પેટ્રોલ-ડીઝલ GST હેઠળ આવે તેવી શક્યતા ખુબ ઓછી, મંત્રી હરદીપ પુરીએ કરી આ સ્પષ્ટતા


  • Published By :
  • Published Date : 2022-11-14 20:25:33

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દાયરામાં લાવવા માટે તૈયાર છે, પરંતુ રાજ્યો તેના પર સહમત થવાની શક્યતા નથી. પુરીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે રાજ્યોની સંમતિ જરૂરી છે અને જો રાજ્યો આ દિશામાં પહેલ કરે તો કેન્દ્ર પણ તેના માટે તૈયાર છે. મતલબ કે કેન્દ્રએ આ સમગ્ર મામલો સંપૂર્ણપણે રાજ્યોના હાથમાં મૂકી દીધો છે. જો રાજ્યો સહમત થાય તો પેટ્રોલ-ડીઝલ GSTના દાયરામાં આવી શકે છે, જો આવું થયું તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાની શક્યતા સર્જાશે.


રાજ્યોની આવકનો મુખ્ય સ્ત્રોત પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ


મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, અમે તેના માટે તૈયારી કરી લીધી છે. તે મારી સમજ છે. જો કે, બીજો મુદ્દો એ છે કે તેને કેવી રીતે અમલમાં મૂકવું. તે પ્રશ્ન નાણાપ્રધાન સાથે ઉઠાવવો જોઈએ. પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગ વચ્ચે, પેટ્રોલિયમ મંત્રીએ આશંકા વ્યક્ત કરી હતી કે રાજ્યો વચ્ચે સમજૂતી થવાની શક્યતા ઓછી છે. તેમણે કહ્યું કે રાજ્યોની આવકનો મુખ્ય સ્ત્રોત દારૂ અને પેટ્રોલિયમ ઉત્પાદનો પરનો ટેક્સ છે. પુરીએ સવાલ કર્યો કે રાજ્યોને જેમાંથી આવક મળે છે, શું તે આવક છોડવા માંગશે? 


GSTના દાયરામાં પેટ્રોલ-ડીઝલ કેમ નહીં?


પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ ન લાવવા પાછળ રાજ્યોને થનારી રેવન્યુની ખોટ એક મહત્વપૂર્ણ કારણ છે. જો રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં લાવે અને આ બંને ખનીજ તેલને GSTના સર્વોચ્ચ ટેક્સ સ્લેબમાં રાખે તો પણ તેમને તેમની કમાણી પર ભારે નુકસાન સહન કરવું પડશે. અત્યારે GSTનું સર્વોચ્ચ સ્તર 28 ટકા છે. એટલે કે આનાથી વધુ કોઈ વસ્તુ પર GST લગાવી શકાય નહીં. જો પેટ્રોલ-ડીઝલને 28 ટકાની રેન્જમાં રાખવામાં આવે તો પણ રાજ્યોની કમાણીમાં ઘણો ઘટાડો થશે. આ જ કારણ છે કે રાજ્ય સરકારો પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા માટે સહમત નથી.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.