રાજકોટની નદીમાંથી મહિલાની લાશના ટુકડા મળી આવ્યા! તાંત્રિક વિધિના નામે મહિલાની હત્યા થઈ હોવાનું અનુમાન! પોલીસ કરી રહી છે આ અંગે તપાસ


  • Published By :
  • Published Date : 2023-04-14 12:11:21

રાજ્યમાં ઘણા સમયથી હત્યાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. નાની-નાની વાતને દિલ પર લઈ હુમલો કરવાની ઘટનાઓ જાણે સામાન્ય હોય તેવી લાગી રહી છે. ત્યારે રાજકોટથી જે સમાચાર આવ્યા છે તે રૂંવાડા ઉભા કરી દે તેવા છે. રાજકોટ મોરબી રોડ પર આવેલી લાલપરી નદીમાંથી અજાણી મહિલાની લાશ મળી આવી છે. નદીમાં લાશને ફેંકવામાં આવી હતી પરંતુ ટુકડા-ટુકડા કરીને. લાશના ટુકડા કરી બે થેલામાં લાશને ભરીને નદીમાં ફેકી દેવામાં આવી હતી. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.    


નદીમાંથી મળ્યા મહિલાની લાશના ટુકડા!

મહિલા પર થતાં હુમલામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હત્યાની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટની લાલપરી નદીમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. પરંતુ લાશ બે અલગ અલગ થેલામાં ભરીને નદીમાં ફેકવામાં આવી હતી. મહિલાની લાશના ટુકડા કર્યા જે બાદ થેલામાં ભરીને લાશને નદીમાં ફેકવામાં આવી છે. 


એક કોથળામાં માથું હતું અને બીજા થેલામાં હતું ધડ!

આ લાશ ત્યારે મળી આવી જ્યારે લાલપરી નજીક ઝુંપડાઓમાં રહેતા શ્રમિકોના બાળકો નદીમાં ન્હાવા ગયા હતા. પાણીની એક ખાણ પાસે જુદા જુદા કોથળામાં ટુકડા કરેલા માનવ અંગો જોવા મળતા આ અંગે બાળકોએ તેમના માતા પિતાને વાત કરી.એક થેલામાં કપાયેલુ માથું અને હાથ પગ હતા અને બીજા થેલામાં મહિલાનું ઘડ હતું.જે બાદ પોલીસને આ ઘટના અંગે જાણ કરાઈ અને માહિતી મળતા પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાઈ છે અને આ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 


તાંત્રિક વિધિના કારણે હત્યા થઈ હોવાની આશંકા 

આ મામલે પોલીસ દ્વારા આપેલું નિવેદન પણ ચોંકાવનારૂં છે. રાજકોટ એસપીએ જણાવ્યું કે લાલપરી નદીમાંથી એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં કટકા થેલામાં ભરી લાશ ફેંકી દેવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન થેલામાંથી મહિલાની લાશના ટુકડા મળી આવ્યા હતા. લાશની આજુ બાજુમાં તેમજ થેલામાંથી તાવીજ મળી આવ્યા હતા. જેના કારણે એવી શંકા થઈ રહી છે કે તાંત્રિક વિધિના કારણે હત્યા થઈ હોઈ શકે.      


લાશ કોની છે તે અંગે પોલીસ કરી રહી છે તપાસ 

આ લાશ કોની છે, કેવી રીતે અને કોણે હત્યા કરી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. શા માટે મહિલાની હત્યા કરાઈ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસ પ્રથમ આ લાશ કોની છે તે અંગે તપાસ કરશે. આસપાસના લોકો સાથે આ અંગે પૂછપરછ કરવામાં આવશે.


ક્યાં સુધી તાંત્રિક વિધિના નામે લેવાશે લોકોનો ભોગ

ત્યારે જો તાંત્રિક વિધીને લઈ મહિલાની હત્યા કરવામાં આવી છે તો તે ખુબ જ ચોંકાવનારી છે. આપણે એકવીસમી સદીની વાતો કરીએ છીએ. વિકસીત રાજ્ય અને વિકસીત દેશ હોવાની વાત કરીએ પરંતુ આવી માનસિક્તાને કારણે આપણે સાચે પ્રગતિના પંથે છીએ તે એક પ્રશ્ન છે. ક્યાં સુધી તાંત્રિક વિધીના નામે લોકોના ભોગ લેવાતા રહેશે. ક્યાં સુધી નિર્દોષ લોકોએ પોતાનું જીવન ટૂંકાવવું પડશે. આ વિષય વિચારવાનો છે.      




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.