લંડન જઈ રહેલી ફ્લાઈટમાં પેસેન્જરે ક્રૂ મેમ્બર સાથે કર્યું ગેરવર્તન, ફ્લાઈટમાં કરી મારપીટ, દિલ્હી ફ્લાઈટ પરત ફરી


  • Published By :
  • Published Date : 2023-04-11 09:37:57

ઘણા સમયથી ફ્લાઈટમાં એવી એવી ઘટનાઓ સામે આવી રહી છે જેને કારણે ચર્ચાઓ થતી રહે છે. થોડા દિવસ પહેલા ઈન્ડિગો ફ્લાઈટમાં એક પેસેન્જરે સિગરેટ સળગાવી દીધી હતી, તો કોઈ વખત મહિલા પેસેન્જર પર પેસાબ કરવાના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તન કરવાના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક પેસેન્જરે ક્રૂ મેમ્બર્સ સાથે મારપીટ કરવાની ઘટના સામે આવી છે. જેમાં 2 ક્રૂ મેમ્બર ઘાયલ થયા છે. જેને કારણે ફ્લાઈટ દિલ્હી પરત ફરી હતી.

 


પેસેન્જરે ક્રૂ મેમ્બર સાથે કર્યું ગેરવર્તન  

ફ્લાઈટમાં સવાર પેસેન્જરો ઘણી વખત પોતાની મર્યાદા ભૂલી જતા હોય તેવું લાગી રહ્યું છે. અનેક એવા કિસ્સાઓ સામે આવતા રહે છે કે જેમાં પેસેન્જર દ્વારા કરવામાં આવતા વર્તનને કારણે ચર્ચાઓ થતી હોય છે. ત્યારે ક્રૂ મેમ્બર્સ સાથે એક પેસેન્જરે ગેરવર્તન કર્યું હતું. એયર ઈન્ડિયાની ફ્લાઈટમાં આ ઘટના બની હતી. પેસેન્જરે ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તન કર્યું હતું. પેસેન્જર દ્વારા આ પ્રકારનું વર્તન કરાતા ઉપરાંત મારપીટ કરાતા ફ્લાઈટ દિલ્હી પરત ફરી હતી. ઉડાન ભરી તે બાદથી પેસેન્જરે ગેરવર્તન કરવાની શરૂઆત કરી દીધી હતી. વિમાનના સ્ટાફે અનેક વખત ચેતવણી આપી પરંતુ તેણે ગેરવર્તન કરવાનું ચાલું રાખ્યું અને તે બાદ મારપીટ પણ શરૂ કરી દીધી હતી. પેસેન્જર વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. પેસેન્જર હાલ પોલીસ કસ્ટડીમાં છે.


ફ્લાઈટમાં બની રહ્યા છે આવા અનેક કિસ્સાઓ   

આ પહેલી ઘટના નથી જ્યારે પેસેન્જર દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હોય. થોડા સમય પહેલા ફ્લાઈટમાં એક પેસેન્જરે સિગરેટ સળગાવી દીધી હતી જેને કારણે ફ્લાઈટમાં ફાયર એલાર્મ વાગી ગયું હતું, પેસેન્જર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આ પહેલા જાન્યુઆરીમાં સ્પાઈસ જેટની ફ્લાઈટમાં પણ એક પેસેન્જરે એયરહોસ્ટેસ સાથે ગેરવર્તન કર્યું હતું. તે પહેલા એયર ઈન્ડિયામાં એક પેસેન્જરે મહિલા પેસેન્જર પર પેસાબ કરી દીધો હતો.શંકર મિશ્રા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ફ્લાઈટમાં નશાની હાલતમાં લોકો એવી હરકતો કરી દેતા હોય છે જેને કારણે અન્ય લોકોને હેરાન થવાનો વારો આવે છે.       

    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.