નોયડામાં આવેલા ક્લબમાં રામાયણના રિમીક્સ પર નાચી રહ્યા હતા લોકો! સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં પોલીસે કરી કાર્યવાહી!


  • Published By :
  • Published Date : 2023-04-11 13:26:04

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો રામાયણના રિમિક્સ વર્ઝન પર નાચી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે નોયડાના ગાર્ડન ગૈલેરિયા મોલનો હોવાનો બતાવવામાં આવી રહ્યો છે. વીડિયો મોલના એક ક્લબનો છે જેમાં લોકો ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. વીડિયો વાયરલ થતાં પોલીસે આ અંગે કેસ દાખલ કર્યો છે. ગૌતમ બુદ્ધ પોલીસ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી.

  

ક્લબમાં ચલાવાયા રામાયણના સીન! 

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. કોઈ વખત વાયરલ વીડિયોને કારણે વિવાદ સર્જાઈ જતો હોય છે. તો કોઈ વાયરલ વીડિયો એવા હોય છે જે આપણા દિલને સ્પર્શી જતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને લઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે વાયરલ વીડિયોમાં લોકો ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. કોઈ ગીત પર ડાન્સ કરતા હોય તો વાંધો ન હતો પરંતુ ક્લબમાં લોકો રામાનંદ સાગરની રામાયણ સિરિયલના એક ભાગના રિમીક્સ વીડિયો પર ડાન્સ કરી રહ્યા હતા.


રામાયણના યુદ્ધ સમયના વીડિયો ચલાવાયા અને લોકોએ ડાન્સ કર્યો! 

આ વીડિયો નોયડાના ગાર્ડન ગૈલેરિયા મોલનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વીડિયો મોલના એક ક્લબનો છે જ્યાં રામ રાવણના યુદ્ધનો એક વીડિયો ડબિંગની સાથે લોકો ડાન્સ કરી રહ્યા છે. લોકો ડબ્ડ વીડિયો પર ડાન્સ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર ક્લબમાં ડબિંગ વીડિયો રામાનંદ સાગરના રામાયણ સીરિયલના અનેક ભાગ બતાવવામાં આવી રહ્યા છે. જેમાં રામ અને રાવણ યુદ્ધના સમયે વાતો કરી રહ્યા છે. આમાં અમુક બિટ ઉમેરી સોન્ગ વગાડવામાં આવી રહ્યું છે અને લોકો ડાન્સ કરી રહ્યા છે. 

પોલીસે આ મામલે કરી કાર્યવાહી!  

આ વીડિયો વાયરલ થતાં નોયડા પોલીસે પગલાં લેવાની શરૂઆત કરી છે. મળતી માહિતી અનુસાર પોલીસે આ મામલે ક્લબ માલિક અને મૈનેજરની ધરપકડ કરી દીધી છે. વીડિયો વાયરલ થતાં પોલીસે આ મામલે એફઆઈઆર દર્જ કરી છે. ગૌતમ બુદ્ધ પોલીસ દ્વારા આ મામલે ટ્વિટ કરવામાં આવ્યું છે.        




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.