SPGના અધ્યક્ષ લાલજી પટેલે વડાપ્રધાન મોદીને પત્ર લખી કરી આ માગ, PM પાસે મુલાકાતનો સમય માંગ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 19:48:43

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પાટીદાર સમાજના કહેવાતા આગેવાનો સક્રિય થયા છે. છેલ્લા પાંચ વર્ષથી ગાયબ થયેલા આ પાટીદાર નેતાઓનો સમાજ પ્રત્યેનો પ્રેમ ચૂંટણી આવતા અચાનક જ જાગૃત થઈ ગયો છે.  આ નેતાઓ હવે પાટીદારોની માંગણીઓને લઈ મેદાનમાં આવતા આશ્ચર્ય ઉપજે તે સ્વાભાવિક છે. SPGના અધ્યક્ષ લાલજી પટેલે પાટીદારોની માગણીને લઈ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હોવાનો દાવો કર્યો છે.


લાલજી પટેલે PM મોદીને પત્ર લખી શું માગ કરી?


SPGના અધ્યક્ષ લાલજી પટેલે પીએમ મોદીને પાટીદારોની ત્રણ માંગણીઓને લઈ પત્ર લખ્યો છે. પત્રમાં અનામત આંદોલન દરમ્યાન જે યુવાઓ સામે કેસ કરવામાં આવ્યા તે કેસ પરત ખેંચવામાં આવે. બીજી માગ પાટીદાર આંદોલન દરમિયાન મૃતકના પરિવારને સરકારી નોકરી આપવી તથા પાટીદાર આંદોલન દરમિયાન ઘાયલ થયેલા લોકોને આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગણી કરી છે.


લાલજી પટેલે પ્રધાનમંત્રીને મળવા માટે સમય માંગ્યો


SPGના અધ્યક્ષ લાલજી પટેલના જણાવ્યા પ્રમાણે અમે રાજ્ય સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં કરી છે. છેલ્લા સાત વર્ષમાં ત્રણ મુખ્યમંત્રી બદલાઈ ગયા તેમ છતાં માંગણી સંતોષાઈ નથી. અંતે સરદાર પટેલ સેવાદળે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી મુલાકાત આપવા સમય માંગ્યો છે. SPGના નેતાઓ પ્રધાનમંત્રી સમક્ષ તેમના પ્રશ્નો અને માંગણીઓ અંગે રજૂઆત કરશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.