કોંગ્રેસના પવન ખેડાને દિલ્હીથી રાયપુર જતા વિમાનમાંથી ઉતારી દેવાતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2023-02-23 13:20:50

કોંગ્રેસના નેતા પવન ખેરાને આજે દિલ્હીમાં ઈન્ડિગોની ફ્લાઈટમાંથી ઉતારી દેવાતા રાજકારણ ગરમાયું છે. તે રાયપુરમાં યોજાઈ રહેલા કોંગ્રેસના સંમેલનમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. આ ઘટના અંગે કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતએ ટ્વીટ કર્યું છે. 


શા માટે  ખેરાને વિમાનમાંથી ઉતારી દેવાયા?


પવન ખેરાને વિમાનમાંથી શા માટે ઉતારી દેવામાં આવ્યા તે અંગે દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે. દિલ્હી પોલીસે આ અંગે જણાવ્યું કે આસામ પોલીસે પવન ખેરાને  રાયપુર જતા રોકવા માટે દિલ્હી પોલીસને સુચના આપી હતી. આસામ પોલીસના અનુરોધ પર આ કાર્યવાહી કરવામાં આવી હતી.


કોંગ્રેસે કહ્યું તાનાશાહી વલણ

 

કોંગ્રેસના નેતા શ્રીનેતએ ટ્વિટ કરી દિલ્હી પોલીસની આ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. રાયપુર માટે ઉડાન ભરી રહેલી ઈન્ડિગો ફ્લાઈટ 6E 204 પરથી અચાનક જ મારા સહયોગી પવન ખેરાને ઉતારી દેવામાં આવ્યા છે, આ તાનાશાહી વલણ છે. શ્રીનેતએ કહ્યું કે સવાલ એ છે કે કઈ કલમ હેઠળ તેમને રોકવામાં આવ્યા તે અંગે પોલીસે કોઈ સ્પષ્ટતા કર નથી. તેમને કયા આધારે વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા અને કોણે આદેશ આપ્યો તેને લઈ શ્રીનેતએ સવાલ કર્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.