ઉત્તરાયણ નજીક આવતા દોરીથી કપાઈ રહ્યા છે લોકોના ગળા, 2 ઘટના આવી સામે


  • Published By :
  • Published Date : 2022-12-13 11:37:22

ઉત્તરાયણમાં પતંગની દોરીને કારણે અનેક વખત અકસ્માત સર્જાયા હોય છે. પતંગની દોરી ગળે આવી જતા અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે તો અનેક લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હજી ઉત્તરાયણને હજી સમય છે પરંતુ અનેક લોકો અત્યારથી પતંગ ઉડાવી રહ્યા છે. જેને કારણે પતંગની દોરીથી થતા અકસ્માત સામે આવ્યા છે. એક કિસ્સો મહેસાણાના ઉંઝાથી સામે આવ્યો છે જ્યારે બીજી ઘટના સુરતમાં બની છે. 


પતંગની દોરીને કારણે થાય છે અકસ્માત

14 અને 15 જાન્યુઆરીએ ઉત્તરાયણનો પર્વ આપણે ત્યાં મનાવાય છે. આ ઉત્સવ દરમિયાન લોકો પતંગ ચગાવે છે. આ સમય દરમિયાન પતંગની દોરીને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે. અનેક લોકોના જીવ પણ જાય છે. ત્યારે હજી ઉત્તરાયણને મહિના જેટલો સમય બાકી છે પરંતુ અનેક લોકો હમણાંથી જ પતંગ ઉડાવા લાગે છે. જેને કારણે હમણાંથી જ પતંગની દોરીને કારણે અકસ્માત સર્જાવાના શરૂ થઈ ગયા છે. 


સુરત અને મહેસાણામાં બની ગળું કપાવાની ઘટના 

સુરતમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા એકવોકેટને પતંગની દારીને કારણે અકસ્માત સર્જાયો છે. ગળું કપાઈ જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહેસાણાના ઉંઝા શહેરમાં ચાઈનીઝ દોરીને કારણે અકસ્માત થયો છે. આ ઘટનામાં પણ યુવકનું ગળું ચાઈનીઝ દોરીથી કપાઈ ગયું છે. આ યુવકને સમયસર સારવાર મળી રહેતા તેનો જીવ બચ્યો છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.