કાળઝાળ મોંઘવારીથી થોડી રાહત, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો આટલો ઘટાડો


  • Published By :
  • Published Date : 2023-05-31 17:15:26

દેશનો સામાન્ય માણસ કાળઝાળ મોંઘવારીથી પિડાઈ રહ્યો છે. જીવન જરૂરીયાતની તમામ ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. ઘઉં, કઠોળ, શાકભાજી અને સિંગતેલના ભાવ વધતા ટુંકી આવક ધરાવતા નિમ્ન મધ્યમ વર્ગને બે છેડા ભેગા કરાવામાં ફાંફા પડી રહ્યા છે. જો કે ખાદ્યતેલના ભાવમાં ઘટાડાના રાહતજનક સમાચાર આવ્યા છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલમાં 1 દિવસમાં રૂ.60નો ઘટાડો થયો છે. આ સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2710એ પહોંચ્યો છ. જ્યારે કપાસિયા તેલમાં રૂ.30નો ઘટાડો થતા કપાસિયાના ડબ્બાનો ભાવ રૂ.1650 પર પહોંચ્યો છે. 


ભાવ ઘટતા હાશકારો


સીંગતેલના ભાવમાં સતત ભડકો થઈ રહ્યો હતો. સિંગતેલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો હતો. પરંતુ પહેલીવાર સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. પહેલીવાર એવુ બન્યુ છે કે, સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સિંગતેલમાં 1 દિવસમાં 60 રૂપિયાનો ઘટાડો થયો છે. તો બીજ તરફ, કપાસિયા તેલમાં પણ ડબ્બા દીઠ 30 રૂપિયા ઘટ્યા છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2710 રૂપિયા સુધી પહોંચ્યો છે. ખાદ્યતેલના હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે હાલ માર્કેટમાં માંગના અભાવે ખરીદીમાં બ્રેક વાગતાં તેલના ભાવમાં ઘટાડો થયો છે.


શા માટે વધી રહ્યા હતા ભાવ?


સિંગતેલ માટે મગફળી પિલાણ માટે ન આવતી હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો હતો. પરંતુ હવે આથી એકદમ ઉલટું જોવા મળી રહ્યું છે. માર્કેટમાં માંગ ઘટતા જ તેલના ભાવ તળિયે બેસી ગયા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધુમ આવક હોવા છતાં સિંગતેલના ભાવમાં તેજી જોવા મળી હતી. ખેડૂતોને રૂ. 1300થી 1650સુધીના ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યા હતા. જો કે હવે દરરોજ 10 થી 12 હજાર ગુણી મગફળીની આવક બેડી માર્કેટ યાર્ડમાં થઈ રહી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.