Patan : સાંતલપુર નજીક સર્જાયો અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોને કાળ ભરખી ગયો, જાણો કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?


  • Published By :
  • Published Date : 2023-12-13 16:44:40

અકસ્માતોમાં અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ઘણી વખત બીજાના ભૂલની સજા કોઈ બીજાને સહન કરવી પડે છે. કોઈ વખત ઓવરસ્પીડને કારણે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવવાને કારણે અકસ્માત સર્જાય છે. રસ્તા પર કોઈ પશુ આવી જવાને કારણે અકસ્માતની ઘટના બને છે. રખડતા શ્વાન તેમજ રસ્તા પર રખડતા ઢોરને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થાય છે ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. 

Patan : કારને નડ્યો ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારમાં 4 લોકોના મોત

એક જ પરિવારના ચાર સભ્યોનું અકસ્માતમાં થયું મોત 

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ઓવરસ્પીડને કારણે તો રોંગ સાઈડ પર આવવાને કારણે લોકો મોતને ભેટે છે. ત્યારે પાટણમાં પણ અકસ્માત સર્જાયો છે જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે. વાહનો વચ્ચે ટક્કર થવાને કારણે અકસ્માત સર્જાતા હોય છે ત્યારે પ્રસંગમાં જઈ રહેલા એક પરિવારને અકસ્માત નડ્યો છે. પાટણના સાંતલપુર તાલુકાના ફાગલી ગામનો પરિવાર પ્રસંગમાં જઈ રહ્યો હતો તે દરમિયાન રસ્તા પર અચાનક એક જાનવર આવી ગયું. જાનવર આવવાને કારણે ગાડી પરથી કાબુ ગુમાવી દીધો અને આ દુર્ઘટના સર્જાઈ. 


જાનવર આવી જતા સર્જાઈ દુર્ઘટના 

ગાડી પરથી કાબુ ગુમાવવાને કારણે કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ. રોડની સાઈડમાં ખાડામાં પાણી ભરાયેલું હતું. ખાડામાં પાણી હોવાને કારણે ગાડી ડૂબી ગઈ. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આ અકસ્માતને લઈ જણાવ્યું કે કારમાં સવાર ચારેય લોકો એક જ પરિવારના સભ્યો હતા. મૃતકોમાં પતિ, પત્ની તેમજ બે દીકરીઓનો સમાવેશ થાય છે. જોશી પરિવારને અકસ્માત નડ્યો છે. ખાડામાંથી મૃતદેહો કાઢી પોલીસે પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધા છે અને આગળની તપાસ હાથ ધરી છે. 


રાજ્યમાં વધી છે અકસ્માતોની સંખ્યા!

મહત્વનું છે કે જ્યારે રસ્તા પર અચાનક કોઈ વ્યક્તિ કે કોઈ પ્રાણી આવી જતા હોય છે ત્યારે આવી દુર્ઘટના સર્જાતી હોય છે. અનેક કિસ્સાઓમાં એવું પણ જોવા મળ્યું છે કે આગળનું વાહન બ્રેક મારે તો પાછળની ગાડીઓ અથડાય છે અને અકસ્માત સર્જાય છે. રખડતા ઢોર તેમજ રખડતા શ્વાનને કારણે ગંભીર અકસ્માત થયા છે, લોકો ઈજાગ્રસ્ત થયા છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.