Patan : સાંતલપુર નજીક સર્જાયો અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોને કાળ ભરખી ગયો, જાણો કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?


  • Published By :
  • Published Date : 2023-12-13 16:44:40

અકસ્માતોમાં અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ઘણી વખત બીજાના ભૂલની સજા કોઈ બીજાને સહન કરવી પડે છે. કોઈ વખત ઓવરસ્પીડને કારણે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવવાને કારણે અકસ્માત સર્જાય છે. રસ્તા પર કોઈ પશુ આવી જવાને કારણે અકસ્માતની ઘટના બને છે. રખડતા શ્વાન તેમજ રસ્તા પર રખડતા ઢોરને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થાય છે ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. 

Patan : કારને નડ્યો ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારમાં 4 લોકોના મોત

એક જ પરિવારના ચાર સભ્યોનું અકસ્માતમાં થયું મોત 

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ઓવરસ્પીડને કારણે તો રોંગ સાઈડ પર આવવાને કારણે લોકો મોતને ભેટે છે. ત્યારે પાટણમાં પણ અકસ્માત સર્જાયો છે જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે. વાહનો વચ્ચે ટક્કર થવાને કારણે અકસ્માત સર્જાતા હોય છે ત્યારે પ્રસંગમાં જઈ રહેલા એક પરિવારને અકસ્માત નડ્યો છે. પાટણના સાંતલપુર તાલુકાના ફાગલી ગામનો પરિવાર પ્રસંગમાં જઈ રહ્યો હતો તે દરમિયાન રસ્તા પર અચાનક એક જાનવર આવી ગયું. જાનવર આવવાને કારણે ગાડી પરથી કાબુ ગુમાવી દીધો અને આ દુર્ઘટના સર્જાઈ. 


જાનવર આવી જતા સર્જાઈ દુર્ઘટના 

ગાડી પરથી કાબુ ગુમાવવાને કારણે કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ. રોડની સાઈડમાં ખાડામાં પાણી ભરાયેલું હતું. ખાડામાં પાણી હોવાને કારણે ગાડી ડૂબી ગઈ. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આ અકસ્માતને લઈ જણાવ્યું કે કારમાં સવાર ચારેય લોકો એક જ પરિવારના સભ્યો હતા. મૃતકોમાં પતિ, પત્ની તેમજ બે દીકરીઓનો સમાવેશ થાય છે. જોશી પરિવારને અકસ્માત નડ્યો છે. ખાડામાંથી મૃતદેહો કાઢી પોલીસે પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધા છે અને આગળની તપાસ હાથ ધરી છે. 


રાજ્યમાં વધી છે અકસ્માતોની સંખ્યા!

મહત્વનું છે કે જ્યારે રસ્તા પર અચાનક કોઈ વ્યક્તિ કે કોઈ પ્રાણી આવી જતા હોય છે ત્યારે આવી દુર્ઘટના સર્જાતી હોય છે. અનેક કિસ્સાઓમાં એવું પણ જોવા મળ્યું છે કે આગળનું વાહન બ્રેક મારે તો પાછળની ગાડીઓ અથડાય છે અને અકસ્માત સર્જાય છે. રખડતા ઢોર તેમજ રખડતા શ્વાનને કારણે ગંભીર અકસ્માત થયા છે, લોકો ઈજાગ્રસ્ત થયા છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.