પાટણ લોકસભા બેઠકના બદલાયા સમીકરણો! ગુજરાત Congressના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે આ કારણોસર ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, સાંભળો


  • Published By :
  • Published Date : 2024-03-12 09:58:17

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી શકે છે. ઉમેદવારોને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા ગુજરાત માટે એક પણ ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી પરંતુ 15 બેઠકો માટે ભાજપે જાહેરાત કરી દીધી છે. એવું લાગતું હતું કે લોકસભા બેઠકો માટે કોંગ્રેસ પોતાના દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારશે પરંતુ આ બધા વચ્ચે સમાચાર આવ્યા કે જગદીશ ઠાકોર ચૂંટણી નથી લડવાના. તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. જગદીશ ઠાકોરે કહ્યું કે, નવા ઉમેદવારોને તક મળે અને તેઓ આગળ આવે એ જરુરી છે.   

ભાજપ અને કોંગ્રેસ કરી શકે છે ઉમેદવારોના નામની યાદી જાહેર 

ભારતીય જનતા પાર્ટીએ 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે 39 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ગુજરાત માટે કોંગ્રેસે એક બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી જ્યારે ભાજપે 26માંથી 15 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે. 7 માર્ચથી રાહુલ ગાંધી ગુજરાતમાં હતા. તેમની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં હતી. એવું લાગતું હતું કે રાહુલ ગાંધીની યાત્રા પૂર્ણ થશે તે બાદ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવશે અને એવી માહિતી પણ સામે આવી છે કે આજ સાંજ સુધીમાં આ યાદી જાહેર થઈ શકે છે. 


જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર!

પાટણ લોકસભા બેઠક માટે એવું માનવામાં આવતું હતું કે જગદીશ ઠાકોરને ઉમેદવાર કોંગ્રેસ બનાવી શકે છે પરંતુ ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. એક નિવેદન સામે આવ્યું છે જેમાં જગદીશ ઠાકોરે આ અંગેની વાત કરી છે. જો પાટણ લોકસભા બેઠકની વાત કરીએ તો ૨૦૧૯માં પાટણ લોકસભામાં  BJPના ભરતસિંહજી ડાભી દ્વારા ૧,૯૩ , ૮૭૯ ની સરસાઈથી જીત મેળવાઈ હતી. તો સામે કોંગ્રેસમાંથી જગદીશ ઠાકોર ઉભા હતા . હવે વાત પાટણ લોકસભાના એરિથમેટિકની તો આ લોકસભામાં આવે છે. વડગામ , કાંકરેજ , રાધનપુર , ચાણસ્મા , પાટણ , સિદ્ધપુર , ખેરાલુ એમ આ બેઠકની અંદર સાત વિધાનસભા બેઠક આવે છે. 


કોંગ્રેસે 4 બેઠકો પર જ્યારે બીજેપીએ 3 બેઠકો પર જીત હાંસલ કરી

કોંગ્રેસે ૨૦૨૨ની વિધાનસભામાં ૪ બેઠકો વડગામ , કાંકરેજ , ચાણસ્મા , પાટણ જીતી હતી , જયારે BJP એ માત્ર ૩ બેઠકો રાધનપુર , સિદ્ધપુર અને ખેરાલુ પર વિજય મેળવ્યો હતો . આ તરફ આપને જણાવી દઈકે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીઓમાં AAP અને કોંગ્રેસનું ગઠબંધન ન હતું , એટલે કોંગ્રેસના વોટ પણ કપાયા હતા . બીજી સૌથી મહત્વની વાત એ છે કે , કોંગ્રેસને આ વસ્તુ છેક ૨૦૨૨થી ખબર હતી તો પણ કોંગ્રેસે મેહનત ચાલુ ના કરી. ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ આ બેઠક માટે કોને ઉમેદવાર બનાવે છે?  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે