પેટ્રોલ-ડીઝલ GST હેઠળ આવે તેવી શક્યતા ખુબ ઓછી, મંત્રી હરદીપ પુરીએ કરી આ સ્પષ્ટતા


  • Published By :
  • Published Date : 2022-11-14 20:25:33

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દાયરામાં લાવવા માટે તૈયાર છે, પરંતુ રાજ્યો તેના પર સહમત થવાની શક્યતા નથી. પુરીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે રાજ્યોની સંમતિ જરૂરી છે અને જો રાજ્યો આ દિશામાં પહેલ કરે તો કેન્દ્ર પણ તેના માટે તૈયાર છે. મતલબ કે કેન્દ્રએ આ સમગ્ર મામલો સંપૂર્ણપણે રાજ્યોના હાથમાં મૂકી દીધો છે. જો રાજ્યો સહમત થાય તો પેટ્રોલ-ડીઝલ GSTના દાયરામાં આવી શકે છે, જો આવું થયું તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાની શક્યતા સર્જાશે.


રાજ્યોની આવકનો મુખ્ય સ્ત્રોત પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ


મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, અમે તેના માટે તૈયારી કરી લીધી છે. તે મારી સમજ છે. જો કે, બીજો મુદ્દો એ છે કે તેને કેવી રીતે અમલમાં મૂકવું. તે પ્રશ્ન નાણાપ્રધાન સાથે ઉઠાવવો જોઈએ. પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગ વચ્ચે, પેટ્રોલિયમ મંત્રીએ આશંકા વ્યક્ત કરી હતી કે રાજ્યો વચ્ચે સમજૂતી થવાની શક્યતા ઓછી છે. તેમણે કહ્યું કે રાજ્યોની આવકનો મુખ્ય સ્ત્રોત દારૂ અને પેટ્રોલિયમ ઉત્પાદનો પરનો ટેક્સ છે. પુરીએ સવાલ કર્યો કે રાજ્યોને જેમાંથી આવક મળે છે, શું તે આવક છોડવા માંગશે? 


GSTના દાયરામાં પેટ્રોલ-ડીઝલ કેમ નહીં?


પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ ન લાવવા પાછળ રાજ્યોને થનારી રેવન્યુની ખોટ એક મહત્વપૂર્ણ કારણ છે. જો રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં લાવે અને આ બંને ખનીજ તેલને GSTના સર્વોચ્ચ ટેક્સ સ્લેબમાં રાખે તો પણ તેમને તેમની કમાણી પર ભારે નુકસાન સહન કરવું પડશે. અત્યારે GSTનું સર્વોચ્ચ સ્તર 28 ટકા છે. એટલે કે આનાથી વધુ કોઈ વસ્તુ પર GST લગાવી શકાય નહીં. જો પેટ્રોલ-ડીઝલને 28 ટકાની રેન્જમાં રાખવામાં આવે તો પણ રાજ્યોની કમાણીમાં ઘણો ઘટાડો થશે. આ જ કારણ છે કે રાજ્ય સરકારો પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા માટે સહમત નથી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.