સોશિયલ મીડિયા પર લોકોએ રાહુલ ગાંધી વતી પૂછ્યા પ્રશ્ન! લોકોએ પૂછ્યું કયા આધારે અડવાણી, જોશી, માયાવતીને ફળવાયા સરકારી બંગલા?


  • Published By :
  • Published Date : 2023-04-24 13:01:47

રાહુલ ગાંધીનું સાંસદ પદ મોદી સરનેમને લઈ આપેલા નિવેદન પર કોર્ટ દ્વારા મળેલી સજા બાદ રદ્દ કરવામાં આવ્યું હતું. સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. સરકારી બંગલો ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. ત્યારે રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કરી દીધો હતો. ત્યારે સોશિયલ મીડિયા પર લોકો ટ્વિટ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહરજોષી, માયાવતી અને ગુલામ નબી આઝાદ પાસે કોઈ પણ પદ ન હોવા છતાંય કેવી રીતે સરકારી આવાસમાં રહી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આવા પ્રશ્નો યુઝર્સ પૂછી રહ્યા છે.    


સરકારી બંગલો ખાલી કરવા રાહુલ ગાંધીને અપાઈ હતી નોટિસ! 

2019માં રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જેને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમના વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ત્યારે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. જે બાદ સુરતની સેશન્સ કોર્ટમાં આ નિર્ણય પર સ્ટે મૂકવા માટે અરજી કરી હતી. કોર્ટે તે અરજીને ફગાવી દીધી હતી અને રાહુલ ગાંધીની સજા યથાવત રહી હતી. સાંસદ પદ તેમનું રદ્દ થયું હતું અને સરકારી બંગલો પણ ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. 



રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવા મળી હતી નોટિસ!

જે બાદ થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કરી દીધો હતો. ત્યારે સોશિયલ મીડિયા પર આ વાતને લઈ લોકો અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહરજોશી, માયાવતી, પૂર્વ કોંગ્રેસના નેતા ગુલામ નબીને સરકારી બંગલો ફાળવવામાં આવ્યો છે. જ્યારે તેઓ કોઈ પણ સદનના સભ્ય નથી. તો કયા આધારે સરકારી મકાનોમાં રહે છે. સાંસદ પદ ન હોવા છતાંય સરકારી બંગલામાં રહે છે. જ્યારે રાહુલ ગાંધીને એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. 


કયા આધારે આ નેતાઓને ફળવાયા છે સરકારી બંગલા - યુઝર્સના સવાલો? 

સોશિયલ મીડિયા પર યુઝર્સ આ અંગે ટ્વીટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે શું સરકારી ઘર ખાલી કરવાનો નિયમ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને જ લાગુ પડે છે? આ નિયમો અડવાણીજી, મુરલી મનોહર જોશીજી, માયાવતીજી, ગુલામ નબીજીને કેમ લાગુ નથી પડતા? તો કોઈએ લખ્યું કે અડવાણી, મુરલી મનોહર જોષી અને ગુલામ નબી આઝાદ ક્યાંના સાંસદો છે કે તેમને કેબિનેટમંત્રીના સ્તરનું આવાસ મળ્યું? તેમના ખાતામાં 15 લાખ રુપિયા આવી ગયા લાગે છે. સોશિયલ મીડિયા પર લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે કયા આધારે અડવાણીજી, મુરલી મનોહર જોષીજી, ગુલામ નબી આઝાદજી, માયાવતીજીને આ ઘર ફાળવવામાં આવ્યું છે?   



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.