Gujaratમાં નકલીની ભરમાર! Dessaમાંથી નકલી પોલીસ વાળો પકડાયો, ગુજરાતમાં નકલી ઘીની ત્રણ ફેકટરીઓનો પણ પર્દાફાશ!


  • Published By :
  • Published Date : 2023-12-21 16:54:09

રાજ્યમાં નકલી ધારાસભ્ય, નકલી પી.એ. અને નકલી ઘી બાદ હવે નકલી પોલીસ અધિકારી ઝડપાયો છે. આ શખ્સ બનાસકાંઠામાં ડીસામાં પોલીસનું નકલી આઈ.કાર્ડ બતાવીને લૂંટતો હતો. દરમ્યાન ડીસા શહેર દક્ષિણ પોલીસને તેની હકીકત મળતા તેને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ નકલીએ તો હદ કરી છે હવે તો નકલીનું નામ સાંભળીયે તો ધોળા દાડેય બીક લાગે છે. હવે ગુજરાતના એક જિલ્લામાંથી નકલી પોલીસ વાળો પકડાયો છે. અને એક જગ્યાએથી નકલી ઘી ઝડપાયું છે ગુજરાતમાં હજી કેટલું નકલી છે તેનું લિસ્ટ બનાવવું પડશે એવું લાગે છે.

 

પોલીસ કર્મચારીની ઓળખ આપી લોકોને છેતરતા 

થોડા દિવસોથી નકલી શબ્દ સામાન્ય બની ગયો છે. નકલીની ભરમાર હોય તેવું લાગે છે. વિગતો મુજબ, ડીસામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસના નામે એક યુવક લોકોને હેરાન કરીને પૈસા માગતો હતો. આ વાત પોલીસના ધ્યાને આવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના જ વાવ તાલુકામાં આવેલા ટોભા ગામનો યુવક ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર પોલીસ કર્મચારીની ઓળખ આપીને લોકો પાસે છેતરપિંડી કરતો હતો.


નકલી પોલીસને લઈ પોલીસે મેળવ્યા 3 દિવસના રિમાન્ડ   

માત્ર 20 વર્ષનો અશોક ચૌધરી નામનો આ યવક અત્યાર સુધી લોકોને પોલીસનું નકલી આઈકાર્ડ બતાવીને ઠગી ચુક્યો છે. આરોપી પોતાનું નકલી કાર્ડ લોકોને બતાવીને પોલીસની ઓળખ આપતો અને પૈસા અને સામાન લઈને જતો રહેતો હતો. હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ પોલીસે મેળવી લીધા છે. ત્યારે આગામી દિવસોમાં તેની ઠગાઈના અનેક મામલાઓ પણ સામે આવી શકે છે.



અશોક વિરૂદ્ધ પહેલા પણ નોંધાઈ છે ફરિયાદ  

લોકોને લૂંટતો અશોક ચૌધરી સામે અગાઉ પણ ચોરી અને નકલી પીએસઆઇ બની લોકો સાથે છેતરપિંડી હોવાની ફરિયાદ નોંધાયેલી છે અને તે જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. તેમ છતાં પણ જેલમાંથી બહાર નીકળ્યા બાદ આ જ પ્રવૃતિ ચાલુ રાખતા ડીસા શહેર દક્ષિણ પોલીસે તેને ફરીથી પકડી લઈ વધુ તપાસ હાથ ધરી છે. 

નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ 

હવે વાત અમરેલીની કરીયે તો અમરેલી જિલ્લામાંથી નકલી ઘી બનાવતી એક ફેક્ટરી ઝડપાઈ છે. ગત મોડીરાતે લિલિયાના પીપળવા ગામ નજીક ધમધમતી ફેક્ટરીમાં પોલીસે દરોડા પાડ્યા હતા, જ્યાં પાણીના પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો મળી આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પોલીસે સ્થળ પરથી 2100 કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો તેમજ આ મામલે 5 સામે ફરિયાદ નોંધાવી હતી. એમાંથી 4 આરોપીને ઝડપી લીધા છે, જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર છે. મહત્વનું છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા લોકો બીજા લોકોના સ્વાસ્થય અંગેનો વિચાર નથી કરતા. પૈસા કમાવવાની થોડી લાલચ અનેક લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.   




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.