PM આવાસ યોજના માટે બજેટમાં કરાઈ આ મોટી જાહેરાત, શું પોતાના ઘરનું સપનું થશે સાકાર?


  • Published By :
  • Published Date : 2023-02-01 17:32:52

મોદી સરકારની બીજી ટર્મનું છેલ્લું પૂર્ણ બજેટ નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે રજુ કર્યું હતું. કેન્દ્રીય નાણામંત્રીએ તેમના બજેટમાં અનેક મહત્વની જાહેરાતો કરી હતી. જેમાં સૌથી મહત્વની જાહેરાત  પીએમ આવાસ યોજના અંગે છે. પીએમ આવાસ યોજના માટે 79,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ રકમથી યોજના સાથે જોડાયેલા લોકોને પાકા મકાનો મળવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે.


પીએમ આવાસ યોજનાથી કોને લાભ?


પીએમ આવાસ યોજના ગાંમડાં અને શહેરી ગરીબોને ઘરનું ઘર આપવાનો છે. 3 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા ગરીબ પરિવારો અને 6થી 12 લાખની આવક ધરાવતા મધ્યમ વર્ગના લાભાર્થીઓ માટે આ યોજના પીએમ મોદી દ્વારા 25 જુન 2015ના દિવસે શરૂ કરવામાં આવી હતી. નાણામંત્રીએ આ યોજનામાં ફાળવણી 66 ટકા વધારીને 79,000 કરોડ રૂપિયાથી વધુ કરી દીધી છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.