કલોલ અંબિકા બસ સ્ટેન્ડ પાસે બસની રાહ જોતા મુસાફરો બન્યા કાળનો કોળિયો! પાછળથી આવતી બસને કારણે લોકો પર ટાયર ફરી વળ્યું! જાણો કેવી રીતે સર્જાયો અકસ્માત


  • Published By :
  • Published Date : 2023-05-10 17:45:08

કલોલ પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. જેમાં ચાર જેટલા લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર અંબિકા બસ સ્ટેન્ડ નજીક આ અકસ્માત સર્જાયો છે. બસની રાહ જોતા લોકો પર બસ ફરી વળી હતી. ખાનગી બસ અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ વિચિત્ર અકસ્માતમાં ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેેલે શોક વ્યક્ત કર્યો છે. આ ઘટનામાં મોત પામેલા લોકોને ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરી છે જ્યારે ઈજાગ્રસ્તને 50 હજાર આપવાની જાહેરાત કરી છે.

   


એસટી બસ અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત!

સમગ્ર ઘટનાની વાત કરીએ તો અંબિકા બસ સ્ટેન્ડ ઉપર ઉભેલા મુસાફરો વાહનની રાહ જોતા હતા તે વખતે વાદળી કલરની એસટી બસ રોડ પર ઉભી હતી. આ બસની આગળ મુસાફરો ઉભા હતા. તે દરમિયાન ફૂલ સ્પીડમાં પાછળથી આવતી લક્ઝરી બસે વાદળી બસને ટક્કર મારી હતી. એસ.ટી બસને પાછળથી એટલી જોરદાર ટક્કર મારી કે આગળ ઉભેલી વાદળી બસ આગળ ધકેલાઈ ગઈ. બસને ટક્કર વાગતા વાદળી બસ આગળ ધકેલાઈ અને બસની આગળ ઉભેલા લોકો બસની અટફેટે આવી ગયા. અને પાંચ જેટલા મુસાફરોના ઘટના સ્થળે કરૂણ મોત થઈ ગયા હતા. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.     


ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા!   

આ બનાવને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. એમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.