બિહારમાં નિતીશ કુમારની સરકારને લાગ્યો મોટો ઝટકો, જાતિ આધારીત વસ્તી ગણતરી પર પટણા હાઈકોર્ટે લગાવ્યો પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2023-05-04 16:18:52

બિહારમાં જાતિ આધારીત વસ્તી ગણતરી મામલે રાજ્યની નિતીશ કુમારની સરકારને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યમાં વસ્તી ગણતરી કરાવવાના બિહાર સરકારના નિર્ણય પર હાઈકોર્ટે તાત્કાલિક અસરથી સ્ટે લગાવી દીધો છે. પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વી ચન્દ્રનની બેંચે આ ચુકાદો સંભળાવ્યો છે. આ મામલે આગામી સુનાવણી 3 જુલાઈ થશે. બિહાર સરકાર તરફથી એડવોકેટ પી કે શાહી પટણા હાઈકોર્ટમાં પોતાની દલીલ રજુ કરી હતી. 



 પટણા હાઈકોર્ટ 3 જુલાઈએ કરશે સુનાવણી



હવે આ મામલે પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિનોદ ચંદ્રન અને જસ્ટિસ મધુરેશ પ્રસાદની બેન્ચ આગામી સુનાવણી 3 જુલાઈના રોજ કરશે. કોર્ટમાં સુનાવણી દરમિયાન બિહાર સરકારે કહ્યું હતું કે આ પૂર્ણ વસ્તી ગણતરી નથી. જેથી જાતિગત વસ્તી ગણતરી કરાવવાનો હક રાજ્ય પાસે છે. તેમાં માત્ર એ લોકોની જ ગણતરી કરવામાં આવી રહી છે,  જે આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના છે.


વસ્તી ગણતરીના આંકડા જાહેર નહીં થાય


પટણા હાઈકોર્ટે કહ્યું છે કે આગામી સુનાવણી 3 જુલાઈના દિવસે યોજાશે. ત્યાં સુધી બિહારના જાતિ આધારીત વસ્તી ગણતરીનો ડેટા જાહેર કરવામાં આવશે નહીં. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યની નીતીશ કુમારની સરકારના જાતિ આધારીત વસ્તી ગણતરીના નિર્ણય સામે પટણા હાઈકોર્ટમાં 6 અરજીઓ કરાવામાં આવી હતી. જેમાં અરજીકર્તાઓએ આ વસ્તી ગણતરીને તાત્કાલિક બંધ કરાવવાની માગ કરી હતી. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.