લોકો કહે છે ઉર્વશી ક્રિકેટરના પ્રેમમાં ગાંડી થઈ ગઈ છે !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 18:39:59

ઉર્વશી રાઉતેલા હાલમાં એક વાત માટે ખૂબ ચર્ચામાં છે ઉર્વશી રિષભ પંત અંગે વિચિત્ર નિવેદનોને લઈ ચર્ચામાં આવે છે. બંને સો.મીડિયામાં અવાર-નવાર એકબીજા વિરુદ્ધ નિવેદન આપતા રહે છે. હાલમાં ઉર્વશીએ રિષભ પંતને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. ઉર્વશીએ બર્થડે વિશ કરતો વીડિયો સો.મીડિયામાં શૅર કર્યો હતો. વીડિયોમાં ઉર્વશીએ ફ્લાઇંગ કિસ પણ કરી હતી. વીડિયોમાં ઉર્વશીએ રિષભ પંતનું નામ લીધું નહોતું, પરંતુ સો.મીડિયા યુઝર્સે અટકળો કરી હતી કે વીડિયો રિષભ માટે છે.

 

યુઝર્સ ટ્રોલ કરી રહ્યા છે ..

વિડિયો વાઇરલ થતાં યુઝર્સ ઉર્વશીને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરએ કહ્યું કે આજે તો રિષભ પંતનો જન્મદિવસ છે. અન્ય એકે કમેન્ટ કરી હતી કે ઓવરએક્ટિંગ માટે 50 રૂપિયા લેવા પડશે. બીજા એક યુઝરે કહ્યું હતું કે રિષભના પ્રેમમાં પાગલ બની ગઈ છે.

 

રિષભે શું કહ્યું?

વિડિયો વાઇરલ થતાં તેની સામે રિષભે એક પોસ્ટ કરી છે તેમાં તેને કહ્યું ' કેટલું રમૂજી છે. લોકો કેવી રીતે લોકપ્રિયતા તથા સમાચારોમાં રહેવા માટે ઇન્ટરવ્યૂમાં કંઈ પણ ખોટું બોલી દેતા હોય છે. દુઃખની વાત છે કે લોકો નામ અને લોકપ્રિયતાના કેટલા ભૂખ્યા છે. ભગવાન તેમની પર કૃપા વરસાવે. મારો પીછો છોડ બહેન. ખોટું બોલવાની પણ એક લિમિટ હોય છે.' જોકે, થોડા સમય બાદ રિષભ પંતે પોસ્ટ ડિલિટ કરી નાખી હતી



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.