ઉત્તરાયણ નજીક આવતા દોરીથી કપાઈ રહ્યા છે લોકોના ગળા, 2 ઘટના આવી સામે


  • Published By :
  • Published Date : 2022-12-13 11:37:22

ઉત્તરાયણમાં પતંગની દોરીને કારણે અનેક વખત અકસ્માત સર્જાયા હોય છે. પતંગની દોરી ગળે આવી જતા અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે તો અનેક લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હજી ઉત્તરાયણને હજી સમય છે પરંતુ અનેક લોકો અત્યારથી પતંગ ઉડાવી રહ્યા છે. જેને કારણે પતંગની દોરીથી થતા અકસ્માત સામે આવ્યા છે. એક કિસ્સો મહેસાણાના ઉંઝાથી સામે આવ્યો છે જ્યારે બીજી ઘટના સુરતમાં બની છે. 


પતંગની દોરીને કારણે થાય છે અકસ્માત

14 અને 15 જાન્યુઆરીએ ઉત્તરાયણનો પર્વ આપણે ત્યાં મનાવાય છે. આ ઉત્સવ દરમિયાન લોકો પતંગ ચગાવે છે. આ સમય દરમિયાન પતંગની દોરીને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે. અનેક લોકોના જીવ પણ જાય છે. ત્યારે હજી ઉત્તરાયણને મહિના જેટલો સમય બાકી છે પરંતુ અનેક લોકો હમણાંથી જ પતંગ ઉડાવા લાગે છે. જેને કારણે હમણાંથી જ પતંગની દોરીને કારણે અકસ્માત સર્જાવાના શરૂ થઈ ગયા છે. 


સુરત અને મહેસાણામાં બની ગળું કપાવાની ઘટના 

સુરતમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા એકવોકેટને પતંગની દારીને કારણે અકસ્માત સર્જાયો છે. ગળું કપાઈ જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહેસાણાના ઉંઝા શહેરમાં ચાઈનીઝ દોરીને કારણે અકસ્માત થયો છે. આ ઘટનામાં પણ યુવકનું ગળું ચાઈનીઝ દોરીથી કપાઈ ગયું છે. આ યુવકને સમયસર સારવાર મળી રહેતા તેનો જીવ બચ્યો છે. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.