સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ કરતા પહેલા ચેતજો, ખોટી માહિતી ટ્વીટ કરનારા યુવકની પોલીસે કરી ધરપકડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 19:54:11

આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકો સુધી ગણતરીના સેકન્ડમાં માહિતી પહોંચાડી શકાય છે. સોશિયલ મીડિયામાં ફરતા  મોટાભાગના મેસેજ,વીડિયો વગેરેની ખરાઈ કર્યા વગર જ બીજા લોકોને ફોરવર્ડ કરી દેતા હોય છે, જેથી લોકો ગેરમાર્ગે દોરાય જાય છે. છેલ્લા ઘણા સમયથી નાના બાળકો પકડતી ગેંગ ગુજરાતના અનેક ગામમાં ફરે છે અને નાના બાળકોને ઉપાડી જાય છે તેવા મેસેજ  સોશિયલ મીડિયામાં ફરે છે  જોકે મોટાભાગે આવા મેસેજ પોલીસ તપાસ બાદ ખોટા નીકળતા હોય છે ત્યારે ફરી એક વખત  અમદાવાદના  સાયન્સ સિટી વિસ્તારના  એક યુવકે આવી ખોટી માહિતી ટ્વીટ કરી હતી.જોકે પોલીસે તપાસ કરતા માહિતી ખોટી નીકળી હતી જેથી પોલીસે અફવા ફેલાવા બદલ યુવકની ધરપકડ કરી હતી.


યુવક સામે શું ગુનો નોંધાયો હતો?


સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા બિમલ પટેલએ ટ્વિટર પર  ટ્વીટ કર્યું હતું કે બોપલ ,ગોતા, સાયન્સ સિટી જેવા વિસ્તારમાં બાળકો ઉપાડતી ગેંગ ફરે છે અને આ ગેંગએ 2 બાળકોને આજે સાયન્સ સિટી માંથી કિડનેપ કર્યા છે. ઉપરાંત યુવકે ગુજરાત પોલસ પર  સવાલ કરતા લખ્યું કે ગુજરાત પોલીસ કોઈ પણ કાર્યવાહી કરી  રહી નથી .

યુવકે આ ટ્વીટમાં ગુજરાત પોલીસ અને ગૃહમંત્રીને ટેગ કર્યા હતા.પોલીસે જયારે તપાસ કરતા આવી કોઈ ઘટના જ બની નથી  તેવું સામે આવ્યું હતું. જેથી પોલીસે અફવા ફેલાવાના ગુનામાં એક યુવકની ધરપકડ કરી હતી.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.