પાટણ લોકસભા બેઠકના બદલાયા સમીકરણો! ગુજરાત Congressના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે આ કારણોસર ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, સાંભળો


  • Published By :
  • Published Date : 2024-03-12 09:58:17

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી શકે છે. ઉમેદવારોને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા ગુજરાત માટે એક પણ ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી પરંતુ 15 બેઠકો માટે ભાજપે જાહેરાત કરી દીધી છે. એવું લાગતું હતું કે લોકસભા બેઠકો માટે કોંગ્રેસ પોતાના દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારશે પરંતુ આ બધા વચ્ચે સમાચાર આવ્યા કે જગદીશ ઠાકોર ચૂંટણી નથી લડવાના. તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. જગદીશ ઠાકોરે કહ્યું કે, નવા ઉમેદવારોને તક મળે અને તેઓ આગળ આવે એ જરુરી છે.   

ભાજપ અને કોંગ્રેસ કરી શકે છે ઉમેદવારોના નામની યાદી જાહેર 

ભારતીય જનતા પાર્ટીએ 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે 39 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ગુજરાત માટે કોંગ્રેસે એક બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી જ્યારે ભાજપે 26માંથી 15 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે. 7 માર્ચથી રાહુલ ગાંધી ગુજરાતમાં હતા. તેમની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં હતી. એવું લાગતું હતું કે રાહુલ ગાંધીની યાત્રા પૂર્ણ થશે તે બાદ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવશે અને એવી માહિતી પણ સામે આવી છે કે આજ સાંજ સુધીમાં આ યાદી જાહેર થઈ શકે છે. 


જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર!

પાટણ લોકસભા બેઠક માટે એવું માનવામાં આવતું હતું કે જગદીશ ઠાકોરને ઉમેદવાર કોંગ્રેસ બનાવી શકે છે પરંતુ ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. એક નિવેદન સામે આવ્યું છે જેમાં જગદીશ ઠાકોરે આ અંગેની વાત કરી છે. જો પાટણ લોકસભા બેઠકની વાત કરીએ તો ૨૦૧૯માં પાટણ લોકસભામાં  BJPના ભરતસિંહજી ડાભી દ્વારા ૧,૯૩ , ૮૭૯ ની સરસાઈથી જીત મેળવાઈ હતી. તો સામે કોંગ્રેસમાંથી જગદીશ ઠાકોર ઉભા હતા . હવે વાત પાટણ લોકસભાના એરિથમેટિકની તો આ લોકસભામાં આવે છે. વડગામ , કાંકરેજ , રાધનપુર , ચાણસ્મા , પાટણ , સિદ્ધપુર , ખેરાલુ એમ આ બેઠકની અંદર સાત વિધાનસભા બેઠક આવે છે. 


કોંગ્રેસે 4 બેઠકો પર જ્યારે બીજેપીએ 3 બેઠકો પર જીત હાંસલ કરી

કોંગ્રેસે ૨૦૨૨ની વિધાનસભામાં ૪ બેઠકો વડગામ , કાંકરેજ , ચાણસ્મા , પાટણ જીતી હતી , જયારે BJP એ માત્ર ૩ બેઠકો રાધનપુર , સિદ્ધપુર અને ખેરાલુ પર વિજય મેળવ્યો હતો . આ તરફ આપને જણાવી દઈકે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીઓમાં AAP અને કોંગ્રેસનું ગઠબંધન ન હતું , એટલે કોંગ્રેસના વોટ પણ કપાયા હતા . બીજી સૌથી મહત્વની વાત એ છે કે , કોંગ્રેસને આ વસ્તુ છેક ૨૦૨૨થી ખબર હતી તો પણ કોંગ્રેસે મેહનત ચાલુ ના કરી. ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ આ બેઠક માટે કોને ઉમેદવાર બનાવે છે?  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.