પઠાણ ફિલ્મે તોડ્યો બાહુબલી 2 નો આ રેકોર્ડ, 20 દિવસમાં બજેટ કરતા 281% વધુ કમાણી


  • Published By :
  • Published Date : 2023-02-14 17:11:28

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. આ ફિલ્મ રિલિઝ થયાને 21 દિવસ થઈ ગયા છે. આ ફિલ્મના 20માં દિવસે દેશમાં હિન્દી વર્ઝનથી 4 કરોડ રૂપિયાનું કલેક્સન કર્યું છે. આ પ્રકારે 250 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મ માત્ર દેશમાં જ રૂ. 471 કરોડથી વધુનું નેટ કલેક્શન કર્યું છે. આ બજેટની તુલનમાં 88 ટકાથી વધુની કમાણી છે. જ્યારે વિદેશમાં કમાણીના મામલે આ ફિલ્મ 953 કરોડ રૂપિયાના આંક સુધી પહોંચી ગઈ છે. એટલે કે બજેટના પ્રમાણમાં તેણે વર્લ્ડ વાઈડ 281 ટકાથી વધુની કમાણી કરી છે.    


'પઠાણે' તોડ્યો 'બાહુબલી 2'નો રેકોર્ડ


'પઠાણે' 20માં દિવસે 'બાહુબલી 2'નો વધુ એક રેકોર્ડ તોડ્યો છે. ફિલ્મે દિલ્હી/એનસીઆર સર્કિટમાં રૂ. 110 કરોડની કમાણી કરી છે. પ્રભાસની ફિલ્મ બાહુબલી 2 અત્યાર સુધી આ સર્કિટમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. 'બાહુબલી 2' એ 98.64 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, ત્યારબાદ યશની 'KGF 2' નો નંબર આવે છે, આ ફિલ્મે 85.16 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી