કલોલ અંબિકા બસ સ્ટેન્ડ પાસે બસની રાહ જોતા મુસાફરો બન્યા કાળનો કોળિયો! પાછળથી આવતી બસને કારણે લોકો પર ટાયર ફરી વળ્યું! જાણો કેવી રીતે સર્જાયો અકસ્માત


  • Published By :
  • Published Date : 2023-05-10 17:45:08

કલોલ પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. જેમાં ચાર જેટલા લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર અંબિકા બસ સ્ટેન્ડ નજીક આ અકસ્માત સર્જાયો છે. બસની રાહ જોતા લોકો પર બસ ફરી વળી હતી. ખાનગી બસ અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ વિચિત્ર અકસ્માતમાં ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેેલે શોક વ્યક્ત કર્યો છે. આ ઘટનામાં મોત પામેલા લોકોને ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરી છે જ્યારે ઈજાગ્રસ્તને 50 હજાર આપવાની જાહેરાત કરી છે.

   


એસટી બસ અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત!

સમગ્ર ઘટનાની વાત કરીએ તો અંબિકા બસ સ્ટેન્ડ ઉપર ઉભેલા મુસાફરો વાહનની રાહ જોતા હતા તે વખતે વાદળી કલરની એસટી બસ રોડ પર ઉભી હતી. આ બસની આગળ મુસાફરો ઉભા હતા. તે દરમિયાન ફૂલ સ્પીડમાં પાછળથી આવતી લક્ઝરી બસે વાદળી બસને ટક્કર મારી હતી. એસ.ટી બસને પાછળથી એટલી જોરદાર ટક્કર મારી કે આગળ ઉભેલી વાદળી બસ આગળ ધકેલાઈ ગઈ. બસને ટક્કર વાગતા વાદળી બસ આગળ ધકેલાઈ અને બસની આગળ ઉભેલા લોકો બસની અટફેટે આવી ગયા. અને પાંચ જેટલા મુસાફરોના ઘટના સ્થળે કરૂણ મોત થઈ ગયા હતા. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.     


ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા!   

આ બનાવને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. એમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.