સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ કરતા પહેલા ચેતજો, ખોટી માહિતી ટ્વીટ કરનારા યુવકની પોલીસે કરી ધરપકડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 19:54:11

આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકો સુધી ગણતરીના સેકન્ડમાં માહિતી પહોંચાડી શકાય છે. સોશિયલ મીડિયામાં ફરતા  મોટાભાગના મેસેજ,વીડિયો વગેરેની ખરાઈ કર્યા વગર જ બીજા લોકોને ફોરવર્ડ કરી દેતા હોય છે, જેથી લોકો ગેરમાર્ગે દોરાય જાય છે. છેલ્લા ઘણા સમયથી નાના બાળકો પકડતી ગેંગ ગુજરાતના અનેક ગામમાં ફરે છે અને નાના બાળકોને ઉપાડી જાય છે તેવા મેસેજ  સોશિયલ મીડિયામાં ફરે છે  જોકે મોટાભાગે આવા મેસેજ પોલીસ તપાસ બાદ ખોટા નીકળતા હોય છે ત્યારે ફરી એક વખત  અમદાવાદના  સાયન્સ સિટી વિસ્તારના  એક યુવકે આવી ખોટી માહિતી ટ્વીટ કરી હતી.જોકે પોલીસે તપાસ કરતા માહિતી ખોટી નીકળી હતી જેથી પોલીસે અફવા ફેલાવા બદલ યુવકની ધરપકડ કરી હતી.


યુવક સામે શું ગુનો નોંધાયો હતો?


સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા બિમલ પટેલએ ટ્વિટર પર  ટ્વીટ કર્યું હતું કે બોપલ ,ગોતા, સાયન્સ સિટી જેવા વિસ્તારમાં બાળકો ઉપાડતી ગેંગ ફરે છે અને આ ગેંગએ 2 બાળકોને આજે સાયન્સ સિટી માંથી કિડનેપ કર્યા છે. ઉપરાંત યુવકે ગુજરાત પોલસ પર  સવાલ કરતા લખ્યું કે ગુજરાત પોલીસ કોઈ પણ કાર્યવાહી કરી  રહી નથી .

યુવકે આ ટ્વીટમાં ગુજરાત પોલીસ અને ગૃહમંત્રીને ટેગ કર્યા હતા.પોલીસે જયારે તપાસ કરતા આવી કોઈ ઘટના જ બની નથી  તેવું સામે આવ્યું હતું. જેથી પોલીસે અફવા ફેલાવાના ગુનામાં એક યુવકની ધરપકડ કરી હતી.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.