અદાણી બાદ હવે બાબા રામદેવે આપ્યો ઝટકો, 5 મહિનામાં રોકાણકારોના 18 હજાર કરોડ ડુબ્યા


  • Published By :
  • Published Date : 2023-02-06 18:42:54

અદાણી મામલે સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે, અદાણીની કંપનીના શેર સતત તુટી રહ્યા છે. જો કે અન્ય એક કંપની પણ છે જેના શેર સતત તુટતા રોકાણકારોનના 7 હજાર કરોડ રૂપિયા  ડુબી ગયા છે. આ કંપની છે યોગ ગૂરૂ બાબા રામદેવની પતંજલી ફૂડ્સ.


7 હજાર કરોડનો ઝટકો


પતંજલી ફૂડ્સના શેરોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. 24 ફેબ્રુઆરીના દિવસે પતંજલિ ફૂડસના શેરનો ભાવ 1208 રૂપિયા પર હતો જે 3 ફેબ્રુઆરીએ ઘટીને 907 રૂપિયા પર પહોંચી ગયો છે. આ શેરમાં 25 ટકોનો ઘટાડો આવી ચુક્યો છે. 3 ફેબ્રુઆરીએ તો પતંજલિનો શેર લોઅર સર્કિટ પર પહોંચી ગયો હતો. શેર તુટતા કંપનીનું માર્કેટ કેપ 32825.69 જેટલું રહ્યું છે. જે 27 જાન્યુઆરીએ 40,000  કરોડ રૂપિયાના સ્તર પર હતું.


શા માટે તુટી રહ્યો છે શેર


પતંજલિના શેરો જે રીતે તુટી રહ્યા છે તેનું કારણ જાણવું પણ રસપ્રદ બની રહેશે. શેર બજારન  નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પતંજલિનો શેર તેના ખરા વેલ્યુએશનથી ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. હવે જ્યારે મંદીનો માહોલ છે ત્યારે તેમા કરેક્શન આવ્યું તે સ્વાભાવિક બાબત છે. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા પાંચ મહિનામાં રોકાણકારોના 18 હજાર કરોડ ડૂબી ગયા છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.