શિસ્ત પક્ષ ગણાતા ભાજપ પક્ષના કાર્યાલય બહાર તેમના પાટણના કાર્યકર્તાઓનો વિરોધ


  • Published By :
  • Published Date : 2022-11-14 17:19:11

ગાંધીનગરની કમલમ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓનો જમાવડો થયો છે. વિવિધ ક્ષેત્રોથી ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓ ગાંધીનગરના ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે પાટણ અને બાયડના સ્થાનિકોએ અને કાર્યકર્તાઓએ કમલમ બહાર વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પહોંચી જવાના કારણે કમલમના દ્વાર બંધ કરી દેવાનો વારો આવ્યો હતો. તમામ કાર્યકર્તાઓને સાંભળવામાં આવતા હોય છે પરંતુ આજે કોઈ કાર્યકર્તાઓને સાંભળવામાં આવતા નથી. ગાંધીનગરના કમલમના મોટા નેતાઓ હાલ અમદાવાદ ખાતેના ભાજપના મીડિયા સેન્ટર પહોંચ્યા છે કારણ કે અમિત શાહ મીડિયા સેન્ટર પહોંચ્યા છે. ભાજપની પંદર બેઠકો પર જ્યાં મુંજવણ છે તેમાં કોને ઉમેદવાર બનાવવામાં આવે તેની ચર્ચા કરવામાં આવી રહી છે. આથી પાટણના લોકોની માગણી સાંભળવા કમલમ ખાતે કોઈ નથી.  


પાટણમાં રબારી કે ઠાકોરને કે સ્થાનિકને ટિકિટ આપો 

ભારતીય જનતા પાર્ટીએ પાટણ વિધાનસભા બેઠક પરથી બહારના ઉમેદવાર ડોક્ટર રાજુલ દેસાઈને ટિકિટ આપી છે. ભાજપના ડોક્ટર રાજુલ દેસાઈને પાટણ બેઠક પરથી મોકો અપાયો છે. ત્યારે સ્થાનિક ભાજપના લોકોમાં અને ભાજપના કાર્યકર્તાઓમાં વિરોધનો સૂર રેડાયો હતો અને તેઓ પાટણથી ગાંધીનગર કમલમ કાર્યાલય પર પહોંચ્યા છે. પાટણના લોકો અને પાટણના ભાજપના કાર્યકર્તાઓની માગણી છે કે બહારના વ્યક્તિને ટિકિટ ના આપવામાં આવે. તેમની માગણી છે કે કોઈ સ્થાનિકને અથવા કોઈ રબારી સમાજના વ્યક્તિને અથવા કોઈ ઠાકોર સમાજના વ્યક્તિને ઉમેદવાર બનાવવામાં આવે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.