કાતિલ ઠંડી અને સુસવાટા મારતાના કારણે પવિત્ર યાત્રાધામો પાવાગઢ-ગિરનારની રોપ-વે સેવા બંધ


  • Published By :
  • Published Date : 2023-01-05 12:01:51

ગુજરાતના બે પવિત્ર તિર્થધામો પાવાગઢ અને ગિરનારમાં રોપ-વે સેવા બંધ છે. રોપ-વે સેવા બંધ હોવાનું કારણ કોઈ ટેકનિકલ ખરાબી નહીં પણ રાજ્યમાં પડી રહી કાતિલ ઠંડી અને સુસવાટા મારતા પવનોના કારણે શ્રધ્ધાળુંઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે તથા સતત વેગિલા પવનનોથી યાત્રિકોની સુરક્ષા માટે રોપ-વે સંચાલકોએ આ મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે.


પાવાગઢ-જુનાગઢમાં કડકડતી ઠંડી


જૂનાગઢ શહેર ગીર જંગલથી ઘેરાયેલું હોવાથી સ્વાભાવિક રીતે જ રાજ્યના અન્ય ભાગોની તુલનામાં ત્યાં ઠંડીનું જોર વધું રહે છે. તો આવી જ પરિસ્થિતી પાવાગઢમાં પણ જોવા મળી રહી છે તેથી આ બંને યાત્રાધામોમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રવાસીઓમાં ઘટાડો જોવા મળ્યો છે. જૂનાગઢ ગિરનાર અને પાવાગઢમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે.  આ રોપ-વેમાં બેસવા માટે લાઈનમાં ઉભા નહીં રહેવા માટે રોપ વે સંચાલકોએ યાત્રિકોને જણાવ્યું છે. એકંદરે યાત્રિકોની સુરક્ષા અને ગઢ પર જવા માટે પાંખી હાજરીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


રાજ્યમાં ઠંડીથી જનજીવન ખોરવાયું


રાજ્યમાં નવા વર્ષના આગમન સાથે જ હાંડ થીજવતી ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. શહેર કરતા પણ ગામડામાં સુસવાટા મારતા ઠંડા પવનોના કારણે જન જીવન પર ખતરનાક અસર પડી છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે. હવામાન વિભાગે 10 દિવસની કાતિલ ઠંડીની આગાહી કરી છે, તેથી લોકોએ હજુ થોડા દિવસ સુધી ઠંડીમાં ઠુંઠવાવા માટે તૈયારી રાખવી પડશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.