ડોમીનોઝ પિઝામાંથી નિકડ્યાં કાચના ટુકડા !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 19:02:19

હાલ ઓનલાઇન ફૂડ ડિલિવરીનો ખૂબ ઉપયોગ થાય છે ત્યારે સૌથી વધુ પીઝાનો ઓડર થાય છે ત્યારે એક કિસ્સો મુંબઈથી સામે આવ્યો છે જેમ એક વ્યક્તિએ પિઝા મંગાવ્યા અને તે ચોંકી ગયો કેમકે તેમથી કાચના ટુકડા મડ્યા. 



ઓર્ડર માંથી નિકડ્યાં કાચના ટુકડા  !!!!


સોશિયલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના મુંબઈની છે. ટ્વિટર પર અરુણ કોલ્લુરી નામના વ્યક્તિએ પિઝા આઉટલેટ દ્વારા વેચાતા પિઝાની તસવીર પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે તેના ઓનલાઈન ઓર્ડર કરાયેલ પિઝામાં કાચના ટુકડા મળ્યા છે. જો કે તેમના ટ્વિટમાં આઉટલેટ અથવા ડિલિવરીની તારીખનો ઉલ્લેખ નથી. આ ટ્વીટ સાથે તેણે મુંબઈ પોલીસને ટેગ કર્યું.




પોલીસએ આપ્યો ટ્વીટનો જવાબ !!!

જ્યારે યુવાને  મુંબઈ પોલીસ તેમજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ટેગ કરીને લખ્યું કે ડોમિનોઝમાં કાચના 2 થી 3 ટુકડા મળ્યા છે. આ પછી મુંબઈ પોલીસે ટ્વીટ પર પ્રતિક્રિયા આપી કે તે કોઈપણ કાયદાકીય ઉપાયની માંગ કરતા પહેલા ડોમિનોના કસ્ટમર કેરને લખવાની સલાહ આપે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.