કાળઝાળ મોંઘવારીથી થોડી રાહત, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો આટલો ઘટાડો


  • Published By :
  • Published Date : 2023-05-31 17:15:26

દેશનો સામાન્ય માણસ કાળઝાળ મોંઘવારીથી પિડાઈ રહ્યો છે. જીવન જરૂરીયાતની તમામ ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. ઘઉં, કઠોળ, શાકભાજી અને સિંગતેલના ભાવ વધતા ટુંકી આવક ધરાવતા નિમ્ન મધ્યમ વર્ગને બે છેડા ભેગા કરાવામાં ફાંફા પડી રહ્યા છે. જો કે ખાદ્યતેલના ભાવમાં ઘટાડાના રાહતજનક સમાચાર આવ્યા છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલમાં 1 દિવસમાં રૂ.60નો ઘટાડો થયો છે. આ સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2710એ પહોંચ્યો છ. જ્યારે કપાસિયા તેલમાં રૂ.30નો ઘટાડો થતા કપાસિયાના ડબ્બાનો ભાવ રૂ.1650 પર પહોંચ્યો છે. 


ભાવ ઘટતા હાશકારો


સીંગતેલના ભાવમાં સતત ભડકો થઈ રહ્યો હતો. સિંગતેલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો હતો. પરંતુ પહેલીવાર સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. પહેલીવાર એવુ બન્યુ છે કે, સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સિંગતેલમાં 1 દિવસમાં 60 રૂપિયાનો ઘટાડો થયો છે. તો બીજ તરફ, કપાસિયા તેલમાં પણ ડબ્બા દીઠ 30 રૂપિયા ઘટ્યા છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2710 રૂપિયા સુધી પહોંચ્યો છે. ખાદ્યતેલના હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે હાલ માર્કેટમાં માંગના અભાવે ખરીદીમાં બ્રેક વાગતાં તેલના ભાવમાં ઘટાડો થયો છે.


શા માટે વધી રહ્યા હતા ભાવ?


સિંગતેલ માટે મગફળી પિલાણ માટે ન આવતી હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો હતો. પરંતુ હવે આથી એકદમ ઉલટું જોવા મળી રહ્યું છે. માર્કેટમાં માંગ ઘટતા જ તેલના ભાવ તળિયે બેસી ગયા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધુમ આવક હોવા છતાં સિંગતેલના ભાવમાં તેજી જોવા મળી હતી. ખેડૂતોને રૂ. 1300થી 1650સુધીના ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યા હતા. જો કે હવે દરરોજ 10 થી 12 હજાર ગુણી મગફળીની આવક બેડી માર્કેટ યાર્ડમાં થઈ રહી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.