અદાણી બાદ હવે બાબા રામદેવે આપ્યો ઝટકો, 5 મહિનામાં રોકાણકારોના 18 હજાર કરોડ ડુબ્યા


  • Published By :
  • Published Date : 2023-02-06 18:42:54

અદાણી મામલે સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે, અદાણીની કંપનીના શેર સતત તુટી રહ્યા છે. જો કે અન્ય એક કંપની પણ છે જેના શેર સતત તુટતા રોકાણકારોનના 7 હજાર કરોડ રૂપિયા  ડુબી ગયા છે. આ કંપની છે યોગ ગૂરૂ બાબા રામદેવની પતંજલી ફૂડ્સ.


7 હજાર કરોડનો ઝટકો


પતંજલી ફૂડ્સના શેરોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. 24 ફેબ્રુઆરીના દિવસે પતંજલિ ફૂડસના શેરનો ભાવ 1208 રૂપિયા પર હતો જે 3 ફેબ્રુઆરીએ ઘટીને 907 રૂપિયા પર પહોંચી ગયો છે. આ શેરમાં 25 ટકોનો ઘટાડો આવી ચુક્યો છે. 3 ફેબ્રુઆરીએ તો પતંજલિનો શેર લોઅર સર્કિટ પર પહોંચી ગયો હતો. શેર તુટતા કંપનીનું માર્કેટ કેપ 32825.69 જેટલું રહ્યું છે. જે 27 જાન્યુઆરીએ 40,000  કરોડ રૂપિયાના સ્તર પર હતું.


શા માટે તુટી રહ્યો છે શેર


પતંજલિના શેરો જે રીતે તુટી રહ્યા છે તેનું કારણ જાણવું પણ રસપ્રદ બની રહેશે. શેર બજારન  નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પતંજલિનો શેર તેના ખરા વેલ્યુએશનથી ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. હવે જ્યારે મંદીનો માહોલ છે ત્યારે તેમા કરેક્શન આવ્યું તે સ્વાભાવિક બાબત છે. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા પાંચ મહિનામાં રોકાણકારોના 18 હજાર કરોડ ડૂબી ગયા છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.