PGVCL : ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ નાં ઉમેદવારોનું આંદોલન બીજા દિવસે પણ યથાવત! આ કારણોસર પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે વિરોધ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-02 16:45:50

ફરી એકવાર વિધ્યાર્થીઓ આંદોલન પર ઉતર્યા છે પણ આ વખતે ગાંધીનગરમાં નહીં રાજકોટમાં વિધ્યાર્થીઓ બે દિવસથી કચેરી આગળ આંદોલન પર છે પરીક્ષા લીધી પણ નિમણૂક કરવામાં નથી આવતી તેવા આક્ષેપ થઈ રહ્યા છે. 

આટલા ઉમેદવારોએ આપી હતી પરીક્ષા!

સૌરાષ્ટ્રમાં PGVCLકંપનીમાં વીજ હેલ્પરની પરીક્ષા આપી છતાં ભરતી ના કરવામાં આવી જેના કારણે વિધ્યાર્થીઓમાં રોષ છે. રાજકોટ PGVCL કચેરી દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 6,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જોકે ખાલી જગ્યાઓ મુજબ ભરતી કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ બે દિવસથી ધરણાં પર છે. 

ગઈકાલથી ઉમેદવારો ભૂખ્યા પેટે નોંધાવી રહ્યા છે વિરોધ!

ગુજરાતમાં અનેક ભરતીઓ નથી કરવામાં આવતી જેને લઈ ઉમેદવારો, પરીક્ષાર્થીઓ વિરોધ કરતા હોય છે! પરીક્ષા તો આપી છતાંય સૌરાષ્ટ્રના અનેક સેન્ટરોમાં વીજ હેલ્પરની નિમણૂક કરવામાં આવતી ના હોવાનો આરાજદારોનો આક્ષેપ છે. ગઈકાલથી પરીક્ષાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. અનેક જગ્યાઓ ખાલી હોવા છતાંય PGVCL કંપનીમાં GSO 4 મૂજબ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી કરવામાં નથી આવતી. આજે બીજા દિવસે પણ પરીક્ષાર્થીઓના ધરણા યથાવત જોવા મળ્યા છે.   



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.