એમેઝોન, ટ્વિટર અને મેટા બાદ હવે દિગ્ગજ પેપ્સિકોએ પણ છટણીની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-12-06 16:46:55

દુનિયાભરમાં આર્થિક મંદીનો માહોલ છે. વિશ્વની અગ્રણી આઈ ટી, ઈ કોમર્સ અને રિટેલ સહિતની વિવિધ સર્વિસ સેક્ટરની કંપનીઓ તેમના કર્મચારીઓની છટણી કરી રહી છે. જેમ  કે એમેઝોન, ટ્વિટર અને મેટા બાદ હવે અગ્રણી દિગ્ગજ કંપની પેપ્સિકોના કર્મચારીઓની સંખ્યા ઘટાડવા છટણી કરી રહી છે.


પેપ્સિકોએ કર્મચારીઓને મોકલી નોટિસ


વિશ્વની અગ્રણી ફુડ, સ્નેક્સ અને બેવરીઝ કંપની પેપ્સિકોએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે છટણીની જાહેરાત કરી છે. કંપનીએ કોસ્ટ કટિંગ માટે છટણીનો નિર્ણય કર્યો છે. કંપનીએ પોતાના કર્મચારીઓને મેમો મોકલ્યો હતો. મેમોમાં કહ્યું છે કે  કંપની સંગઠનને સરળ બનાવવા માટે જઈ રહી છે, જેથી આપણે વધુ કુશળતાથી કામ કરી શકીએ. અત્રે ઉલ્લેખનિય છે કે પેપ્સિકોમાં 3 લાખ 9 હજાર કર્મચારીઓ કાર્યરત છે. તેમાંથી અનેક લોકો પર પર છટણીની તલવાર લટકી રહી છે. 


આ કંપનીઓએ પણ કરી છટણી


માઈક્રોસોફ્ટ, ટ્વિટર, એમેઝોન, OYO,ઝોમેટો, મેટા, સિસ્કો, વોલમાર્ટ, ફોર્ડ મોટર્સ, સ્ટ્રાઈપ, ઓન લાઈન ટ્રેડિગ કંપની રોબિનહુડ અને ક્રિપ્ટોકરન્સી કંપની કોઈનબેઝ સહિતની કંપનીઓએ પણ છટણીની પ્રક્રિયા શરૂ કરી છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે