પઠાણ ફિલ્મે તોડ્યો બાહુબલી 2 નો આ રેકોર્ડ, 20 દિવસમાં બજેટ કરતા 281% વધુ કમાણી


  • Published By :
  • Published Date : 2023-02-14 17:11:28

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. આ ફિલ્મ રિલિઝ થયાને 21 દિવસ થઈ ગયા છે. આ ફિલ્મના 20માં દિવસે દેશમાં હિન્દી વર્ઝનથી 4 કરોડ રૂપિયાનું કલેક્સન કર્યું છે. આ પ્રકારે 250 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મ માત્ર દેશમાં જ રૂ. 471 કરોડથી વધુનું નેટ કલેક્શન કર્યું છે. આ બજેટની તુલનમાં 88 ટકાથી વધુની કમાણી છે. જ્યારે વિદેશમાં કમાણીના મામલે આ ફિલ્મ 953 કરોડ રૂપિયાના આંક સુધી પહોંચી ગઈ છે. એટલે કે બજેટના પ્રમાણમાં તેણે વર્લ્ડ વાઈડ 281 ટકાથી વધુની કમાણી કરી છે.    


'પઠાણે' તોડ્યો 'બાહુબલી 2'નો રેકોર્ડ


'પઠાણે' 20માં દિવસે 'બાહુબલી 2'નો વધુ એક રેકોર્ડ તોડ્યો છે. ફિલ્મે દિલ્હી/એનસીઆર સર્કિટમાં રૂ. 110 કરોડની કમાણી કરી છે. પ્રભાસની ફિલ્મ બાહુબલી 2 અત્યાર સુધી આ સર્કિટમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. 'બાહુબલી 2' એ 98.64 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, ત્યારબાદ યશની 'KGF 2' નો નંબર આવે છે, આ ફિલ્મે 85.16 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.