રાજકોટની નદીમાંથી મહિલાની લાશના ટુકડા મળી આવ્યા! તાંત્રિક વિધિના નામે મહિલાની હત્યા થઈ હોવાનું અનુમાન! પોલીસ કરી રહી છે આ અંગે તપાસ


  • Published By :
  • Published Date : 2023-04-14 12:11:21

રાજ્યમાં ઘણા સમયથી હત્યાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. નાની-નાની વાતને દિલ પર લઈ હુમલો કરવાની ઘટનાઓ જાણે સામાન્ય હોય તેવી લાગી રહી છે. ત્યારે રાજકોટથી જે સમાચાર આવ્યા છે તે રૂંવાડા ઉભા કરી દે તેવા છે. રાજકોટ મોરબી રોડ પર આવેલી લાલપરી નદીમાંથી અજાણી મહિલાની લાશ મળી આવી છે. નદીમાં લાશને ફેંકવામાં આવી હતી પરંતુ ટુકડા-ટુકડા કરીને. લાશના ટુકડા કરી બે થેલામાં લાશને ભરીને નદીમાં ફેકી દેવામાં આવી હતી. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.    


નદીમાંથી મળ્યા મહિલાની લાશના ટુકડા!

મહિલા પર થતાં હુમલામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હત્યાની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટની લાલપરી નદીમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. પરંતુ લાશ બે અલગ અલગ થેલામાં ભરીને નદીમાં ફેકવામાં આવી હતી. મહિલાની લાશના ટુકડા કર્યા જે બાદ થેલામાં ભરીને લાશને નદીમાં ફેકવામાં આવી છે. 


એક કોથળામાં માથું હતું અને બીજા થેલામાં હતું ધડ!

આ લાશ ત્યારે મળી આવી જ્યારે લાલપરી નજીક ઝુંપડાઓમાં રહેતા શ્રમિકોના બાળકો નદીમાં ન્હાવા ગયા હતા. પાણીની એક ખાણ પાસે જુદા જુદા કોથળામાં ટુકડા કરેલા માનવ અંગો જોવા મળતા આ અંગે બાળકોએ તેમના માતા પિતાને વાત કરી.એક થેલામાં કપાયેલુ માથું અને હાથ પગ હતા અને બીજા થેલામાં મહિલાનું ઘડ હતું.જે બાદ પોલીસને આ ઘટના અંગે જાણ કરાઈ અને માહિતી મળતા પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાઈ છે અને આ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 


તાંત્રિક વિધિના કારણે હત્યા થઈ હોવાની આશંકા 

આ મામલે પોલીસ દ્વારા આપેલું નિવેદન પણ ચોંકાવનારૂં છે. રાજકોટ એસપીએ જણાવ્યું કે લાલપરી નદીમાંથી એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં કટકા થેલામાં ભરી લાશ ફેંકી દેવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન થેલામાંથી મહિલાની લાશના ટુકડા મળી આવ્યા હતા. લાશની આજુ બાજુમાં તેમજ થેલામાંથી તાવીજ મળી આવ્યા હતા. જેના કારણે એવી શંકા થઈ રહી છે કે તાંત્રિક વિધિના કારણે હત્યા થઈ હોઈ શકે.      


લાશ કોની છે તે અંગે પોલીસ કરી રહી છે તપાસ 

આ લાશ કોની છે, કેવી રીતે અને કોણે હત્યા કરી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. શા માટે મહિલાની હત્યા કરાઈ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસ પ્રથમ આ લાશ કોની છે તે અંગે તપાસ કરશે. આસપાસના લોકો સાથે આ અંગે પૂછપરછ કરવામાં આવશે.


ક્યાં સુધી તાંત્રિક વિધિના નામે લેવાશે લોકોનો ભોગ

ત્યારે જો તાંત્રિક વિધીને લઈ મહિલાની હત્યા કરવામાં આવી છે તો તે ખુબ જ ચોંકાવનારી છે. આપણે એકવીસમી સદીની વાતો કરીએ છીએ. વિકસીત રાજ્ય અને વિકસીત દેશ હોવાની વાત કરીએ પરંતુ આવી માનસિક્તાને કારણે આપણે સાચે પ્રગતિના પંથે છીએ તે એક પ્રશ્ન છે. ક્યાં સુધી તાંત્રિક વિધીના નામે લોકોના ભોગ લેવાતા રહેશે. ક્યાં સુધી નિર્દોષ લોકોએ પોતાનું જીવન ટૂંકાવવું પડશે. આ વિષય વિચારવાનો છે.      




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.