સોશિયલ મીડિયા પર લોકોએ રાહુલ ગાંધી વતી પૂછ્યા પ્રશ્ન! લોકોએ પૂછ્યું કયા આધારે અડવાણી, જોશી, માયાવતીને ફળવાયા સરકારી બંગલા?


  • Published By :
  • Published Date : 2023-04-24 13:01:47

રાહુલ ગાંધીનું સાંસદ પદ મોદી સરનેમને લઈ આપેલા નિવેદન પર કોર્ટ દ્વારા મળેલી સજા બાદ રદ્દ કરવામાં આવ્યું હતું. સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. સરકારી બંગલો ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. ત્યારે રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કરી દીધો હતો. ત્યારે સોશિયલ મીડિયા પર લોકો ટ્વિટ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહરજોષી, માયાવતી અને ગુલામ નબી આઝાદ પાસે કોઈ પણ પદ ન હોવા છતાંય કેવી રીતે સરકારી આવાસમાં રહી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આવા પ્રશ્નો યુઝર્સ પૂછી રહ્યા છે.    


સરકારી બંગલો ખાલી કરવા રાહુલ ગાંધીને અપાઈ હતી નોટિસ! 

2019માં રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જેને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમના વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ત્યારે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. જે બાદ સુરતની સેશન્સ કોર્ટમાં આ નિર્ણય પર સ્ટે મૂકવા માટે અરજી કરી હતી. કોર્ટે તે અરજીને ફગાવી દીધી હતી અને રાહુલ ગાંધીની સજા યથાવત રહી હતી. સાંસદ પદ તેમનું રદ્દ થયું હતું અને સરકારી બંગલો પણ ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. 



રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવા મળી હતી નોટિસ!

જે બાદ થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કરી દીધો હતો. ત્યારે સોશિયલ મીડિયા પર આ વાતને લઈ લોકો અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહરજોશી, માયાવતી, પૂર્વ કોંગ્રેસના નેતા ગુલામ નબીને સરકારી બંગલો ફાળવવામાં આવ્યો છે. જ્યારે તેઓ કોઈ પણ સદનના સભ્ય નથી. તો કયા આધારે સરકારી મકાનોમાં રહે છે. સાંસદ પદ ન હોવા છતાંય સરકારી બંગલામાં રહે છે. જ્યારે રાહુલ ગાંધીને એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. 


કયા આધારે આ નેતાઓને ફળવાયા છે સરકારી બંગલા - યુઝર્સના સવાલો? 

સોશિયલ મીડિયા પર યુઝર્સ આ અંગે ટ્વીટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે શું સરકારી ઘર ખાલી કરવાનો નિયમ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને જ લાગુ પડે છે? આ નિયમો અડવાણીજી, મુરલી મનોહર જોશીજી, માયાવતીજી, ગુલામ નબીજીને કેમ લાગુ નથી પડતા? તો કોઈએ લખ્યું કે અડવાણી, મુરલી મનોહર જોષી અને ગુલામ નબી આઝાદ ક્યાંના સાંસદો છે કે તેમને કેબિનેટમંત્રીના સ્તરનું આવાસ મળ્યું? તેમના ખાતામાં 15 લાખ રુપિયા આવી ગયા લાગે છે. સોશિયલ મીડિયા પર લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે કયા આધારે અડવાણીજી, મુરલી મનોહર જોષીજી, ગુલામ નબી આઝાદજી, માયાવતીજીને આ ઘર ફાળવવામાં આવ્યું છે?   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.