સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ કરતા પહેલા ચેતજો, ખોટી માહિતી ટ્વીટ કરનારા યુવકની પોલીસે કરી ધરપકડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 19:54:11

આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકો સુધી ગણતરીના સેકન્ડમાં માહિતી પહોંચાડી શકાય છે. સોશિયલ મીડિયામાં ફરતા  મોટાભાગના મેસેજ,વીડિયો વગેરેની ખરાઈ કર્યા વગર જ બીજા લોકોને ફોરવર્ડ કરી દેતા હોય છે, જેથી લોકો ગેરમાર્ગે દોરાય જાય છે. છેલ્લા ઘણા સમયથી નાના બાળકો પકડતી ગેંગ ગુજરાતના અનેક ગામમાં ફરે છે અને નાના બાળકોને ઉપાડી જાય છે તેવા મેસેજ  સોશિયલ મીડિયામાં ફરે છે  જોકે મોટાભાગે આવા મેસેજ પોલીસ તપાસ બાદ ખોટા નીકળતા હોય છે ત્યારે ફરી એક વખત  અમદાવાદના  સાયન્સ સિટી વિસ્તારના  એક યુવકે આવી ખોટી માહિતી ટ્વીટ કરી હતી.જોકે પોલીસે તપાસ કરતા માહિતી ખોટી નીકળી હતી જેથી પોલીસે અફવા ફેલાવા બદલ યુવકની ધરપકડ કરી હતી.


યુવક સામે શું ગુનો નોંધાયો હતો?


સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા બિમલ પટેલએ ટ્વિટર પર  ટ્વીટ કર્યું હતું કે બોપલ ,ગોતા, સાયન્સ સિટી જેવા વિસ્તારમાં બાળકો ઉપાડતી ગેંગ ફરે છે અને આ ગેંગએ 2 બાળકોને આજે સાયન્સ સિટી માંથી કિડનેપ કર્યા છે. ઉપરાંત યુવકે ગુજરાત પોલસ પર  સવાલ કરતા લખ્યું કે ગુજરાત પોલીસ કોઈ પણ કાર્યવાહી કરી  રહી નથી .

યુવકે આ ટ્વીટમાં ગુજરાત પોલીસ અને ગૃહમંત્રીને ટેગ કર્યા હતા.પોલીસે જયારે તપાસ કરતા આવી કોઈ ઘટના જ બની નથી  તેવું સામે આવ્યું હતું. જેથી પોલીસે અફવા ફેલાવાના ગુનામાં એક યુવકની ધરપકડ કરી હતી.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.