રાજકોટની નદીમાંથી મહિલાની લાશના ટુકડા મળી આવ્યા! તાંત્રિક વિધિના નામે મહિલાની હત્યા થઈ હોવાનું અનુમાન! પોલીસ કરી રહી છે આ અંગે તપાસ


  • Published By :
  • Published Date : 2023-04-14 12:11:21

રાજ્યમાં ઘણા સમયથી હત્યાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. નાની-નાની વાતને દિલ પર લઈ હુમલો કરવાની ઘટનાઓ જાણે સામાન્ય હોય તેવી લાગી રહી છે. ત્યારે રાજકોટથી જે સમાચાર આવ્યા છે તે રૂંવાડા ઉભા કરી દે તેવા છે. રાજકોટ મોરબી રોડ પર આવેલી લાલપરી નદીમાંથી અજાણી મહિલાની લાશ મળી આવી છે. નદીમાં લાશને ફેંકવામાં આવી હતી પરંતુ ટુકડા-ટુકડા કરીને. લાશના ટુકડા કરી બે થેલામાં લાશને ભરીને નદીમાં ફેકી દેવામાં આવી હતી. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.    


નદીમાંથી મળ્યા મહિલાની લાશના ટુકડા!

મહિલા પર થતાં હુમલામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હત્યાની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટની લાલપરી નદીમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. પરંતુ લાશ બે અલગ અલગ થેલામાં ભરીને નદીમાં ફેકવામાં આવી હતી. મહિલાની લાશના ટુકડા કર્યા જે બાદ થેલામાં ભરીને લાશને નદીમાં ફેકવામાં આવી છે. 


એક કોથળામાં માથું હતું અને બીજા થેલામાં હતું ધડ!

આ લાશ ત્યારે મળી આવી જ્યારે લાલપરી નજીક ઝુંપડાઓમાં રહેતા શ્રમિકોના બાળકો નદીમાં ન્હાવા ગયા હતા. પાણીની એક ખાણ પાસે જુદા જુદા કોથળામાં ટુકડા કરેલા માનવ અંગો જોવા મળતા આ અંગે બાળકોએ તેમના માતા પિતાને વાત કરી.એક થેલામાં કપાયેલુ માથું અને હાથ પગ હતા અને બીજા થેલામાં મહિલાનું ઘડ હતું.જે બાદ પોલીસને આ ઘટના અંગે જાણ કરાઈ અને માહિતી મળતા પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાઈ છે અને આ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 


તાંત્રિક વિધિના કારણે હત્યા થઈ હોવાની આશંકા 

આ મામલે પોલીસ દ્વારા આપેલું નિવેદન પણ ચોંકાવનારૂં છે. રાજકોટ એસપીએ જણાવ્યું કે લાલપરી નદીમાંથી એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં કટકા થેલામાં ભરી લાશ ફેંકી દેવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન થેલામાંથી મહિલાની લાશના ટુકડા મળી આવ્યા હતા. લાશની આજુ બાજુમાં તેમજ થેલામાંથી તાવીજ મળી આવ્યા હતા. જેના કારણે એવી શંકા થઈ રહી છે કે તાંત્રિક વિધિના કારણે હત્યા થઈ હોઈ શકે.      


લાશ કોની છે તે અંગે પોલીસ કરી રહી છે તપાસ 

આ લાશ કોની છે, કેવી રીતે અને કોણે હત્યા કરી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. શા માટે મહિલાની હત્યા કરાઈ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસ પ્રથમ આ લાશ કોની છે તે અંગે તપાસ કરશે. આસપાસના લોકો સાથે આ અંગે પૂછપરછ કરવામાં આવશે.


ક્યાં સુધી તાંત્રિક વિધિના નામે લેવાશે લોકોનો ભોગ

ત્યારે જો તાંત્રિક વિધીને લઈ મહિલાની હત્યા કરવામાં આવી છે તો તે ખુબ જ ચોંકાવનારી છે. આપણે એકવીસમી સદીની વાતો કરીએ છીએ. વિકસીત રાજ્ય અને વિકસીત દેશ હોવાની વાત કરીએ પરંતુ આવી માનસિક્તાને કારણે આપણે સાચે પ્રગતિના પંથે છીએ તે એક પ્રશ્ન છે. ક્યાં સુધી તાંત્રિક વિધીના નામે લોકોના ભોગ લેવાતા રહેશે. ક્યાં સુધી નિર્દોષ લોકોએ પોતાનું જીવન ટૂંકાવવું પડશે. આ વિષય વિચારવાનો છે.      




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.