અદાણી બાદ હવે બાબા રામદેવે આપ્યો ઝટકો, 5 મહિનામાં રોકાણકારોના 18 હજાર કરોડ ડુબ્યા


  • Published By :
  • Published Date : 2023-02-06 18:42:54

અદાણી મામલે સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે, અદાણીની કંપનીના શેર સતત તુટી રહ્યા છે. જો કે અન્ય એક કંપની પણ છે જેના શેર સતત તુટતા રોકાણકારોનના 7 હજાર કરોડ રૂપિયા  ડુબી ગયા છે. આ કંપની છે યોગ ગૂરૂ બાબા રામદેવની પતંજલી ફૂડ્સ.


7 હજાર કરોડનો ઝટકો


પતંજલી ફૂડ્સના શેરોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. 24 ફેબ્રુઆરીના દિવસે પતંજલિ ફૂડસના શેરનો ભાવ 1208 રૂપિયા પર હતો જે 3 ફેબ્રુઆરીએ ઘટીને 907 રૂપિયા પર પહોંચી ગયો છે. આ શેરમાં 25 ટકોનો ઘટાડો આવી ચુક્યો છે. 3 ફેબ્રુઆરીએ તો પતંજલિનો શેર લોઅર સર્કિટ પર પહોંચી ગયો હતો. શેર તુટતા કંપનીનું માર્કેટ કેપ 32825.69 જેટલું રહ્યું છે. જે 27 જાન્યુઆરીએ 40,000  કરોડ રૂપિયાના સ્તર પર હતું.


શા માટે તુટી રહ્યો છે શેર


પતંજલિના શેરો જે રીતે તુટી રહ્યા છે તેનું કારણ જાણવું પણ રસપ્રદ બની રહેશે. શેર બજારન  નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પતંજલિનો શેર તેના ખરા વેલ્યુએશનથી ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. હવે જ્યારે મંદીનો માહોલ છે ત્યારે તેમા કરેક્શન આવ્યું તે સ્વાભાવિક બાબત છે. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા પાંચ મહિનામાં રોકાણકારોના 18 હજાર કરોડ ડૂબી ગયા છે. 



ફૂટબોલ ગેમને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતમાં જીએસએલનું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગમાં 6 ટીમો વચ્ચે મુકાબલો થવાનો છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..