લોકો કહે છે ઉર્વશી ક્રિકેટરના પ્રેમમાં ગાંડી થઈ ગઈ છે !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 18:39:59

ઉર્વશી રાઉતેલા હાલમાં એક વાત માટે ખૂબ ચર્ચામાં છે ઉર્વશી રિષભ પંત અંગે વિચિત્ર નિવેદનોને લઈ ચર્ચામાં આવે છે. બંને સો.મીડિયામાં અવાર-નવાર એકબીજા વિરુદ્ધ નિવેદન આપતા રહે છે. હાલમાં ઉર્વશીએ રિષભ પંતને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. ઉર્વશીએ બર્થડે વિશ કરતો વીડિયો સો.મીડિયામાં શૅર કર્યો હતો. વીડિયોમાં ઉર્વશીએ ફ્લાઇંગ કિસ પણ કરી હતી. વીડિયોમાં ઉર્વશીએ રિષભ પંતનું નામ લીધું નહોતું, પરંતુ સો.મીડિયા યુઝર્સે અટકળો કરી હતી કે વીડિયો રિષભ માટે છે.

 

યુઝર્સ ટ્રોલ કરી રહ્યા છે ..

વિડિયો વાઇરલ થતાં યુઝર્સ ઉર્વશીને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરએ કહ્યું કે આજે તો રિષભ પંતનો જન્મદિવસ છે. અન્ય એકે કમેન્ટ કરી હતી કે ઓવરએક્ટિંગ માટે 50 રૂપિયા લેવા પડશે. બીજા એક યુઝરે કહ્યું હતું કે રિષભના પ્રેમમાં પાગલ બની ગઈ છે.

 

રિષભે શું કહ્યું?

વિડિયો વાઇરલ થતાં તેની સામે રિષભે એક પોસ્ટ કરી છે તેમાં તેને કહ્યું ' કેટલું રમૂજી છે. લોકો કેવી રીતે લોકપ્રિયતા તથા સમાચારોમાં રહેવા માટે ઇન્ટરવ્યૂમાં કંઈ પણ ખોટું બોલી દેતા હોય છે. દુઃખની વાત છે કે લોકો નામ અને લોકપ્રિયતાના કેટલા ભૂખ્યા છે. ભગવાન તેમની પર કૃપા વરસાવે. મારો પીછો છોડ બહેન. ખોટું બોલવાની પણ એક લિમિટ હોય છે.' જોકે, થોડા સમય બાદ રિષભ પંતે પોસ્ટ ડિલિટ કરી નાખી હતી



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી