બિહારમાં નિતીશ કુમારની સરકારને લાગ્યો મોટો ઝટકો, જાતિ આધારીત વસ્તી ગણતરી પર પટણા હાઈકોર્ટે લગાવ્યો પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2023-05-04 16:18:52

બિહારમાં જાતિ આધારીત વસ્તી ગણતરી મામલે રાજ્યની નિતીશ કુમારની સરકારને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યમાં વસ્તી ગણતરી કરાવવાના બિહાર સરકારના નિર્ણય પર હાઈકોર્ટે તાત્કાલિક અસરથી સ્ટે લગાવી દીધો છે. પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વી ચન્દ્રનની બેંચે આ ચુકાદો સંભળાવ્યો છે. આ મામલે આગામી સુનાવણી 3 જુલાઈ થશે. બિહાર સરકાર તરફથી એડવોકેટ પી કે શાહી પટણા હાઈકોર્ટમાં પોતાની દલીલ રજુ કરી હતી. 



 પટણા હાઈકોર્ટ 3 જુલાઈએ કરશે સુનાવણી



હવે આ મામલે પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિનોદ ચંદ્રન અને જસ્ટિસ મધુરેશ પ્રસાદની બેન્ચ આગામી સુનાવણી 3 જુલાઈના રોજ કરશે. કોર્ટમાં સુનાવણી દરમિયાન બિહાર સરકારે કહ્યું હતું કે આ પૂર્ણ વસ્તી ગણતરી નથી. જેથી જાતિગત વસ્તી ગણતરી કરાવવાનો હક રાજ્ય પાસે છે. તેમાં માત્ર એ લોકોની જ ગણતરી કરવામાં આવી રહી છે,  જે આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના છે.


વસ્તી ગણતરીના આંકડા જાહેર નહીં થાય


પટણા હાઈકોર્ટે કહ્યું છે કે આગામી સુનાવણી 3 જુલાઈના દિવસે યોજાશે. ત્યાં સુધી બિહારના જાતિ આધારીત વસ્તી ગણતરીનો ડેટા જાહેર કરવામાં આવશે નહીં. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યની નીતીશ કુમારની સરકારના જાતિ આધારીત વસ્તી ગણતરીના નિર્ણય સામે પટણા હાઈકોર્ટમાં 6 અરજીઓ કરાવામાં આવી હતી. જેમાં અરજીકર્તાઓએ આ વસ્તી ગણતરીને તાત્કાલિક બંધ કરાવવાની માગ કરી હતી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.