શિસ્ત પક્ષ ગણાતા ભાજપ પક્ષના કાર્યાલય બહાર તેમના પાટણના કાર્યકર્તાઓનો વિરોધ


  • Published By :
  • Published Date : 2022-11-14 17:19:11

ગાંધીનગરની કમલમ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓનો જમાવડો થયો છે. વિવિધ ક્ષેત્રોથી ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓ ગાંધીનગરના ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે પાટણ અને બાયડના સ્થાનિકોએ અને કાર્યકર્તાઓએ કમલમ બહાર વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પહોંચી જવાના કારણે કમલમના દ્વાર બંધ કરી દેવાનો વારો આવ્યો હતો. તમામ કાર્યકર્તાઓને સાંભળવામાં આવતા હોય છે પરંતુ આજે કોઈ કાર્યકર્તાઓને સાંભળવામાં આવતા નથી. ગાંધીનગરના કમલમના મોટા નેતાઓ હાલ અમદાવાદ ખાતેના ભાજપના મીડિયા સેન્ટર પહોંચ્યા છે કારણ કે અમિત શાહ મીડિયા સેન્ટર પહોંચ્યા છે. ભાજપની પંદર બેઠકો પર જ્યાં મુંજવણ છે તેમાં કોને ઉમેદવાર બનાવવામાં આવે તેની ચર્ચા કરવામાં આવી રહી છે. આથી પાટણના લોકોની માગણી સાંભળવા કમલમ ખાતે કોઈ નથી.  


પાટણમાં રબારી કે ઠાકોરને કે સ્થાનિકને ટિકિટ આપો 

ભારતીય જનતા પાર્ટીએ પાટણ વિધાનસભા બેઠક પરથી બહારના ઉમેદવાર ડોક્ટર રાજુલ દેસાઈને ટિકિટ આપી છે. ભાજપના ડોક્ટર રાજુલ દેસાઈને પાટણ બેઠક પરથી મોકો અપાયો છે. ત્યારે સ્થાનિક ભાજપના લોકોમાં અને ભાજપના કાર્યકર્તાઓમાં વિરોધનો સૂર રેડાયો હતો અને તેઓ પાટણથી ગાંધીનગર કમલમ કાર્યાલય પર પહોંચ્યા છે. પાટણના લોકો અને પાટણના ભાજપના કાર્યકર્તાઓની માગણી છે કે બહારના વ્યક્તિને ટિકિટ ના આપવામાં આવે. તેમની માગણી છે કે કોઈ સ્થાનિકને અથવા કોઈ રબારી સમાજના વ્યક્તિને અથવા કોઈ ઠાકોર સમાજના વ્યક્તિને ઉમેદવાર બનાવવામાં આવે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.