Patan : સાંતલપુર નજીક સર્જાયો અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોને કાળ ભરખી ગયો, જાણો કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?


  • Published By :
  • Published Date : 2023-12-13 16:44:40

અકસ્માતોમાં અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ઘણી વખત બીજાના ભૂલની સજા કોઈ બીજાને સહન કરવી પડે છે. કોઈ વખત ઓવરસ્પીડને કારણે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવવાને કારણે અકસ્માત સર્જાય છે. રસ્તા પર કોઈ પશુ આવી જવાને કારણે અકસ્માતની ઘટના બને છે. રખડતા શ્વાન તેમજ રસ્તા પર રખડતા ઢોરને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થાય છે ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. 

Patan : કારને નડ્યો ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારમાં 4 લોકોના મોત

એક જ પરિવારના ચાર સભ્યોનું અકસ્માતમાં થયું મોત 

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ઓવરસ્પીડને કારણે તો રોંગ સાઈડ પર આવવાને કારણે લોકો મોતને ભેટે છે. ત્યારે પાટણમાં પણ અકસ્માત સર્જાયો છે જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે. વાહનો વચ્ચે ટક્કર થવાને કારણે અકસ્માત સર્જાતા હોય છે ત્યારે પ્રસંગમાં જઈ રહેલા એક પરિવારને અકસ્માત નડ્યો છે. પાટણના સાંતલપુર તાલુકાના ફાગલી ગામનો પરિવાર પ્રસંગમાં જઈ રહ્યો હતો તે દરમિયાન રસ્તા પર અચાનક એક જાનવર આવી ગયું. જાનવર આવવાને કારણે ગાડી પરથી કાબુ ગુમાવી દીધો અને આ દુર્ઘટના સર્જાઈ. 


જાનવર આવી જતા સર્જાઈ દુર્ઘટના 

ગાડી પરથી કાબુ ગુમાવવાને કારણે કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ. રોડની સાઈડમાં ખાડામાં પાણી ભરાયેલું હતું. ખાડામાં પાણી હોવાને કારણે ગાડી ડૂબી ગઈ. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આ અકસ્માતને લઈ જણાવ્યું કે કારમાં સવાર ચારેય લોકો એક જ પરિવારના સભ્યો હતા. મૃતકોમાં પતિ, પત્ની તેમજ બે દીકરીઓનો સમાવેશ થાય છે. જોશી પરિવારને અકસ્માત નડ્યો છે. ખાડામાંથી મૃતદેહો કાઢી પોલીસે પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધા છે અને આગળની તપાસ હાથ ધરી છે. 


રાજ્યમાં વધી છે અકસ્માતોની સંખ્યા!

મહત્વનું છે કે જ્યારે રસ્તા પર અચાનક કોઈ વ્યક્તિ કે કોઈ પ્રાણી આવી જતા હોય છે ત્યારે આવી દુર્ઘટના સર્જાતી હોય છે. અનેક કિસ્સાઓમાં એવું પણ જોવા મળ્યું છે કે આગળનું વાહન બ્રેક મારે તો પાછળની ગાડીઓ અથડાય છે અને અકસ્માત સર્જાય છે. રખડતા ઢોર તેમજ રખડતા શ્વાનને કારણે ગંભીર અકસ્માત થયા છે, લોકો ઈજાગ્રસ્ત થયા છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.