શહેરની બહાર ઉતારાતા સુરતમાં મુસાફરો થઈ રહ્યા છે હેરાન પરેશાન, હાલાકીનો સામનો કરવા લોકો મજબૂર


  • Published By :
  • Published Date : 2023-02-21 17:57:22

લક્ઝરી બસને કારણે અનેક વખત ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે સુરતમાં પ્રતિબંધિત સમય દરમિયાન લકઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખ્યો હતો. જે બાદ લકઝરી બસ પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં પ્રવેશ નહીં કરે તેવો નિર્ણય લક્ઝરી બસ ઓપરેટરો દ્વારા લેવામાં આવ્યો હતો. આજથી આ નિર્ણયની અમલી કરવામાં આવી છે જેને કારણે વહેલી સવારે વાલક પાટિયા પાસે પેસેન્જર ઉતારી દેવામાં આવ્યા હતા. જેને કારણે મુસાફરોને ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. અનેક લોકોનું કહેવું છે કે જેટલો ખર્ચ બહારથી સુરત આવવા માટે થયો તેનાથી વધારે ખર્ચો તેમના ઘર સુધી પહોંચવા માટે થયો છે.


મુસાફરોને પડી રહી છે અગવડ 

કુમાર કાનાણીએ પત્ર લખ્યો હતો જેમાં તેમણે રજૂઆત કરી હતી કે પ્રતિબંધિત સમય દરમિયાન ભારે વાહનો અને લક્ઝરી બસ શહેરમાં પ્રવેશ ન કરે. આ રજૂઆતને સ્વીકારવામાં આવી હતી. જે બાદ આજથી મુસાફરોને શહેરની બહાર ઉતારી દેવાયા હતા. બસ ઓપરેટરોએ મુસાફરોને વાલક પાટિયા નજીક ઉતારી દીધા હતા. જેને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. પરિવારજનોએ શહેરની બહાર લેવા આવવું પડે છે તો અનેક લોકોને સાધન કરી ઘર સુધી પહોંચવું પડે છે જેને કારણે મુસાફરીનો ખર્ચો વધી જાય છે. આ નિર્ણયને કારણે અનેક મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.