એમેઝોન, ટ્વિટર અને મેટા બાદ હવે દિગ્ગજ પેપ્સિકોએ પણ છટણીની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-12-06 16:46:55

દુનિયાભરમાં આર્થિક મંદીનો માહોલ છે. વિશ્વની અગ્રણી આઈ ટી, ઈ કોમર્સ અને રિટેલ સહિતની વિવિધ સર્વિસ સેક્ટરની કંપનીઓ તેમના કર્મચારીઓની છટણી કરી રહી છે. જેમ  કે એમેઝોન, ટ્વિટર અને મેટા બાદ હવે અગ્રણી દિગ્ગજ કંપની પેપ્સિકોના કર્મચારીઓની સંખ્યા ઘટાડવા છટણી કરી રહી છે.


પેપ્સિકોએ કર્મચારીઓને મોકલી નોટિસ


વિશ્વની અગ્રણી ફુડ, સ્નેક્સ અને બેવરીઝ કંપની પેપ્સિકોએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે છટણીની જાહેરાત કરી છે. કંપનીએ કોસ્ટ કટિંગ માટે છટણીનો નિર્ણય કર્યો છે. કંપનીએ પોતાના કર્મચારીઓને મેમો મોકલ્યો હતો. મેમોમાં કહ્યું છે કે  કંપની સંગઠનને સરળ બનાવવા માટે જઈ રહી છે, જેથી આપણે વધુ કુશળતાથી કામ કરી શકીએ. અત્રે ઉલ્લેખનિય છે કે પેપ્સિકોમાં 3 લાખ 9 હજાર કર્મચારીઓ કાર્યરત છે. તેમાંથી અનેક લોકો પર પર છટણીની તલવાર લટકી રહી છે. 


આ કંપનીઓએ પણ કરી છટણી


માઈક્રોસોફ્ટ, ટ્વિટર, એમેઝોન, OYO,ઝોમેટો, મેટા, સિસ્કો, વોલમાર્ટ, ફોર્ડ મોટર્સ, સ્ટ્રાઈપ, ઓન લાઈન ટ્રેડિગ કંપની રોબિનહુડ અને ક્રિપ્ટોકરન્સી કંપની કોઈનબેઝ સહિતની કંપનીઓએ પણ છટણીની પ્રક્રિયા શરૂ કરી છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.