લોકો કહે છે ઉર્વશી ક્રિકેટરના પ્રેમમાં ગાંડી થઈ ગઈ છે !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 18:39:59

ઉર્વશી રાઉતેલા હાલમાં એક વાત માટે ખૂબ ચર્ચામાં છે ઉર્વશી રિષભ પંત અંગે વિચિત્ર નિવેદનોને લઈ ચર્ચામાં આવે છે. બંને સો.મીડિયામાં અવાર-નવાર એકબીજા વિરુદ્ધ નિવેદન આપતા રહે છે. હાલમાં ઉર્વશીએ રિષભ પંતને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. ઉર્વશીએ બર્થડે વિશ કરતો વીડિયો સો.મીડિયામાં શૅર કર્યો હતો. વીડિયોમાં ઉર્વશીએ ફ્લાઇંગ કિસ પણ કરી હતી. વીડિયોમાં ઉર્વશીએ રિષભ પંતનું નામ લીધું નહોતું, પરંતુ સો.મીડિયા યુઝર્સે અટકળો કરી હતી કે વીડિયો રિષભ માટે છે.

 

યુઝર્સ ટ્રોલ કરી રહ્યા છે ..

વિડિયો વાઇરલ થતાં યુઝર્સ ઉર્વશીને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરએ કહ્યું કે આજે તો રિષભ પંતનો જન્મદિવસ છે. અન્ય એકે કમેન્ટ કરી હતી કે ઓવરએક્ટિંગ માટે 50 રૂપિયા લેવા પડશે. બીજા એક યુઝરે કહ્યું હતું કે રિષભના પ્રેમમાં પાગલ બની ગઈ છે.

 

રિષભે શું કહ્યું?

વિડિયો વાઇરલ થતાં તેની સામે રિષભે એક પોસ્ટ કરી છે તેમાં તેને કહ્યું ' કેટલું રમૂજી છે. લોકો કેવી રીતે લોકપ્રિયતા તથા સમાચારોમાં રહેવા માટે ઇન્ટરવ્યૂમાં કંઈ પણ ખોટું બોલી દેતા હોય છે. દુઃખની વાત છે કે લોકો નામ અને લોકપ્રિયતાના કેટલા ભૂખ્યા છે. ભગવાન તેમની પર કૃપા વરસાવે. મારો પીછો છોડ બહેન. ખોટું બોલવાની પણ એક લિમિટ હોય છે.' જોકે, થોડા સમય બાદ રિષભ પંતે પોસ્ટ ડિલિટ કરી નાખી હતી



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.