Gujaratમાં નકલીની ભરમાર! Dessaમાંથી નકલી પોલીસ વાળો પકડાયો, ગુજરાતમાં નકલી ઘીની ત્રણ ફેકટરીઓનો પણ પર્દાફાશ!


  • Published By :
  • Published Date : 2023-12-21 16:54:09

રાજ્યમાં નકલી ધારાસભ્ય, નકલી પી.એ. અને નકલી ઘી બાદ હવે નકલી પોલીસ અધિકારી ઝડપાયો છે. આ શખ્સ બનાસકાંઠામાં ડીસામાં પોલીસનું નકલી આઈ.કાર્ડ બતાવીને લૂંટતો હતો. દરમ્યાન ડીસા શહેર દક્ષિણ પોલીસને તેની હકીકત મળતા તેને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ નકલીએ તો હદ કરી છે હવે તો નકલીનું નામ સાંભળીયે તો ધોળા દાડેય બીક લાગે છે. હવે ગુજરાતના એક જિલ્લામાંથી નકલી પોલીસ વાળો પકડાયો છે. અને એક જગ્યાએથી નકલી ઘી ઝડપાયું છે ગુજરાતમાં હજી કેટલું નકલી છે તેનું લિસ્ટ બનાવવું પડશે એવું લાગે છે.

 

પોલીસ કર્મચારીની ઓળખ આપી લોકોને છેતરતા 

થોડા દિવસોથી નકલી શબ્દ સામાન્ય બની ગયો છે. નકલીની ભરમાર હોય તેવું લાગે છે. વિગતો મુજબ, ડીસામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસના નામે એક યુવક લોકોને હેરાન કરીને પૈસા માગતો હતો. આ વાત પોલીસના ધ્યાને આવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના જ વાવ તાલુકામાં આવેલા ટોભા ગામનો યુવક ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર પોલીસ કર્મચારીની ઓળખ આપીને લોકો પાસે છેતરપિંડી કરતો હતો.


નકલી પોલીસને લઈ પોલીસે મેળવ્યા 3 દિવસના રિમાન્ડ   

માત્ર 20 વર્ષનો અશોક ચૌધરી નામનો આ યવક અત્યાર સુધી લોકોને પોલીસનું નકલી આઈકાર્ડ બતાવીને ઠગી ચુક્યો છે. આરોપી પોતાનું નકલી કાર્ડ લોકોને બતાવીને પોલીસની ઓળખ આપતો અને પૈસા અને સામાન લઈને જતો રહેતો હતો. હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ પોલીસે મેળવી લીધા છે. ત્યારે આગામી દિવસોમાં તેની ઠગાઈના અનેક મામલાઓ પણ સામે આવી શકે છે.



અશોક વિરૂદ્ધ પહેલા પણ નોંધાઈ છે ફરિયાદ  

લોકોને લૂંટતો અશોક ચૌધરી સામે અગાઉ પણ ચોરી અને નકલી પીએસઆઇ બની લોકો સાથે છેતરપિંડી હોવાની ફરિયાદ નોંધાયેલી છે અને તે જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. તેમ છતાં પણ જેલમાંથી બહાર નીકળ્યા બાદ આ જ પ્રવૃતિ ચાલુ રાખતા ડીસા શહેર દક્ષિણ પોલીસે તેને ફરીથી પકડી લઈ વધુ તપાસ હાથ ધરી છે. 

નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ 

હવે વાત અમરેલીની કરીયે તો અમરેલી જિલ્લામાંથી નકલી ઘી બનાવતી એક ફેક્ટરી ઝડપાઈ છે. ગત મોડીરાતે લિલિયાના પીપળવા ગામ નજીક ધમધમતી ફેક્ટરીમાં પોલીસે દરોડા પાડ્યા હતા, જ્યાં પાણીના પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો મળી આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પોલીસે સ્થળ પરથી 2100 કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો તેમજ આ મામલે 5 સામે ફરિયાદ નોંધાવી હતી. એમાંથી 4 આરોપીને ઝડપી લીધા છે, જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર છે. મહત્વનું છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા લોકો બીજા લોકોના સ્વાસ્થય અંગેનો વિચાર નથી કરતા. પૈસા કમાવવાની થોડી લાલચ અનેક લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.