બિહારમાં નિતીશ કુમારની સરકારને લાગ્યો મોટો ઝટકો, જાતિ આધારીત વસ્તી ગણતરી પર પટણા હાઈકોર્ટે લગાવ્યો પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2023-05-04 16:18:52

બિહારમાં જાતિ આધારીત વસ્તી ગણતરી મામલે રાજ્યની નિતીશ કુમારની સરકારને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યમાં વસ્તી ગણતરી કરાવવાના બિહાર સરકારના નિર્ણય પર હાઈકોર્ટે તાત્કાલિક અસરથી સ્ટે લગાવી દીધો છે. પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વી ચન્દ્રનની બેંચે આ ચુકાદો સંભળાવ્યો છે. આ મામલે આગામી સુનાવણી 3 જુલાઈ થશે. બિહાર સરકાર તરફથી એડવોકેટ પી કે શાહી પટણા હાઈકોર્ટમાં પોતાની દલીલ રજુ કરી હતી. 



 પટણા હાઈકોર્ટ 3 જુલાઈએ કરશે સુનાવણી



હવે આ મામલે પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિનોદ ચંદ્રન અને જસ્ટિસ મધુરેશ પ્રસાદની બેન્ચ આગામી સુનાવણી 3 જુલાઈના રોજ કરશે. કોર્ટમાં સુનાવણી દરમિયાન બિહાર સરકારે કહ્યું હતું કે આ પૂર્ણ વસ્તી ગણતરી નથી. જેથી જાતિગત વસ્તી ગણતરી કરાવવાનો હક રાજ્ય પાસે છે. તેમાં માત્ર એ લોકોની જ ગણતરી કરવામાં આવી રહી છે,  જે આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના છે.


વસ્તી ગણતરીના આંકડા જાહેર નહીં થાય


પટણા હાઈકોર્ટે કહ્યું છે કે આગામી સુનાવણી 3 જુલાઈના દિવસે યોજાશે. ત્યાં સુધી બિહારના જાતિ આધારીત વસ્તી ગણતરીનો ડેટા જાહેર કરવામાં આવશે નહીં. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યની નીતીશ કુમારની સરકારના જાતિ આધારીત વસ્તી ગણતરીના નિર્ણય સામે પટણા હાઈકોર્ટમાં 6 અરજીઓ કરાવામાં આવી હતી. જેમાં અરજીકર્તાઓએ આ વસ્તી ગણતરીને તાત્કાલિક બંધ કરાવવાની માગ કરી હતી. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.