પઠાણ ફિલ્મે તોડ્યો બાહુબલી 2 નો આ રેકોર્ડ, 20 દિવસમાં બજેટ કરતા 281% વધુ કમાણી


  • Published By :
  • Published Date : 2023-02-14 17:11:28

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. આ ફિલ્મ રિલિઝ થયાને 21 દિવસ થઈ ગયા છે. આ ફિલ્મના 20માં દિવસે દેશમાં હિન્દી વર્ઝનથી 4 કરોડ રૂપિયાનું કલેક્સન કર્યું છે. આ પ્રકારે 250 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મ માત્ર દેશમાં જ રૂ. 471 કરોડથી વધુનું નેટ કલેક્શન કર્યું છે. આ બજેટની તુલનમાં 88 ટકાથી વધુની કમાણી છે. જ્યારે વિદેશમાં કમાણીના મામલે આ ફિલ્મ 953 કરોડ રૂપિયાના આંક સુધી પહોંચી ગઈ છે. એટલે કે બજેટના પ્રમાણમાં તેણે વર્લ્ડ વાઈડ 281 ટકાથી વધુની કમાણી કરી છે.    


'પઠાણે' તોડ્યો 'બાહુબલી 2'નો રેકોર્ડ


'પઠાણે' 20માં દિવસે 'બાહુબલી 2'નો વધુ એક રેકોર્ડ તોડ્યો છે. ફિલ્મે દિલ્હી/એનસીઆર સર્કિટમાં રૂ. 110 કરોડની કમાણી કરી છે. પ્રભાસની ફિલ્મ બાહુબલી 2 અત્યાર સુધી આ સર્કિટમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. 'બાહુબલી 2' એ 98.64 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, ત્યારબાદ યશની 'KGF 2' નો નંબર આવે છે, આ ફિલ્મે 85.16 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.