કલોલ અંબિકા બસ સ્ટેન્ડ પાસે બસની રાહ જોતા મુસાફરો બન્યા કાળનો કોળિયો! પાછળથી આવતી બસને કારણે લોકો પર ટાયર ફરી વળ્યું! જાણો કેવી રીતે સર્જાયો અકસ્માત


  • Published By :
  • Published Date : 2023-05-10 17:45:08

કલોલ પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. જેમાં ચાર જેટલા લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર અંબિકા બસ સ્ટેન્ડ નજીક આ અકસ્માત સર્જાયો છે. બસની રાહ જોતા લોકો પર બસ ફરી વળી હતી. ખાનગી બસ અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ વિચિત્ર અકસ્માતમાં ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેેલે શોક વ્યક્ત કર્યો છે. આ ઘટનામાં મોત પામેલા લોકોને ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરી છે જ્યારે ઈજાગ્રસ્તને 50 હજાર આપવાની જાહેરાત કરી છે.

   


એસટી બસ અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત!

સમગ્ર ઘટનાની વાત કરીએ તો અંબિકા બસ સ્ટેન્ડ ઉપર ઉભેલા મુસાફરો વાહનની રાહ જોતા હતા તે વખતે વાદળી કલરની એસટી બસ રોડ પર ઉભી હતી. આ બસની આગળ મુસાફરો ઉભા હતા. તે દરમિયાન ફૂલ સ્પીડમાં પાછળથી આવતી લક્ઝરી બસે વાદળી બસને ટક્કર મારી હતી. એસ.ટી બસને પાછળથી એટલી જોરદાર ટક્કર મારી કે આગળ ઉભેલી વાદળી બસ આગળ ધકેલાઈ ગઈ. બસને ટક્કર વાગતા વાદળી બસ આગળ ધકેલાઈ અને બસની આગળ ઉભેલા લોકો બસની અટફેટે આવી ગયા. અને પાંચ જેટલા મુસાફરોના ઘટના સ્થળે કરૂણ મોત થઈ ગયા હતા. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.     


ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા!   

આ બનાવને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. એમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે.    



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે