પેટ્રોલ-ડીઝલ GST હેઠળ આવે તેવી શક્યતા ખુબ ઓછી, મંત્રી હરદીપ પુરીએ કરી આ સ્પષ્ટતા


  • Published By :
  • Published Date : 2022-11-14 20:25:33

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દાયરામાં લાવવા માટે તૈયાર છે, પરંતુ રાજ્યો તેના પર સહમત થવાની શક્યતા નથી. પુરીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે રાજ્યોની સંમતિ જરૂરી છે અને જો રાજ્યો આ દિશામાં પહેલ કરે તો કેન્દ્ર પણ તેના માટે તૈયાર છે. મતલબ કે કેન્દ્રએ આ સમગ્ર મામલો સંપૂર્ણપણે રાજ્યોના હાથમાં મૂકી દીધો છે. જો રાજ્યો સહમત થાય તો પેટ્રોલ-ડીઝલ GSTના દાયરામાં આવી શકે છે, જો આવું થયું તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાની શક્યતા સર્જાશે.


રાજ્યોની આવકનો મુખ્ય સ્ત્રોત પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ


મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, અમે તેના માટે તૈયારી કરી લીધી છે. તે મારી સમજ છે. જો કે, બીજો મુદ્દો એ છે કે તેને કેવી રીતે અમલમાં મૂકવું. તે પ્રશ્ન નાણાપ્રધાન સાથે ઉઠાવવો જોઈએ. પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગ વચ્ચે, પેટ્રોલિયમ મંત્રીએ આશંકા વ્યક્ત કરી હતી કે રાજ્યો વચ્ચે સમજૂતી થવાની શક્યતા ઓછી છે. તેમણે કહ્યું કે રાજ્યોની આવકનો મુખ્ય સ્ત્રોત દારૂ અને પેટ્રોલિયમ ઉત્પાદનો પરનો ટેક્સ છે. પુરીએ સવાલ કર્યો કે રાજ્યોને જેમાંથી આવક મળે છે, શું તે આવક છોડવા માંગશે? 


GSTના દાયરામાં પેટ્રોલ-ડીઝલ કેમ નહીં?


પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ ન લાવવા પાછળ રાજ્યોને થનારી રેવન્યુની ખોટ એક મહત્વપૂર્ણ કારણ છે. જો રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં લાવે અને આ બંને ખનીજ તેલને GSTના સર્વોચ્ચ ટેક્સ સ્લેબમાં રાખે તો પણ તેમને તેમની કમાણી પર ભારે નુકસાન સહન કરવું પડશે. અત્યારે GSTનું સર્વોચ્ચ સ્તર 28 ટકા છે. એટલે કે આનાથી વધુ કોઈ વસ્તુ પર GST લગાવી શકાય નહીં. જો પેટ્રોલ-ડીઝલને 28 ટકાની રેન્જમાં રાખવામાં આવે તો પણ રાજ્યોની કમાણીમાં ઘણો ઘટાડો થશે. આ જ કારણ છે કે રાજ્ય સરકારો પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા માટે સહમત નથી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.