રાજકોટની નદીમાંથી મહિલાની લાશના ટુકડા મળી આવ્યા! તાંત્રિક વિધિના નામે મહિલાની હત્યા થઈ હોવાનું અનુમાન! પોલીસ કરી રહી છે આ અંગે તપાસ


  • Published By :
  • Published Date : 2023-04-14 12:11:21

રાજ્યમાં ઘણા સમયથી હત્યાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. નાની-નાની વાતને દિલ પર લઈ હુમલો કરવાની ઘટનાઓ જાણે સામાન્ય હોય તેવી લાગી રહી છે. ત્યારે રાજકોટથી જે સમાચાર આવ્યા છે તે રૂંવાડા ઉભા કરી દે તેવા છે. રાજકોટ મોરબી રોડ પર આવેલી લાલપરી નદીમાંથી અજાણી મહિલાની લાશ મળી આવી છે. નદીમાં લાશને ફેંકવામાં આવી હતી પરંતુ ટુકડા-ટુકડા કરીને. લાશના ટુકડા કરી બે થેલામાં લાશને ભરીને નદીમાં ફેકી દેવામાં આવી હતી. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.    


નદીમાંથી મળ્યા મહિલાની લાશના ટુકડા!

મહિલા પર થતાં હુમલામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હત્યાની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટની લાલપરી નદીમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. પરંતુ લાશ બે અલગ અલગ થેલામાં ભરીને નદીમાં ફેકવામાં આવી હતી. મહિલાની લાશના ટુકડા કર્યા જે બાદ થેલામાં ભરીને લાશને નદીમાં ફેકવામાં આવી છે. 


એક કોથળામાં માથું હતું અને બીજા થેલામાં હતું ધડ!

આ લાશ ત્યારે મળી આવી જ્યારે લાલપરી નજીક ઝુંપડાઓમાં રહેતા શ્રમિકોના બાળકો નદીમાં ન્હાવા ગયા હતા. પાણીની એક ખાણ પાસે જુદા જુદા કોથળામાં ટુકડા કરેલા માનવ અંગો જોવા મળતા આ અંગે બાળકોએ તેમના માતા પિતાને વાત કરી.એક થેલામાં કપાયેલુ માથું અને હાથ પગ હતા અને બીજા થેલામાં મહિલાનું ઘડ હતું.જે બાદ પોલીસને આ ઘટના અંગે જાણ કરાઈ અને માહિતી મળતા પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાઈ છે અને આ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 


તાંત્રિક વિધિના કારણે હત્યા થઈ હોવાની આશંકા 

આ મામલે પોલીસ દ્વારા આપેલું નિવેદન પણ ચોંકાવનારૂં છે. રાજકોટ એસપીએ જણાવ્યું કે લાલપરી નદીમાંથી એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં કટકા થેલામાં ભરી લાશ ફેંકી દેવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન થેલામાંથી મહિલાની લાશના ટુકડા મળી આવ્યા હતા. લાશની આજુ બાજુમાં તેમજ થેલામાંથી તાવીજ મળી આવ્યા હતા. જેના કારણે એવી શંકા થઈ રહી છે કે તાંત્રિક વિધિના કારણે હત્યા થઈ હોઈ શકે.      


લાશ કોની છે તે અંગે પોલીસ કરી રહી છે તપાસ 

આ લાશ કોની છે, કેવી રીતે અને કોણે હત્યા કરી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. શા માટે મહિલાની હત્યા કરાઈ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસ પ્રથમ આ લાશ કોની છે તે અંગે તપાસ કરશે. આસપાસના લોકો સાથે આ અંગે પૂછપરછ કરવામાં આવશે.


ક્યાં સુધી તાંત્રિક વિધિના નામે લેવાશે લોકોનો ભોગ

ત્યારે જો તાંત્રિક વિધીને લઈ મહિલાની હત્યા કરવામાં આવી છે તો તે ખુબ જ ચોંકાવનારી છે. આપણે એકવીસમી સદીની વાતો કરીએ છીએ. વિકસીત રાજ્ય અને વિકસીત દેશ હોવાની વાત કરીએ પરંતુ આવી માનસિક્તાને કારણે આપણે સાચે પ્રગતિના પંથે છીએ તે એક પ્રશ્ન છે. ક્યાં સુધી તાંત્રિક વિધીના નામે લોકોના ભોગ લેવાતા રહેશે. ક્યાં સુધી નિર્દોષ લોકોએ પોતાનું જીવન ટૂંકાવવું પડશે. આ વિષય વિચારવાનો છે.      




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે