Rajkotમાં પૂલ પહોળો કરવા પીલર નખાયા,મનપાએ ચેકિંગ કર્યું તો ભ્રષ્ટાચારની ખુલી પોલ, ભ્રષ્ટાચારીઓની વધતી હિંમત પાછળ નાગરિકોનું મૌન પણ જવાબદાર!


  • Published By :
  • Published Date : 2023-08-10 10:23:04

પુલ ધરાશાયી થવા, રસ્તા પર ખાડા પડવા, નિર્માણાધીન બ્રિજ, પુલ તૂટી જવો જેવી ઘટના તો આજકાલ બનવી જાણે સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગે છે. આવા સમાચારો અવાર-નવાર સામે આવી રહ્યા છે. ત્યારે એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. રાજકોટના મોટામૌવા પાસે પુલની બંને બાજુને પહોળી કરવાની છે જેના માટે ત્યાં કામગીરી કરવામાં આવી રહી છે. 13 કરોડના ખર્ચે પુલ પહોળો બનાવવાની કામગીરી થઈ રહી છે. આ કામગીરીમાં ફરિયાદ મળી કે હજુ તો પિલર જ બનાવવામાં આવ્યા છે અને એમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તો બ્રિજ બનીને તૈયાર થાય તો કેટલો ભ્રષ્ટાચાર થશે? 

પિલરના નિર્માણમાં સામે આવ્યું ભ્રષ્ટાચારનું કૌભાંડ! 

આ ફરિયાદ મળતા જ રાજકોટ મહાનગરપાલિકાની ટુકડી પહોંચી ગઈ હતી તપાસ કરવા કે ભ્રષ્ટાચારની ફરિયાદ મળી છે તે સાચી છે કે નહીં. ત્યાં જઈને તપાસ કરવામાં આવી તો ખબર પડી કે પુલ બનાવવા માટે હજુ પિલર નખાયા છે તેમાં બેકબેન કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ભયાનક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાએ મામલો દબાવીને રફેદફે કરવાની જગ્યાએ બેકબેન કન્સ્ટ્રક્શન કંપનીના 3 પિલર તોડી પાડવાના આદેશ આપી દીધા. ભ્રષ્ટાચારી પુલ બનાવાયા હવે તેને તંત્રની બાજ નજરના કારણે ખબર પડી અને હવે તેને તોડવામાં આવે, ચારેય પિલર ફરીથી બનાવામાં આવશે. 


કોના બાપની દિવાળી?    

હવે વિચાર કરો કે જે રૂપિયાથી પુલના પિલર બન્યા એ કોના રૂપિયાથી બન્યા હતા? તૂટવાના છે એ કોના રૂપિયાની સહાયથી તૂટવાના છે? ફરી પાછા નવા બનશે એ કોના રૂપિયાથી બનશે? અમે મનપાની કામગીરી પર પણ કોઈ પ્રશ્નો નથી કરતા કારણ કે તે ઈચ્છતી તો મામલો દબાવતી હતી અને રફેદફે કરી શકતી હતા પણ તેણે સ્વીકાર્યું કે ભ્રષ્ટાચાર થયો છે અને કોંક્રિટના નમૂના લેબોરેટરીમાં મોકલાવાયા. જેમાં ખબર પડી કે પીલારનું ગ્રેડિંગ 35 હોવું જોઈએ જે લેબોરેટરીમાં 30 જ મળ્યું હતું. આ ઘટનાના કારણે હવે સાંકડો પૂલ પહોળો કરવા માટે ફરી પિલાર નખાશે અને પછી તેના પર પુલ લંબાવાશે. 


ખરાબ રસ્તા પરથી પ્રશ્ન પૂછ્યા વગર પસાર થઈ જાય છે નાગરિક  

તમે માનો કે ન માનો પણ રસ્તામાં પડતા ખાડા, બિસ્કિટની જેમ તૂટી જતાં બ્રિજ, ટ્રાફિક ઓછો કરવા માટે બનાવવામાં આવતા ઓવરબ્રિજમાં પડતી તિરાડો, સહિતની વસ્તુઓ બનાવવામાં ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર જેટલા જવાબદાર છે તેટલા જ જવાબદાર રસ્તા પરથી પસાર થતો સામાન્ય નાગરિક પણ છે. તમને સવાલ થતો હશે કે અમારા ટેક્સ રૂપિયાની આ બધી વસ્તુ બને છે એમાં અમે કેવી રીતે ભ્રષ્ટાચાર કરી શકાત હોઈએ છીએ. 

નાગરિકોનું મૌન ભ્રષ્ટારીઓને આપે છે બળ!

બરોબર સવાલ હોઈ શકે તમારો પણ જેમ અત્યારે મનમાં સવાલ ઉભો થયો એમ જ્યારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય ત્યારે એ સવાલ ઉભો કેમ નથી થતો? એ સવાલ ઉભો નથી થતો અને તમે ગાડી લઈને ઉબડ ખાબડ રસ્તા પર કે તીરાડ પડતા ઓવરબ્રિજ કે તૂટી જતા બ્રિજ પાસેથી પસાર થઈ જાવ છો. એટલા માટે ભ્રષ્ટાચાર થાય છે કારણ કે તમારી સવાલ પૂછવાની હિંમત કોઈ નથી કરતું. મારૂ શું, મારે કેટલા ટકા એમ વિચારી આપણે આગળ વધી જતા હોઈએ છીએ. આપણા દ્વારા રાખવામાં આવતા મૌનને કારણે સામે વાળા વ્યક્તિને ભ્રષ્ટાચાર કરતા પ્રેરે છે કારણ કે એને ખબર છે કે હું ગમે તે કરું લોકો તો કંઈ પૂછવાના છે જ નથી તો પછી ડર શેનો....માનનીય પ્રજા જે એ પુલની નજીકથી સડસડાટ પસાર થઈ જાય છે. ખાડાખાબોચિયા વાળા રસ્તા પરથી વાહન તારવીને નીકળી જાય છે પણ કોઈ પ્રશ્નો નથી પૂછતો. જો આપણે હમણા પ્રશ્ન નહીં પૂછીએ તો આવનારી પેઢી તો બિલકુલ આ અંગે વિચારવાનું બંધ કરી દેશે.. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.