ઉત્તરાયણ નજીક આવતા દોરીથી કપાઈ રહ્યા છે લોકોના ગળા, 2 ઘટના આવી સામે


  • Published By :
  • Published Date : 2022-12-13 11:37:22

ઉત્તરાયણમાં પતંગની દોરીને કારણે અનેક વખત અકસ્માત સર્જાયા હોય છે. પતંગની દોરી ગળે આવી જતા અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે તો અનેક લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હજી ઉત્તરાયણને હજી સમય છે પરંતુ અનેક લોકો અત્યારથી પતંગ ઉડાવી રહ્યા છે. જેને કારણે પતંગની દોરીથી થતા અકસ્માત સામે આવ્યા છે. એક કિસ્સો મહેસાણાના ઉંઝાથી સામે આવ્યો છે જ્યારે બીજી ઘટના સુરતમાં બની છે. 


પતંગની દોરીને કારણે થાય છે અકસ્માત

14 અને 15 જાન્યુઆરીએ ઉત્તરાયણનો પર્વ આપણે ત્યાં મનાવાય છે. આ ઉત્સવ દરમિયાન લોકો પતંગ ચગાવે છે. આ સમય દરમિયાન પતંગની દોરીને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે. અનેક લોકોના જીવ પણ જાય છે. ત્યારે હજી ઉત્તરાયણને મહિના જેટલો સમય બાકી છે પરંતુ અનેક લોકો હમણાંથી જ પતંગ ઉડાવા લાગે છે. જેને કારણે હમણાંથી જ પતંગની દોરીને કારણે અકસ્માત સર્જાવાના શરૂ થઈ ગયા છે. 


સુરત અને મહેસાણામાં બની ગળું કપાવાની ઘટના 

સુરતમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા એકવોકેટને પતંગની દારીને કારણે અકસ્માત સર્જાયો છે. ગળું કપાઈ જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહેસાણાના ઉંઝા શહેરમાં ચાઈનીઝ દોરીને કારણે અકસ્માત થયો છે. આ ઘટનામાં પણ યુવકનું ગળું ચાઈનીઝ દોરીથી કપાઈ ગયું છે. આ યુવકને સમયસર સારવાર મળી રહેતા તેનો જીવ બચ્યો છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.