શહેરની બહાર ઉતારાતા સુરતમાં મુસાફરો થઈ રહ્યા છે હેરાન પરેશાન, હાલાકીનો સામનો કરવા લોકો મજબૂર


  • Published By :
  • Published Date : 2023-02-21 17:57:22

લક્ઝરી બસને કારણે અનેક વખત ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે સુરતમાં પ્રતિબંધિત સમય દરમિયાન લકઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખ્યો હતો. જે બાદ લકઝરી બસ પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં પ્રવેશ નહીં કરે તેવો નિર્ણય લક્ઝરી બસ ઓપરેટરો દ્વારા લેવામાં આવ્યો હતો. આજથી આ નિર્ણયની અમલી કરવામાં આવી છે જેને કારણે વહેલી સવારે વાલક પાટિયા પાસે પેસેન્જર ઉતારી દેવામાં આવ્યા હતા. જેને કારણે મુસાફરોને ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. અનેક લોકોનું કહેવું છે કે જેટલો ખર્ચ બહારથી સુરત આવવા માટે થયો તેનાથી વધારે ખર્ચો તેમના ઘર સુધી પહોંચવા માટે થયો છે.


મુસાફરોને પડી રહી છે અગવડ 

કુમાર કાનાણીએ પત્ર લખ્યો હતો જેમાં તેમણે રજૂઆત કરી હતી કે પ્રતિબંધિત સમય દરમિયાન ભારે વાહનો અને લક્ઝરી બસ શહેરમાં પ્રવેશ ન કરે. આ રજૂઆતને સ્વીકારવામાં આવી હતી. જે બાદ આજથી મુસાફરોને શહેરની બહાર ઉતારી દેવાયા હતા. બસ ઓપરેટરોએ મુસાફરોને વાલક પાટિયા નજીક ઉતારી દીધા હતા. જેને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. પરિવારજનોએ શહેરની બહાર લેવા આવવું પડે છે તો અનેક લોકોને સાધન કરી ઘર સુધી પહોંચવું પડે છે જેને કારણે મુસાફરીનો ખર્ચો વધી જાય છે. આ નિર્ણયને કારણે અનેક મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.