SPGના અધ્યક્ષ લાલજી પટેલે વડાપ્રધાન મોદીને પત્ર લખી કરી આ માગ, PM પાસે મુલાકાતનો સમય માંગ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 19:48:43

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પાટીદાર સમાજના કહેવાતા આગેવાનો સક્રિય થયા છે. છેલ્લા પાંચ વર્ષથી ગાયબ થયેલા આ પાટીદાર નેતાઓનો સમાજ પ્રત્યેનો પ્રેમ ચૂંટણી આવતા અચાનક જ જાગૃત થઈ ગયો છે.  આ નેતાઓ હવે પાટીદારોની માંગણીઓને લઈ મેદાનમાં આવતા આશ્ચર્ય ઉપજે તે સ્વાભાવિક છે. SPGના અધ્યક્ષ લાલજી પટેલે પાટીદારોની માગણીને લઈ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હોવાનો દાવો કર્યો છે.


લાલજી પટેલે PM મોદીને પત્ર લખી શું માગ કરી?


SPGના અધ્યક્ષ લાલજી પટેલે પીએમ મોદીને પાટીદારોની ત્રણ માંગણીઓને લઈ પત્ર લખ્યો છે. પત્રમાં અનામત આંદોલન દરમ્યાન જે યુવાઓ સામે કેસ કરવામાં આવ્યા તે કેસ પરત ખેંચવામાં આવે. બીજી માગ પાટીદાર આંદોલન દરમિયાન મૃતકના પરિવારને સરકારી નોકરી આપવી તથા પાટીદાર આંદોલન દરમિયાન ઘાયલ થયેલા લોકોને આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગણી કરી છે.


લાલજી પટેલે પ્રધાનમંત્રીને મળવા માટે સમય માંગ્યો


SPGના અધ્યક્ષ લાલજી પટેલના જણાવ્યા પ્રમાણે અમે રાજ્ય સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં કરી છે. છેલ્લા સાત વર્ષમાં ત્રણ મુખ્યમંત્રી બદલાઈ ગયા તેમ છતાં માંગણી સંતોષાઈ નથી. અંતે સરદાર પટેલ સેવાદળે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી મુલાકાત આપવા સમય માંગ્યો છે. SPGના નેતાઓ પ્રધાનમંત્રી સમક્ષ તેમના પ્રશ્નો અને માંગણીઓ અંગે રજૂઆત કરશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે