શહેરની બહાર ઉતારાતા સુરતમાં મુસાફરો થઈ રહ્યા છે હેરાન પરેશાન, હાલાકીનો સામનો કરવા લોકો મજબૂર


  • Published By :
  • Published Date : 2023-02-21 17:57:22

લક્ઝરી બસને કારણે અનેક વખત ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે સુરતમાં પ્રતિબંધિત સમય દરમિયાન લકઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખ્યો હતો. જે બાદ લકઝરી બસ પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં પ્રવેશ નહીં કરે તેવો નિર્ણય લક્ઝરી બસ ઓપરેટરો દ્વારા લેવામાં આવ્યો હતો. આજથી આ નિર્ણયની અમલી કરવામાં આવી છે જેને કારણે વહેલી સવારે વાલક પાટિયા પાસે પેસેન્જર ઉતારી દેવામાં આવ્યા હતા. જેને કારણે મુસાફરોને ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. અનેક લોકોનું કહેવું છે કે જેટલો ખર્ચ બહારથી સુરત આવવા માટે થયો તેનાથી વધારે ખર્ચો તેમના ઘર સુધી પહોંચવા માટે થયો છે.


મુસાફરોને પડી રહી છે અગવડ 

કુમાર કાનાણીએ પત્ર લખ્યો હતો જેમાં તેમણે રજૂઆત કરી હતી કે પ્રતિબંધિત સમય દરમિયાન ભારે વાહનો અને લક્ઝરી બસ શહેરમાં પ્રવેશ ન કરે. આ રજૂઆતને સ્વીકારવામાં આવી હતી. જે બાદ આજથી મુસાફરોને શહેરની બહાર ઉતારી દેવાયા હતા. બસ ઓપરેટરોએ મુસાફરોને વાલક પાટિયા નજીક ઉતારી દીધા હતા. જેને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. પરિવારજનોએ શહેરની બહાર લેવા આવવું પડે છે તો અનેક લોકોને સાધન કરી ઘર સુધી પહોંચવું પડે છે જેને કારણે મુસાફરીનો ખર્ચો વધી જાય છે. આ નિર્ણયને કારણે અનેક મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.