પઠાણ ફિલ્મે તોડ્યો બાહુબલી 2 નો આ રેકોર્ડ, 20 દિવસમાં બજેટ કરતા 281% વધુ કમાણી


  • Published By :
  • Published Date : 2023-02-14 17:11:28

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. આ ફિલ્મ રિલિઝ થયાને 21 દિવસ થઈ ગયા છે. આ ફિલ્મના 20માં દિવસે દેશમાં હિન્દી વર્ઝનથી 4 કરોડ રૂપિયાનું કલેક્સન કર્યું છે. આ પ્રકારે 250 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મ માત્ર દેશમાં જ રૂ. 471 કરોડથી વધુનું નેટ કલેક્શન કર્યું છે. આ બજેટની તુલનમાં 88 ટકાથી વધુની કમાણી છે. જ્યારે વિદેશમાં કમાણીના મામલે આ ફિલ્મ 953 કરોડ રૂપિયાના આંક સુધી પહોંચી ગઈ છે. એટલે કે બજેટના પ્રમાણમાં તેણે વર્લ્ડ વાઈડ 281 ટકાથી વધુની કમાણી કરી છે.    


'પઠાણે' તોડ્યો 'બાહુબલી 2'નો રેકોર્ડ


'પઠાણે' 20માં દિવસે 'બાહુબલી 2'નો વધુ એક રેકોર્ડ તોડ્યો છે. ફિલ્મે દિલ્હી/એનસીઆર સર્કિટમાં રૂ. 110 કરોડની કમાણી કરી છે. પ્રભાસની ફિલ્મ બાહુબલી 2 અત્યાર સુધી આ સર્કિટમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. 'બાહુબલી 2' એ 98.64 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, ત્યારબાદ યશની 'KGF 2' નો નંબર આવે છે, આ ફિલ્મે 85.16 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.