સોશિયલ મીડિયા પર લોકોએ રાહુલ ગાંધી વતી પૂછ્યા પ્રશ્ન! લોકોએ પૂછ્યું કયા આધારે અડવાણી, જોશી, માયાવતીને ફળવાયા સરકારી બંગલા?


  • Published By :
  • Published Date : 2023-04-24 13:01:47

રાહુલ ગાંધીનું સાંસદ પદ મોદી સરનેમને લઈ આપેલા નિવેદન પર કોર્ટ દ્વારા મળેલી સજા બાદ રદ્દ કરવામાં આવ્યું હતું. સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. સરકારી બંગલો ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. ત્યારે રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કરી દીધો હતો. ત્યારે સોશિયલ મીડિયા પર લોકો ટ્વિટ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહરજોષી, માયાવતી અને ગુલામ નબી આઝાદ પાસે કોઈ પણ પદ ન હોવા છતાંય કેવી રીતે સરકારી આવાસમાં રહી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આવા પ્રશ્નો યુઝર્સ પૂછી રહ્યા છે.    


સરકારી બંગલો ખાલી કરવા રાહુલ ગાંધીને અપાઈ હતી નોટિસ! 

2019માં રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જેને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમના વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ત્યારે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. જે બાદ સુરતની સેશન્સ કોર્ટમાં આ નિર્ણય પર સ્ટે મૂકવા માટે અરજી કરી હતી. કોર્ટે તે અરજીને ફગાવી દીધી હતી અને રાહુલ ગાંધીની સજા યથાવત રહી હતી. સાંસદ પદ તેમનું રદ્દ થયું હતું અને સરકારી બંગલો પણ ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. 



રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવા મળી હતી નોટિસ!

જે બાદ થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કરી દીધો હતો. ત્યારે સોશિયલ મીડિયા પર આ વાતને લઈ લોકો અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહરજોશી, માયાવતી, પૂર્વ કોંગ્રેસના નેતા ગુલામ નબીને સરકારી બંગલો ફાળવવામાં આવ્યો છે. જ્યારે તેઓ કોઈ પણ સદનના સભ્ય નથી. તો કયા આધારે સરકારી મકાનોમાં રહે છે. સાંસદ પદ ન હોવા છતાંય સરકારી બંગલામાં રહે છે. જ્યારે રાહુલ ગાંધીને એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. 


કયા આધારે આ નેતાઓને ફળવાયા છે સરકારી બંગલા - યુઝર્સના સવાલો? 

સોશિયલ મીડિયા પર યુઝર્સ આ અંગે ટ્વીટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે શું સરકારી ઘર ખાલી કરવાનો નિયમ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને જ લાગુ પડે છે? આ નિયમો અડવાણીજી, મુરલી મનોહર જોશીજી, માયાવતીજી, ગુલામ નબીજીને કેમ લાગુ નથી પડતા? તો કોઈએ લખ્યું કે અડવાણી, મુરલી મનોહર જોષી અને ગુલામ નબી આઝાદ ક્યાંના સાંસદો છે કે તેમને કેબિનેટમંત્રીના સ્તરનું આવાસ મળ્યું? તેમના ખાતામાં 15 લાખ રુપિયા આવી ગયા લાગે છે. સોશિયલ મીડિયા પર લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે કયા આધારે અડવાણીજી, મુરલી મનોહર જોષીજી, ગુલામ નબી આઝાદજી, માયાવતીજીને આ ઘર ફાળવવામાં આવ્યું છે?   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.