પેટ્રોલ-ડીઝલ GST હેઠળ આવે તેવી શક્યતા ખુબ ઓછી, મંત્રી હરદીપ પુરીએ કરી આ સ્પષ્ટતા


  • Published By :
  • Published Date : 2022-11-14 20:25:33

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દાયરામાં લાવવા માટે તૈયાર છે, પરંતુ રાજ્યો તેના પર સહમત થવાની શક્યતા નથી. પુરીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે રાજ્યોની સંમતિ જરૂરી છે અને જો રાજ્યો આ દિશામાં પહેલ કરે તો કેન્દ્ર પણ તેના માટે તૈયાર છે. મતલબ કે કેન્દ્રએ આ સમગ્ર મામલો સંપૂર્ણપણે રાજ્યોના હાથમાં મૂકી દીધો છે. જો રાજ્યો સહમત થાય તો પેટ્રોલ-ડીઝલ GSTના દાયરામાં આવી શકે છે, જો આવું થયું તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાની શક્યતા સર્જાશે.


રાજ્યોની આવકનો મુખ્ય સ્ત્રોત પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ


મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, અમે તેના માટે તૈયારી કરી લીધી છે. તે મારી સમજ છે. જો કે, બીજો મુદ્દો એ છે કે તેને કેવી રીતે અમલમાં મૂકવું. તે પ્રશ્ન નાણાપ્રધાન સાથે ઉઠાવવો જોઈએ. પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગ વચ્ચે, પેટ્રોલિયમ મંત્રીએ આશંકા વ્યક્ત કરી હતી કે રાજ્યો વચ્ચે સમજૂતી થવાની શક્યતા ઓછી છે. તેમણે કહ્યું કે રાજ્યોની આવકનો મુખ્ય સ્ત્રોત દારૂ અને પેટ્રોલિયમ ઉત્પાદનો પરનો ટેક્સ છે. પુરીએ સવાલ કર્યો કે રાજ્યોને જેમાંથી આવક મળે છે, શું તે આવક છોડવા માંગશે? 


GSTના દાયરામાં પેટ્રોલ-ડીઝલ કેમ નહીં?


પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ ન લાવવા પાછળ રાજ્યોને થનારી રેવન્યુની ખોટ એક મહત્વપૂર્ણ કારણ છે. જો રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં લાવે અને આ બંને ખનીજ તેલને GSTના સર્વોચ્ચ ટેક્સ સ્લેબમાં રાખે તો પણ તેમને તેમની કમાણી પર ભારે નુકસાન સહન કરવું પડશે. અત્યારે GSTનું સર્વોચ્ચ સ્તર 28 ટકા છે. એટલે કે આનાથી વધુ કોઈ વસ્તુ પર GST લગાવી શકાય નહીં. જો પેટ્રોલ-ડીઝલને 28 ટકાની રેન્જમાં રાખવામાં આવે તો પણ રાજ્યોની કમાણીમાં ઘણો ઘટાડો થશે. આ જ કારણ છે કે રાજ્ય સરકારો પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા માટે સહમત નથી.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.