લંડન જઈ રહેલી ફ્લાઈટમાં પેસેન્જરે ક્રૂ મેમ્બર સાથે કર્યું ગેરવર્તન, ફ્લાઈટમાં કરી મારપીટ, દિલ્હી ફ્લાઈટ પરત ફરી


  • Published By :
  • Published Date : 2023-04-11 09:37:57

ઘણા સમયથી ફ્લાઈટમાં એવી એવી ઘટનાઓ સામે આવી રહી છે જેને કારણે ચર્ચાઓ થતી રહે છે. થોડા દિવસ પહેલા ઈન્ડિગો ફ્લાઈટમાં એક પેસેન્જરે સિગરેટ સળગાવી દીધી હતી, તો કોઈ વખત મહિલા પેસેન્જર પર પેસાબ કરવાના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તન કરવાના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક પેસેન્જરે ક્રૂ મેમ્બર્સ સાથે મારપીટ કરવાની ઘટના સામે આવી છે. જેમાં 2 ક્રૂ મેમ્બર ઘાયલ થયા છે. જેને કારણે ફ્લાઈટ દિલ્હી પરત ફરી હતી.

 


પેસેન્જરે ક્રૂ મેમ્બર સાથે કર્યું ગેરવર્તન  

ફ્લાઈટમાં સવાર પેસેન્જરો ઘણી વખત પોતાની મર્યાદા ભૂલી જતા હોય તેવું લાગી રહ્યું છે. અનેક એવા કિસ્સાઓ સામે આવતા રહે છે કે જેમાં પેસેન્જર દ્વારા કરવામાં આવતા વર્તનને કારણે ચર્ચાઓ થતી હોય છે. ત્યારે ક્રૂ મેમ્બર્સ સાથે એક પેસેન્જરે ગેરવર્તન કર્યું હતું. એયર ઈન્ડિયાની ફ્લાઈટમાં આ ઘટના બની હતી. પેસેન્જરે ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તન કર્યું હતું. પેસેન્જર દ્વારા આ પ્રકારનું વર્તન કરાતા ઉપરાંત મારપીટ કરાતા ફ્લાઈટ દિલ્હી પરત ફરી હતી. ઉડાન ભરી તે બાદથી પેસેન્જરે ગેરવર્તન કરવાની શરૂઆત કરી દીધી હતી. વિમાનના સ્ટાફે અનેક વખત ચેતવણી આપી પરંતુ તેણે ગેરવર્તન કરવાનું ચાલું રાખ્યું અને તે બાદ મારપીટ પણ શરૂ કરી દીધી હતી. પેસેન્જર વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. પેસેન્જર હાલ પોલીસ કસ્ટડીમાં છે.


ફ્લાઈટમાં બની રહ્યા છે આવા અનેક કિસ્સાઓ   

આ પહેલી ઘટના નથી જ્યારે પેસેન્જર દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હોય. થોડા સમય પહેલા ફ્લાઈટમાં એક પેસેન્જરે સિગરેટ સળગાવી દીધી હતી જેને કારણે ફ્લાઈટમાં ફાયર એલાર્મ વાગી ગયું હતું, પેસેન્જર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આ પહેલા જાન્યુઆરીમાં સ્પાઈસ જેટની ફ્લાઈટમાં પણ એક પેસેન્જરે એયરહોસ્ટેસ સાથે ગેરવર્તન કર્યું હતું. તે પહેલા એયર ઈન્ડિયામાં એક પેસેન્જરે મહિલા પેસેન્જર પર પેસાબ કરી દીધો હતો.શંકર મિશ્રા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ફ્લાઈટમાં નશાની હાલતમાં લોકો એવી હરકતો કરી દેતા હોય છે જેને કારણે અન્ય લોકોને હેરાન થવાનો વારો આવે છે.       

    



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.