નડિયાદમાં ઢોરે યુવકને એવો અડફેટે લીધો કે કપડા ફાટી ગયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-02 17:06:40

STORY BY- સમીર પરમાર


સરકાર અને માલધારીઓ વચ્ચે આજે ભલે સુલેહ થઈ ગઈ પરંતુ સામાન્ય જનતાને તો આજે પણ ધક્કે ચઢીને હેરાન થઈ રહી છે,  તેનું શું? 


ગુજરાતમાં રખડતા ઢોર મામલે હાઈકોર્ટે અનેક ટકોર કર્યા બાદ પણ રખડતા ઢોરના પ્રશ્નથી ગુજરાતને મુક્તિ નથી મળી ત્યારે નવસારીના શારદા મંદિર રોડ પર ઢોરના આતંકથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. 


કેવી રીતે બની હતી ઘટના કે જેમાં યુવકના કપડા પણ ફાટી ગયા?

નડિયાદના શારદા મંદિર રોડ વિસ્તારમાં આજે એક યુવકને રખડતા ઢોરે દોડાવી દોડાવીને હેરાન કરી દીધો હતો. ઢોરથી બચવા માટે યુવક મેદાનમાં પહોંચી ગયા હતો. રોડ પર રખડતા મારકણા ઢોરે મેદાનમાં પહોંચીને પણ યુવકને ઈજાગ્રસ્ત કર્યો હતો. અવારનવાર નડિયાદના શારદા મંદિર રોડ પર વાહનો અને લોકોને મારકણા ઢોરે અડફેટે લીધા છે. સમગ્ર બાબત સામે આવતા ઢોરપાર્ટીવાળા માણસોએ જહેમત બાદ મારકણી ગાયને પાંજરે પૂરી હતી. 




રખડતા ઢોર પ્રશ્ન મામલે ભલે હાઈકોર્ટની ટકોર બાદ પ્રશાસને બે-ચાર દિવસ કામગીરી કરી પરંતુ લોકો હજુ રખડતા ઢોરના ત્રાસથી પીડીત છે. લોકો તો ઠિક મુખ્યમંત્રીના કાફલા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પણ છોડ્યા નથી. ત્યારે જમાવટ પ્રાર્થના કરે છે કે શાસનને અને પ્રશાસનને સમગ્ર મામલે કામગીરી કરવાની શક્તિ આપે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .