શિસ્ત પક્ષ ગણાતા ભાજપ પક્ષના કાર્યાલય બહાર તેમના પાટણના કાર્યકર્તાઓનો વિરોધ


  • Published By :
  • Published Date : 2022-11-14 17:19:11

ગાંધીનગરની કમલમ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓનો જમાવડો થયો છે. વિવિધ ક્ષેત્રોથી ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓ ગાંધીનગરના ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે પાટણ અને બાયડના સ્થાનિકોએ અને કાર્યકર્તાઓએ કમલમ બહાર વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પહોંચી જવાના કારણે કમલમના દ્વાર બંધ કરી દેવાનો વારો આવ્યો હતો. તમામ કાર્યકર્તાઓને સાંભળવામાં આવતા હોય છે પરંતુ આજે કોઈ કાર્યકર્તાઓને સાંભળવામાં આવતા નથી. ગાંધીનગરના કમલમના મોટા નેતાઓ હાલ અમદાવાદ ખાતેના ભાજપના મીડિયા સેન્ટર પહોંચ્યા છે કારણ કે અમિત શાહ મીડિયા સેન્ટર પહોંચ્યા છે. ભાજપની પંદર બેઠકો પર જ્યાં મુંજવણ છે તેમાં કોને ઉમેદવાર બનાવવામાં આવે તેની ચર્ચા કરવામાં આવી રહી છે. આથી પાટણના લોકોની માગણી સાંભળવા કમલમ ખાતે કોઈ નથી.  


પાટણમાં રબારી કે ઠાકોરને કે સ્થાનિકને ટિકિટ આપો 

ભારતીય જનતા પાર્ટીએ પાટણ વિધાનસભા બેઠક પરથી બહારના ઉમેદવાર ડોક્ટર રાજુલ દેસાઈને ટિકિટ આપી છે. ભાજપના ડોક્ટર રાજુલ દેસાઈને પાટણ બેઠક પરથી મોકો અપાયો છે. ત્યારે સ્થાનિક ભાજપના લોકોમાં અને ભાજપના કાર્યકર્તાઓમાં વિરોધનો સૂર રેડાયો હતો અને તેઓ પાટણથી ગાંધીનગર કમલમ કાર્યાલય પર પહોંચ્યા છે. પાટણના લોકો અને પાટણના ભાજપના કાર્યકર્તાઓની માગણી છે કે બહારના વ્યક્તિને ટિકિટ ના આપવામાં આવે. તેમની માગણી છે કે કોઈ સ્થાનિકને અથવા કોઈ રબારી સમાજના વ્યક્તિને અથવા કોઈ ઠાકોર સમાજના વ્યક્તિને ઉમેદવાર બનાવવામાં આવે. 



દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ થવા લાગી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે તેઓ થોડા સમયની અંદર કેસરિયો ધારણ કરી શકે છે...

નશો કરવાની આદત અનેક લોકોને હોય છે. ખબર હોય છે કે નશો કરવાથી તેમની જીંદગી ટૂંકી જાય છે તો પણ અનેક લોકો નશો કરતા હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નશો ના કરવો જોઈએ તેને સમર્પિત એક રચના..

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે એક વિવાદ શાંત નથી થયો ત્યારે ભાજપના વધુ એક નેતા દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. ભૂપત ભાયાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.