કાતિલ ઠંડી અને સુસવાટા મારતાના કારણે પવિત્ર યાત્રાધામો પાવાગઢ-ગિરનારની રોપ-વે સેવા બંધ


  • Published By :
  • Published Date : 2023-01-05 12:01:51

ગુજરાતના બે પવિત્ર તિર્થધામો પાવાગઢ અને ગિરનારમાં રોપ-વે સેવા બંધ છે. રોપ-વે સેવા બંધ હોવાનું કારણ કોઈ ટેકનિકલ ખરાબી નહીં પણ રાજ્યમાં પડી રહી કાતિલ ઠંડી અને સુસવાટા મારતા પવનોના કારણે શ્રધ્ધાળુંઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે તથા સતત વેગિલા પવનનોથી યાત્રિકોની સુરક્ષા માટે રોપ-વે સંચાલકોએ આ મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે.


પાવાગઢ-જુનાગઢમાં કડકડતી ઠંડી


જૂનાગઢ શહેર ગીર જંગલથી ઘેરાયેલું હોવાથી સ્વાભાવિક રીતે જ રાજ્યના અન્ય ભાગોની તુલનામાં ત્યાં ઠંડીનું જોર વધું રહે છે. તો આવી જ પરિસ્થિતી પાવાગઢમાં પણ જોવા મળી રહી છે તેથી આ બંને યાત્રાધામોમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રવાસીઓમાં ઘટાડો જોવા મળ્યો છે. જૂનાગઢ ગિરનાર અને પાવાગઢમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે.  આ રોપ-વેમાં બેસવા માટે લાઈનમાં ઉભા નહીં રહેવા માટે રોપ વે સંચાલકોએ યાત્રિકોને જણાવ્યું છે. એકંદરે યાત્રિકોની સુરક્ષા અને ગઢ પર જવા માટે પાંખી હાજરીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


રાજ્યમાં ઠંડીથી જનજીવન ખોરવાયું


રાજ્યમાં નવા વર્ષના આગમન સાથે જ હાંડ થીજવતી ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. શહેર કરતા પણ ગામડામાં સુસવાટા મારતા ઠંડા પવનોના કારણે જન જીવન પર ખતરનાક અસર પડી છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે. હવામાન વિભાગે 10 દિવસની કાતિલ ઠંડીની આગાહી કરી છે, તેથી લોકોએ હજુ થોડા દિવસ સુધી ઠંડીમાં ઠુંઠવાવા માટે તૈયારી રાખવી પડશે. 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .