને કારણે અન્ય લોકોને હેરાન થવાનો વારો આવે છે.       

    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.