SPGના અધ્યક્ષ લાલજી પટેલે વડાપ્રધાન મોદીને પત્ર લખી કરી આ માગ, PM પાસે મુલાકાતનો સમય માંગ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 19:48:43

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પાટીદાર સમાજના કહેવાતા આગેવાનો સક્રિય થયા છે. છેલ્લા પાંચ વર્ષથી ગાયબ થયેલા આ પાટીદાર નેતાઓનો સમાજ પ્રત્યેનો પ્રેમ ચૂંટણી આવતા અચાનક જ જાગૃત થઈ ગયો છે.  આ નેતાઓ હવે પાટીદારોની માંગણીઓને લઈ મેદાનમાં આવતા આશ્ચર્ય ઉપજે તે સ્વાભાવિક છે. SPGના અધ્યક્ષ લાલજી પટેલે પાટીદારોની માગણીને લઈ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હોવાનો દાવો કર્યો છે.


લાલજી પટેલે PM મોદીને પત્ર લખી શું માગ કરી?


SPGના અધ્યક્ષ લાલજી પટેલે પીએમ મોદીને પાટીદારોની ત્રણ માંગણીઓને લઈ પત્ર લખ્યો છે. પત્રમાં અનામત આંદોલન દરમ્યાન જે યુવાઓ સામે કેસ કરવામાં આવ્યા તે કેસ પરત ખેંચવામાં આવે. બીજી માગ પાટીદાર આંદોલન દરમિયાન મૃતકના પરિવારને સરકારી નોકરી આપવી તથા પાટીદાર આંદોલન દરમિયાન ઘાયલ થયેલા લોકોને આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગણી કરી છે.


લાલજી પટેલે પ્રધાનમંત્રીને મળવા માટે સમય માંગ્યો


SPGના અધ્યક્ષ લાલજી પટેલના જણાવ્યા પ્રમાણે અમે રાજ્ય સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં કરી છે. છેલ્લા સાત વર્ષમાં ત્રણ મુખ્યમંત્રી બદલાઈ ગયા તેમ છતાં માંગણી સંતોષાઈ નથી. અંતે સરદાર પટેલ સેવાદળે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી મુલાકાત આપવા સમય માંગ્યો છે. SPGના નેતાઓ પ્રધાનમંત્રી સમક્ષ તેમના પ્રશ્નો અને માંગણીઓ અંગે રજૂઆત કરશે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .