Rajkotમાં પૂલ પહોળો કરવા પીલર નખાયા,મનપાએ ચેકિંગ કર્યું તો ભ્રષ્ટાચારની ખુલી પોલ, ભ્રષ્ટાચારીઓની વધતી હિંમત પાછળ નાગરિકોનું મૌન પણ જવાબદાર!


  • Published By :
  • Published Date : 2023-08-10 10:23:04

પુલ ધરાશાયી થવા, રસ્તા પર ખાડા પડવા, નિર્માણાધીન બ્રિજ, પુલ તૂટી જવો જેવી ઘટના તો આજકાલ બનવી જાણે સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગે છે. આવા સમાચારો અવાર-નવાર સામે આવી રહ્યા છે. ત્યારે એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. રાજકોટના મોટામૌવા પાસે પુલની બંને બાજુને પહોળી કરવાની છે જેના માટે ત્યાં કામગીરી કરવામાં આવી રહી છે. 13 કરોડના ખર્ચે પુલ પહોળો બનાવવાની કામગીરી થઈ રહી છે. આ કામગીરીમાં ફરિયાદ મળી કે હજુ તો પિલર જ બનાવવામાં આવ્યા છે અને એમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તો બ્રિજ બનીને તૈયાર થાય તો કેટલો ભ્રષ્ટાચાર થશે? 

પિલરના નિર્માણમાં સામે આવ્યું ભ્રષ્ટાચારનું કૌભાંડ! 

આ ફરિયાદ મળતા જ રાજકોટ મહાનગરપાલિકાની ટુકડી પહોંચી ગઈ હતી તપાસ કરવા કે ભ્રષ્ટાચારની ફરિયાદ મળી છે તે સાચી છે કે નહીં. ત્યાં જઈને તપાસ કરવામાં આવી તો ખબર પડી કે પુલ બનાવવા માટે હજુ પિલર નખાયા છે તેમાં બેકબેન કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ભયાનક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાએ મામલો દબાવીને રફેદફે કરવાની જગ્યાએ બેકબેન કન્સ્ટ્રક્શન કંપનીના 3 પિલર તોડી પાડવાના આદેશ આપી દીધા. ભ્રષ્ટાચારી પુલ બનાવાયા હવે તેને તંત્રની બાજ નજરના કારણે ખબર પડી અને હવે તેને તોડવામાં આવે, ચારેય પિલર ફરીથી બનાવામાં આવશે. 


કોના બાપની દિવાળી?    

હવે વિચાર કરો કે જે રૂપિયાથી પુલના પિલર બન્યા એ કોના રૂપિયાથી બન્યા હતા? તૂટવાના છે એ કોના રૂપિયાની સહાયથી તૂટવાના છે? ફરી પાછા નવા બનશે એ કોના રૂપિયાથી બનશે? અમે મનપાની કામગીરી પર પણ કોઈ પ્રશ્નો નથી કરતા કારણ કે તે ઈચ્છતી તો મામલો દબાવતી હતી અને રફેદફે કરી શકતી હતા પણ તેણે સ્વીકાર્યું કે ભ્રષ્ટાચાર થયો છે અને કોંક્રિટના નમૂના લેબોરેટરીમાં મોકલાવાયા. જેમાં ખબર પડી કે પીલારનું ગ્રેડિંગ 35 હોવું જોઈએ જે લેબોરેટરીમાં 30 જ મળ્યું હતું. આ ઘટનાના કારણે હવે સાંકડો પૂલ પહોળો કરવા માટે ફરી પિલાર નખાશે અને પછી તેના પર પુલ લંબાવાશે. 


ખરાબ રસ્તા પરથી પ્રશ્ન પૂછ્યા વગર પસાર થઈ જાય છે નાગરિક  

તમે માનો કે ન માનો પણ રસ્તામાં પડતા ખાડા, બિસ્કિટની જેમ તૂટી જતાં બ્રિજ, ટ્રાફિક ઓછો કરવા માટે બનાવવામાં આવતા ઓવરબ્રિજમાં પડતી તિરાડો, સહિતની વસ્તુઓ બનાવવામાં ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર જેટલા જવાબદાર છે તેટલા જ જવાબદાર રસ્તા પરથી પસાર થતો સામાન્ય નાગરિક પણ છે. તમને સવાલ થતો હશે કે અમારા ટેક્સ રૂપિયાની આ બધી વસ્તુ બને છે એમાં અમે કેવી રીતે ભ્રષ્ટાચાર કરી શકાત હોઈએ છીએ. 

નાગરિકોનું મૌન ભ્રષ્ટારીઓને આપે છે બળ!

બરોબર સવાલ હોઈ શકે તમારો પણ જેમ અત્યારે મનમાં સવાલ ઉભો થયો એમ જ્યારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય ત્યારે એ સવાલ ઉભો કેમ નથી થતો? એ સવાલ ઉભો નથી થતો અને તમે ગાડી લઈને ઉબડ ખાબડ રસ્તા પર કે તીરાડ પડતા ઓવરબ્રિજ કે તૂટી જતા બ્રિજ પાસેથી પસાર થઈ જાવ છો. એટલા માટે ભ્રષ્ટાચાર થાય છે કારણ કે તમારી સવાલ પૂછવાની હિંમત કોઈ નથી કરતું. મારૂ શું, મારે કેટલા ટકા એમ વિચારી આપણે આગળ વધી જતા હોઈએ છીએ. આપણા દ્વારા રાખવામાં આવતા મૌનને કારણે સામે વાળા વ્યક્તિને ભ્રષ્ટાચાર કરતા પ્રેરે છે કારણ કે એને ખબર છે કે હું ગમે તે કરું લોકો તો કંઈ પૂછવાના છે જ નથી તો પછી ડર શેનો....માનનીય પ્રજા જે એ પુલની નજીકથી સડસડાટ પસાર થઈ જાય છે. ખાડાખાબોચિયા વાળા રસ્તા પરથી વાહન તારવીને નીકળી જાય છે પણ કોઈ પ્રશ્નો નથી પૂછતો. જો આપણે હમણા પ્રશ્ન નહીં પૂછીએ તો આવનારી પેઢી તો બિલકુલ આ અંગે વિચારવાનું બંધ કરી દેશે.. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.