કોંગ્રેસના પવન ખેડાને દિલ્હીથી રાયપુર જતા વિમાનમાંથી ઉતારી દેવાતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2023-02-23 13:20:50

કોંગ્રેસના નેતા પવન ખેરાને આજે દિલ્હીમાં ઈન્ડિગોની ફ્લાઈટમાંથી ઉતારી દેવાતા રાજકારણ ગરમાયું છે. તે રાયપુરમાં યોજાઈ રહેલા કોંગ્રેસના સંમેલનમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. આ ઘટના અંગે કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતએ ટ્વીટ કર્યું છે. 


શા માટે  ખેરાને વિમાનમાંથી ઉતારી દેવાયા?


પવન ખેરાને વિમાનમાંથી શા માટે ઉતારી દેવામાં આવ્યા તે અંગે દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે. દિલ્હી પોલીસે આ અંગે જણાવ્યું કે આસામ પોલીસે પવન ખેરાને  રાયપુર જતા રોકવા માટે દિલ્હી પોલીસને સુચના આપી હતી. આસામ પોલીસના અનુરોધ પર આ કાર્યવાહી કરવામાં આવી હતી.


કોંગ્રેસે કહ્યું તાનાશાહી વલણ

 

કોંગ્રેસના નેતા શ્રીનેતએ ટ્વિટ કરી દિલ્હી પોલીસની આ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. રાયપુર માટે ઉડાન ભરી રહેલી ઈન્ડિગો ફ્લાઈટ 6E 204 પરથી અચાનક જ મારા સહયોગી પવન ખેરાને ઉતારી દેવામાં આવ્યા છે, આ તાનાશાહી વલણ છે. શ્રીનેતએ કહ્યું કે સવાલ એ છે કે કઈ કલમ હેઠળ તેમને રોકવામાં આવ્યા તે અંગે પોલીસે કોઈ સ્પષ્ટતા કર નથી. તેમને કયા આધારે વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા અને કોણે આદેશ આપ્યો તેને લઈ શ્રીનેતએ સવાલ કર્યો હતો.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.