કોંગ્રેસના પવન ખેડાને દિલ્હીથી રાયપુર જતા વિમાનમાંથી ઉતારી દેવાતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2023-02-23 13:20:50

કોંગ્રેસના નેતા પવન ખેરાને આજે દિલ્હીમાં ઈન્ડિગોની ફ્લાઈટમાંથી ઉતારી દેવાતા રાજકારણ ગરમાયું છે. તે રાયપુરમાં યોજાઈ રહેલા કોંગ્રેસના સંમેલનમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. આ ઘટના અંગે કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતએ ટ્વીટ કર્યું છે. 


શા માટે  ખેરાને વિમાનમાંથી ઉતારી દેવાયા?


પવન ખેરાને વિમાનમાંથી શા માટે ઉતારી દેવામાં આવ્યા તે અંગે દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે. દિલ્હી પોલીસે આ અંગે જણાવ્યું કે આસામ પોલીસે પવન ખેરાને  રાયપુર જતા રોકવા માટે દિલ્હી પોલીસને સુચના આપી હતી. આસામ પોલીસના અનુરોધ પર આ કાર્યવાહી કરવામાં આવી હતી.


કોંગ્રેસે કહ્યું તાનાશાહી વલણ

 

કોંગ્રેસના નેતા શ્રીનેતએ ટ્વિટ કરી દિલ્હી પોલીસની આ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. રાયપુર માટે ઉડાન ભરી રહેલી ઈન્ડિગો ફ્લાઈટ 6E 204 પરથી અચાનક જ મારા સહયોગી પવન ખેરાને ઉતારી દેવામાં આવ્યા છે, આ તાનાશાહી વલણ છે. શ્રીનેતએ કહ્યું કે સવાલ એ છે કે કઈ કલમ હેઠળ તેમને રોકવામાં આવ્યા તે અંગે પોલીસે કોઈ સ્પષ્ટતા કર નથી. તેમને કયા આધારે વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા અને કોણે આદેશ આપ્યો તેને લઈ શ્રીનેતએ સવાલ કર્યો હતો.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.