નડિયાદમાં ઢોરે યુવકને એવો અડફેટે લીધો કે કપડા ફાટી ગયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-02 17:06:40

STORY BY- સમીર પરમાર


સરકાર અને માલધારીઓ વચ્ચે આજે ભલે સુલેહ થઈ ગઈ પરંતુ સામાન્ય જનતાને તો આજે પણ ધક્કે ચઢીને હેરાન થઈ રહી છે,  તેનું શું? 


ગુજરાતમાં રખડતા ઢોર મામલે હાઈકોર્ટે અનેક ટકોર કર્યા બાદ પણ રખડતા ઢોરના પ્રશ્નથી ગુજરાતને મુક્તિ નથી મળી ત્યારે નવસારીના શારદા મંદિર રોડ પર ઢોરના આતંકથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. 


કેવી રીતે બની હતી ઘટના કે જેમાં યુવકના કપડા પણ ફાટી ગયા?

નડિયાદના શારદા મંદિર રોડ વિસ્તારમાં આજે એક યુવકને રખડતા ઢોરે દોડાવી દોડાવીને હેરાન કરી દીધો હતો. ઢોરથી બચવા માટે યુવક મેદાનમાં પહોંચી ગયા હતો. રોડ પર રખડતા મારકણા ઢોરે મેદાનમાં પહોંચીને પણ યુવકને ઈજાગ્રસ્ત કર્યો હતો. અવારનવાર નડિયાદના શારદા મંદિર રોડ પર વાહનો અને લોકોને મારકણા ઢોરે અડફેટે લીધા છે. સમગ્ર બાબત સામે આવતા ઢોરપાર્ટીવાળા માણસોએ જહેમત બાદ મારકણી ગાયને પાંજરે પૂરી હતી. 




રખડતા ઢોર પ્રશ્ન મામલે ભલે હાઈકોર્ટની ટકોર બાદ પ્રશાસને બે-ચાર દિવસ કામગીરી કરી પરંતુ લોકો હજુ રખડતા ઢોરના ત્રાસથી પીડીત છે. લોકો તો ઠિક મુખ્યમંત્રીના કાફલા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પણ છોડ્યા નથી. ત્યારે જમાવટ પ્રાર્થના કરે છે કે શાસનને અને પ્રશાસનને સમગ્ર મામલે કામગીરી કરવાની શક્તિ આપે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.