નડિયાદમાં ઢોરે યુવકને એવો અડફેટે લીધો કે કપડા ફાટી ગયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-02 17:06:40

STORY BY- સમીર પરમાર


સરકાર અને માલધારીઓ વચ્ચે આજે ભલે સુલેહ થઈ ગઈ પરંતુ સામાન્ય જનતાને તો આજે પણ ધક્કે ચઢીને હેરાન થઈ રહી છે,  તેનું શું? 


ગુજરાતમાં રખડતા ઢોર મામલે હાઈકોર્ટે અનેક ટકોર કર્યા બાદ પણ રખડતા ઢોરના પ્રશ્નથી ગુજરાતને મુક્તિ નથી મળી ત્યારે નવસારીના શારદા મંદિર રોડ પર ઢોરના આતંકથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. 


કેવી રીતે બની હતી ઘટના કે જેમાં યુવકના કપડા પણ ફાટી ગયા?

નડિયાદના શારદા મંદિર રોડ વિસ્તારમાં આજે એક યુવકને રખડતા ઢોરે દોડાવી દોડાવીને હેરાન કરી દીધો હતો. ઢોરથી બચવા માટે યુવક મેદાનમાં પહોંચી ગયા હતો. રોડ પર રખડતા મારકણા ઢોરે મેદાનમાં પહોંચીને પણ યુવકને ઈજાગ્રસ્ત કર્યો હતો. અવારનવાર નડિયાદના શારદા મંદિર રોડ પર વાહનો અને લોકોને મારકણા ઢોરે અડફેટે લીધા છે. સમગ્ર બાબત સામે આવતા ઢોરપાર્ટીવાળા માણસોએ જહેમત બાદ મારકણી ગાયને પાંજરે પૂરી હતી. 




રખડતા ઢોર પ્રશ્ન મામલે ભલે હાઈકોર્ટની ટકોર બાદ પ્રશાસને બે-ચાર દિવસ કામગીરી કરી પરંતુ લોકો હજુ રખડતા ઢોરના ત્રાસથી પીડીત છે. લોકો તો ઠિક મુખ્યમંત્રીના કાફલા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પણ છોડ્યા નથી. ત્યારે જમાવટ પ્રાર્થના કરે છે કે શાસનને અને પ્રશાસનને સમગ્ર મામલે કામગીરી કરવાની શક્તિ આપે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"