PGVCLનો સપાટો, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજચોરો સામે કડક કાર્યવાહી, 164 કરોડની વીજ ચોરી પકડાઈ


  • Published By :
  • Published Date : 2023-11-22 15:06:42

રાજ્ય સરકારના તમામ પ્રયાસો છતાં પણ વીજચોરી વધી રહી છે, વીજચોરોને જાણે કાયદાનો કોઈ ડર જ નથી. આ વીજચોરોના કારણે પ્રમાણિક રીતે વીજ બીલ ભરતા ગ્રાહકો સાથે અન્યાય થઈ રહ્યો છે. PGVCL(Paschim Gujarat Vij Company Ltd) એ હાથ ધરેલા વીજ ચેકિંગ અભિયાનમાં મોટો ખુલાસો થયો છે. PGVCLએ રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના તમામ શહેરો અને ગામોમાં એક સાથે સપાટો બોલાવ્યો હતો. PGVCLની ટીમોએ એક વર્ષમાં 164 કરોડ કરોડથી વધુની વીજચોરી પકડી છે. PGVCL ટીમો દરરોજ 17થી 20 લાખની વીજચોરી પકડી હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છમાં પમ વીજચોરો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


સૌરાષ્ટ્ર-કચ્છમાં 56 હજાર કનેક્શનનું ચેકિંગ


PGVCLએ વિવિધ ટીમ બનાવીને દરોડા પાડવાનું શરૂ કર્યું તો વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. મળતી જાણકારી મુજબ એપ્રિલ 2023થી ઓક્ટોબર 2023 દરમિયાન 164 કરોડ રૂપિયાની વીજચોરી પકડાઇ છે. ઓક્ટોબર મહિના દરમિયાન 35 કરોડ રૂપિયાની વીજચોરી પકડાઇ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓક્ટોબર મહિના દરમિયાન 56000 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા, એમાંથી 8000 કનેક્શનમાંથી વીજચોરી પકડાઇ છે. દરેક સાત કનેક્શનમાંથી એક કનેક્શનમાં વીજચોરી પકડાઇ રહી છે, જે ખરેખરમાં ચિંતાજનક છે. છેલ્લા સાત મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છની 9 આઈસ ફેક્ટરીમાંથી 7.50 કરોડની વીજચોરી પકડાઈ છે. વીજચોરો સામે આ કાર્યવાહી હજુ પણ ચાલુ જ રહેશે અને વીજચોરીના દુષણને કડક હાથે ડામવામાં આવશે.


સૌરાષ્ટ્રમાં 82 કરોડની વીજચોરી


સૌરાષ્ટ્રના અનેક ગામોમાં PGVCL ટીમે અચાનક દરોડાની કાર્યવાહી હાથ ધરતાં કરોડોની ચોરી પકડી પાડી હતી. રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં PGVCLએ ચાર મહિનામાં 82 કરોડ રૂપિયાની વીજ ચોરી પકડી હતી. PGVCLએ એક લાખ 13 હજારથી વધુ વીજ જોડાણોનું ચેકિંગ કર્યું હતું જેમાંથી જેમાંથી 27 હજાર 254 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઇ હતી. સૌથી વધુ ભાવનગર જિલ્લામાં 15 કરોડ રૂપિયાની વીજ ચોરી પકડાઇ હતી. છેલ્લા કેટલાય દિવસોથી રાજકોટ સહિતના વિસ્તારોમાં PGVCLની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યુ છે આમાં પાંચ દિવસમાં દોઢ કરોડથી વધુની વીજ ચોરીને પકડી પાડવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ સહિતના આજુબાજુના વિસ્તારોમાં PGVCLની ટીમે પાંચ દિવસની દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં 44 ટીમો કામે લાગી હતી, આ તમામ ટીમે ચેકીંગની કામગીરી દરમિયાન આજી, ખોખડદડ, મોરબી રૉડ ઉપરના વિસ્તારોમા દરોડા પાડ્યા હતા, આ દરોડામાં લગભગ પાંચ દિવસમાં દોઢ કરોડની વીજ ચોરીને પકડી પાડી હતી. આમાં 108 કનેક્શનમાંથી 83 લાખને વીજ ચોરી પણ પકડાઇ હતી. જોકે, આ કાર્યવાહી કરવા છતાં હજુ પણ PGVCLની ટીમે વીજ ચોરો સામેની કાર્યવાહીને વધુ તેજ બનાવી છે.  PGVCLએ ઘરેલું અને કોમર્શિયલ વીજ જોડાણો પર જે રીતે ચેકિંગ હાથ ધર્યું જે તે જોતા મોટી રકમની વીજ ચોરી બહાર આવે તેવી શક્યતા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.